શોધખોળ કરો

Lok Sabha: અગ્નિવીર સ્કીમ મામલે રાહુલ ગાંધીએ ભરી સંસદમાં કર્યો ધડાકો, ખોલ્યું અદાણી-મોદી કનેક્શન

તમિલનાડુ, કેરળથી લઈને હિમાચલ પ્રદેશ સુધી, દરેક જગ્યાએ આપણે એક જ નામ 'અદાણી' સાંભળતા આવ્યા છીએ. આખા દેશમાં ફક્ત 'અદાણી', 'અદાણી', 'અદાણી'...

Rahul Gandhi In Lok Sabha: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લોકસભામાં તેમના ભાષણ દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ અગ્નિવીર સ્કીમ, અદાણી કેસને લઈને સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'ભારત જોડો યાત્રા' દરમિયાન અમે લોકોના મંતવ્યો સાંભળ્યા અને અમારી વાત પણ રાખી. પ્રવાસ દરમિયાન અમે બાળકો, મહિલાઓ, વડીલો સાથે વાત કરી. રાહુલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને લઈને પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. 

લોકસભામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે અમે યુવાનોને તેમની નોકરી વિશે પૂછ્યું તો ઘણાએ કહ્યું કે, તેઓ બેરોજગાર છે અથવા કેબ ચલાવે છે. ખેડૂતોએ પીએમ-વીમા યોજના હેઠળ પૈસા ન મળવાની વાત કરી, તેમની જમીન છીનવી લેવામાં આવી, જ્યારે આદિવાસીઓએ આદિવાસી બિલની વાત કરી. લોકોએ અગ્નિવીર યોજનાની પણ વાત કરી પરંતુ યુવાનોએ કહ્યું કે, તે અમને 4 વર્ષ બાદ નોકરી છોડવાનું કહેશે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે, અગ્નવીર યોજના આરએસએસ, ગૃહ મંત્રાલય તરફથી આવી છે આર્મી તરફથી નહીં. તેમણે કહ્યું હતું કે, સેના પર અગ્નિવીર યોજના થોપવામાં આવી રહી છે. નિવૃત્ત અધિકારીઓએ કહ્યું કે, લોકોને હથિયારોનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવે છે અને પછી સમાજમાં પાછા જવા માટે કહેવામાં આવે છે, તેનાથી હિંસા ભડકશે. તેઓ (નિવૃત્ત અધિકારીઓ)ને લાગે છે કે અગ્નિવીર યોજના સેના તરફથી નથી આવી અને NSA અજીત ડોભાલે આ યોજના સેના પર લાગુ કરી.

કોંગ્રેસ સાંસદે વધુમાં કહ્યું હતું કે, રાષ્ટ્રપતિના સંબોધનમાં બેરોજગારી અને મોંઘવારી જેવા કોઈ શબ્દો નથી. તમિલનાડુ, કેરળથી લઈને હિમાચલ પ્રદેશ સુધી, દરેક જગ્યાએ આપણે એક જ નામ 'અદાણી' સાંભળતા આવ્યા છીએ. આખા દેશમાં ફક્ત 'અદાણી', 'અદાણી', 'અદાણી'... લોકો મને પૂછતા હતા કે, અદાણી કોઈપણ વ્યવસાયમાં પ્રવેશ કરે છે અને ક્યારેય નિષ્ફળ જતા નથી. યુવાનોએ અમને પૂછ્યું કે, અદાણી હવે 8-10 સેક્ટરમાં છે અને 2014 થી 2022 સુધીમાં તેમની નેટવર્થ $8 બિલિયનથી $140 બિલિયન સુધી કેવી રીતે પહોંચી? કાશ્મીર અને હિમાચલના સફરજનથી લઈને બંદરો, એરપોર્ટ અને તે રસ્તાઓ સુધી કે જેના પર આપણે ચાલીએ છીએ ત્યાં માત્ર અદાણીની જ વાત થઈ રહી છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ સંબંધોની શરૂઆત ઘણા વર્ષો પહેલા જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે થઈ હતી. એક વ્યક્તિ પીએમ મોદી સાથે ખભે ખભા મિલાવીને ઉભો હતો, તે પીએમ પ્રત્યે વફાદાર હતો અને મોદીને મદદ કરી હતી. 2014માં પીએમ મોદી દિલ્હી પહોંચ્યા ત્યારે અસલી જાદુ શરૂ થયો હતો. એવો નિયમ છે કે જેને અગાઉ ક્યારેય એરપોર્ટનો અનુભવ ન હોય તેને એરપોર્ટના વિકાસમાં સામેલ કરી શકાય નહીં. ભારત સરકારે આ નિયમમાં ફેરફાર કર્યો છે. આ નિયમમાં ફેરફાર કરીને છ એરપોર્ટ અદાણીને આપવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, તે પછી ભારતના સૌથી નફાકારક એરપોર્ટ મુંબઈ એરપોર્ટને CBI, ED જેવી એજન્સીઓનો ઉપયોગ કરીને GVK પાસેથી હાઇજેક કરવામાં આવ્યું હતું અને ભારત સરકાર વતી અદાણીને આપવામાં આવ્યું હતું. હવે અદાણી પાસે સંરક્ષણ ક્ષેત્ર, ડ્રોન ક્ષેત્રનો કોઈ અનુભવ નથી. અદાણીએ ક્યારેય ડ્રોન બનાવ્યા નથી. ડ્રોન માત્ર પરંતુ HAL, ભારતની અન્ય કંપનીઓ બનાવે છે. તે છતાં પીએમ મોદી ઈઝરાયેલ જાય છે અને અદાણીને કોન્ટ્રાક્ટ મળે છે. ગઈકાલે પીએમે HALમાં કહ્યું હતું કે, અમે ખોટા આરોપો લગાવ્યા છે, પરંતુ વાસ્તવમાં HALના 126 એરક્રાફ્ટનો કોન્ટ્રાક્ટ અનિલ અંબાણીને ગયો છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પીએમ મોદી ઓસ્ટ્રેલિયા જાય છે અને જાદુઈ રીતે SBIએ અદાણીને 1 અબજ ડોલરની લોન આપી હતી. ત્યાર બાદ તે બાંગ્લાદેશ જાય છે અને પછી બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડે અદાણી સાથે 25 વર્ષનો કરાર કર્યો હતો. પહેલા અદાણી મોદીના જહાજમાં જતા હતા, હવે મોદી અદાણીના જહાજમાં જાય છે. રાહુલ ગાંધીએ ગૃહમાં ગૌતમ અદાણીનો ફોટો બતાવ્યો જેના પર લોકસભા સ્પીકરે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ વાજબી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
રાજ્યસભામાં OBC અનામત પર વિવાદ, ભાજપ સાંસદે કહ્યું- 'મુસ્લિમોને OBCમાંથી બહાર કરો'
રાજ્યસભામાં OBC અનામત પર વિવાદ, ભાજપ સાંસદે કહ્યું- 'મુસ્લિમોને OBCમાંથી બહાર કરો'
IT Rule Social Media: સરકારની ડિજિટલ સ્ટ્રાઇક, બદલાયા નિયમ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સએપ અને ટેલિગ્રામ બધા પર લેવાશે એક્શન
IT Rule Social Media: સરકારની ડિજિટલ સ્ટ્રાઇક, બદલાયા નિયમ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સએપ અને ટેલિગ્રામ બધા પર લેવાશે એક્શન

વિડિઓઝ

PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
Embed widget