શોધખોળ કરો

Exit Poll 2024: શું હોય છે એક્ઝિટ પૉલ, કઇ રીતે કરાવાય છે..... દુનિયામાં ક્યારે પહેલીવાર થયા, જાણો Exit Pollના તમામ સવાલ-જવાબ

Lok Sabha Election Exit Poll: 18મી લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન આજે 1લી જૂને ચાલી રહ્યું છે. આજે મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પૉલ જાહેર કરવામાં આવશે

Lok Sabha Election Exit Poll: 18મી લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન આજે 1લી જૂને ચાલી રહ્યું છે. આજે મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પૉલ જાહેર કરવામાં આવશે. મતદાન પછી અને ચૂંટણી પરિણામો પહેલા એક્ઝિટ પૉલ બહાર પાડવામાં આવે છે. ચાલો જાણીએ એક્ઝિટ પૉલ સાથે જોડાયેલા દરેક સવાલના જવાબ...

સવાલ- એક્ઝિટ પૉલ શું છે, કઇ રીતે કરાવાયા છે ? 
એક્ઝિટ પૉલ દ્વારા મતદારોને સવાલો પૂછવાનો પ્રયાસ કરવામાં આવે છે કે જેમણે કયા પક્ષ કે ઉમેદવારને મત આપ્યો છે. તેના આધારે એક્ઝિટ પૉલતૈયાર કરવામાં આવે છે. એક્ઝિટ પૉલ પરથી ચૂંટણીના પરિણામોનો અંદાજ લગાવવામાં આવે છે. ભારતમાં કોઈ સરકારી એજન્સી એક્ઝિટ પૉલનું સંચાલન કરતી નથી, પરંતુ ઘણી ખાનગી એજન્સીઓ છે જે એક્ઝિટ પૉલનું સંચાલન કરે છે. ઘણી વખત એજન્સીઓ જનતાનો મૂડ જાણવામાં સફળ થાય છે અને એક્ઝિટ પૉલ સાચા સાબિત થાય છે. જો કે ક્યારેક આ અંદાજો ખોટા પણ સાબિત થાય છે.

સવાલ- દુનિયામાં ક્યારે થયો પહેલા એક્ઝિટ પૉલ ? 
પ્રથમ એક્ઝિટ પૉલ 1936માં અમેરિકામાં હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારબાદ ન્યૂયોર્ક શહેરમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો સર્વે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મતદાન કર્યા બાદ બૂથની બહાર આવેલા મતદારોને પૂછવામાં આવ્યું કે તેઓએ કયા ઉમેદવારને મત આપ્યો છે. આ એક્ઝિટ પૉલ જ્યોર્જ ગેલપ અને ક્લાઉડ રોબિન્સન દ્વારા કરવામાં આવ્યો હતો. આ એક્ઝિટ પૉલે જાહેર કર્યું હતું કે ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ ચૂંટણી જીતશે. આ ચૂંટણીમાં એક્ઝિટ પૉલ સાચા સાબિત થયા છે. આ પછી એક્ઝિટ પૉલ લોકપ્રિય બની ગયા. બ્રિટનમાં 1937માં અને ફ્રાન્સમાં 1938માં એક્ઝિટ પૉલ હાથ ધરવામાં આવ્યા હતા. ભારતમાં એક્ઝિટ પૉલની શરૂઆત 1996માં થઈ હતી.

સવાલ- પ્રી પૉલ અને પૉસ્ટ પૉલ શું હોય છે ? 
પ્રી-પૉલ અને એક્ઝિટ પૉલ વચ્ચે તફાવત છે. ચૂંટણી અને મતદાનની જાહેરાત પહેલા જે સર્વે કરવામાં આવે છે તેને પ્રી-પૉલ કહેવામાં આવે છે. ચૂંટણી પંચ દ્વારા આ વખતે પણ 16 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન થયું હતું. એટલે કે 16 માર્ચથી 19 એપ્રિલ સુધી કરવામાં આવેલા સર્વેને પ્રી-પૉલ કહેવાશે. જ્યારે એક્ઝિટ પૉલ હંમેશા મતદાનના દિવસે લેવામાં આવે છે. વોટ આપ્યા બાદ બહાર આવેલા મતદારોને પૂછવામાં આવે છે કે તેઓએ કોને મત આપ્યો છે, તેના આધારે એક્ઝિટ પૉલ તૈયાર કરવામાં આવે છે. જો કે, આ મતદાન પૂર્ણ થયા પછી જ જાહેર કરવામાં આવે છે.

સવાલ- એક્ઝિટ પૉલને લઇને શું છે ECI ગાઇડલાઇન્સ ?
ભારતમાં એક્ઝિટ પૉલ પર કોઈ પ્રતિબંધ નથી. જોકે ચૂંટણી પંચે એક્ઝિટ પૉલ માટે કેટલાક નિયમો બનાવ્યા છે. આ નિયમો અનુસાર મતદાન સમયે એક્ઝિટ પૉલના પરિણામોનું પ્રસારણ કરી શકાતું નથી. આ મતદાન પછી પ્રસારિત થાય છે. આ માટે એજન્સીએ ચૂંટણી પંચની પરવાનગી લેવી પડશે. એટલું જ નહીં એજન્સીએ સ્પષ્ટપણે જણાવવું પડશે કે આ માત્ર એક અંદાજ છે. જાહેર પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 126A હેઠળ એક્ઝિટ પૉલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સવાલ- ભારતમાં શું છે ચૂંટણી સર્વેનો ઇતિહાસ ?
ભારતમાં સૌપ્રથમ એક્ઝિટ પૉલ 1996માં સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. એજન્સીએ આગાહી કરી હતી કે લોકસભા ચૂંટણીમાં ભાજપ સરકાર બનાવશે. એક્ઝિટ પૉલ અનુસાર લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા. આ પછી ભારતમાં એક્ઝિટ પોલનો ટ્રેન્ડ વધ્યો. ભારતમાં એક્ઝિટ પોલ માત્ર થોડા જ કેસમાં ખોટા સાબિત થયા છે. 2014માં એક્ઝિટ પોલમાં ભાજપની જીતની આગાહી કરવામાં આવી હતી અને 2014માં ભાજપ સત્તામાં આવી હતી. તેવી જ રીતે 2019ની લોકસભા ચૂંટણીમાં પણ એક્ઝિટ પોલમાં ભાજપ સરકારની આગાહી કરવામાં આવી હતી અને એક્ઝિટ પૉલ પ્રમાણે પરિણામો આવ્યા હતા. જો કે, તે સ્પષ્ટ છે કે એક્ઝિટ પૉલ હંમેશા સ્પષ્ટ નથી હોતા, ક્યારેક તે ખોટા સાબિત થયા છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget