શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં 5 ઓક્ટોબરથી ખૂલશે રેસ્ટોરન્ટ, સરકારે બહાર પાડ્યા દિશા નિર્દેશ, જાણો કઈ બાબતોનું કરવું પડશે પાલન

દિશા નિર્દેશ મુજબ પ્રવેશ દ્વાર પર ગ્રાહકોનું ટેમ્પરેચર માપવામાં આવશે. ઉપરાંત તાવ, શરદી, ઉધરસ જેવા કોવિડ-19 લક્ષણોની તપાસ થશે.

મુંબઈઃ ભારતમાં કોરોના મહામારીથી સૌથી પ્રભાવિત મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારે રેસ્ટોરંટ અને બારને 5 ઓક્ટોબરથી ખોલવાની મંજૂરી આપી છે. ઉપરાંત કોવિડ-19 દિશા નિર્દેશ જાહેર કર્યા છે. મહારાષ્ટ્રમાં સોમવારથી હોટલ, રેસ્ટોરન્ટ અને બારને 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. દિશા નિર્દેશ મુજબ પ્રવેશ દ્વાર પર ગ્રાહકોનું ટેમ્પરેચર માપવામાં આવશે. ઉપરાંત તાવ, શરદી, ઉધરસ જેવા કોવિડ-19 લક્ષણોની તપાસ થશે. દિશા નિર્દેશમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે જમવાના સમયને બાદ કરતાં માસ્ક ફરજિયાત પહેરેલું હોવું જોઈએ. જમવાનો ઓર્ડર આપ્યા બાદ સામાજિક અંતરના નિયમનું ખાસ પાલન થવું જોઈએ. સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોની માહિતી મેળવવાના હેતુથી ગ્રાહકો પાસેથી માહિતી લઈને સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે શેર કરવાની મંજૂરી લેવી જોઈએ.
દિશા નિર્દેશની ખાસ વાતો - જમવાના સમયને બાદ કરતાં માસ્ક પહેરવું ફરજિયાત છે. - સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોની માહિતી મેળવવાના હેતુથી ગ્રાહકો પાસેથી તેમની જાણકારી લેવી પડશે અને તંત્ર તથા સ્વાસ્થ્ય અધિકારીઓને આપવી પડશે. - સેનિટાઇઝર ઉપલબ્ધ કરાવવું પડશે. - ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવું પડશે. કેશ ટ્રાન્ઝેક્શન વખતે વધારે સાવધાની રાખવી પડશે. - શૌચાલયો અને હાથ ધોવાના સ્થાનની નિયમિત સફાઈ કરાવવી પડશે. - કાઉન્ટર પર કાચ કે તે પ્રકારનો અન્ય અવરોધક લગાવવો પડશે. - રેસ્ટોરન્ટમાં પ્રવેશ અને બહાર નીકળવાની અલગ અલગ વ્યવસ્થા કરવી પડશે. - સમગ્ર પરિસરમાં CCTV ચાલુ હાલતમાં હોવા જોઈએ. - તૈયાર ફૂડનો જ મેન્યુમાં સમાવેશ કરેલો હોવો જોઈએ. - ફર્નીચરને પણ રોજ ડિસઇન્ફેક્ટ કરવા પડશે. મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા 14,348 કેસ નોંધાયા હતા અને 278 લોકોના મોત થયા હતા. રાજ્યમાં આજે 16,385 લોકોએ કોરોના સામે જંગ જીત્યો હતો. રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 14,30,861 પર પહોંચી છે. જેમાંથી 37,758 લોકોના મોત થયા છે અને 11,34,555 ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. મહારાષ્ટ્રમાં 2,58,108 એક્ટિવ કેસ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget