શોધખોળ કરો

શું શરદ પવારના ઈશારે અજિત પવારે ભાજપનો સાથ આપ્યો? સવાલ સાંભળીને પવારે હસતા કહ્યું કે......

સરકાર રચવામાં મોડું થવા પર શરદા પવારે કહ્યું કે, અમે 5 વર્ષ માટે રાજ્ય ચલાવવા માગતા હતા.

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રની રાજનીતિને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા એનસીપીસ ચીફ શરદ પવારે સતારાના કરાડ પહોંચીને પત્રાકોરના સવાલના જવાબ આપ્યા હતા. અહીં તેણમે કહ્યું કે, અજિત પવારે આવું શા માટે કર્યું તેની કોઈને જાણકારી ન હતી. શરદ પવારે એ પણ કહ્યું કે, અજિત પવારના બળવા પાછળ તેમનો કોઈ હાથ નથી. ભાજપ સાથે જવાનો નિર્ણય અજિતનો પોતાનો હતો. તેમણે કહ્યું કે, એનસીપી ભાજપની સાથે સરકારમાં સામેલ નહીં થાય. હવે જે કંઈપણ સાબિત થશે તે વિધાનસભામાં વિશ્વાસમત દરમિયાન થશે. સતારાના કરાડમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શરદ પવારે દરેક સવાલના સ્પષ્ટ જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે, અજિત પવાર સાથે તેમની હજુ સુધી કોઈ વાત નથી થઈ. ભાજપ સાથે હાથ મિલાવી લેનારા અજિત પવારની પાછળ શરદ પવારનો દોરી સંચાર હતો કે એવા સવાલનો જવાબ શરદ પવારે ટાળ્યો હતો અને માત્ર મલક્યા હતા અને કહ્યું કે, “જો એવું હોત તો હું મારા પક્ષના લોકોને તો સાથે લીધા હોત.’ તેમણે આગળ કહ્યું, ‘હું શિવસેના સાથે એટલો આગળ નીકળી ગયો છું ત્યારે હું આવું કેવી રીતે કરી શકું, તેના વિશે વિચારી પણ ન શકું.’ સરકાર રચવામાં મોડું થવા પર શરદા પવારે કહ્યું કે, અમે 5 વર્ષ માટે રાજ્ય ચલાવવા માગતા હતા. કોંગ્રેસ અને અમે સાથે હતા અને શિવસેના અલગ વિચારધારાવાળી હતી, માટે અમે તેની સાથે દરેક મુદ્દા પર વાત કરવા માગતા હતા. દરેક મુદ્દે સ્પષ્ટતા ઈચ્છતા હતા. શરદ પવારે કહ્યું, જ્યોર્જ ફર્નાન્ડિસની સાથે પણ અટલ બિહારી વાજપેયી સરકાર બનાવી હતી. એ સમય પણ અમે જોયો છે. ત્યારે વાજબાયે બધાને સાથે બેસાડીને જે વિવાદ હતા તેને અલગ રાખ્યા અને કોમન મિનિમમ પ્રોગ્રામ નક્કી કરીને સરકાર બનાવી. શરદ પવારે કહ્યું કે, હવે જ્યારે ત્રણેય પક્ષ સાથે આવ્યા તો અનેક એવી વાતો હતી જેના પર શિવસેનાનો અલગ મત હતો. અમે તેને સાઈડમાં રાખ્યો અને સરકાર બનાવવાનું નક્કી કર્યું. શરદ પવારે કહ્યું, દેવું માફ કરવાનું કહેવું સરળ છે પરંતુ તે કેવી રીતે થશે તેના પર ચર્ચા થાય છે. શરદ પવારે આગળ કહ્યું, રાજનીતિમાં કોઈ વૃદ્ધ કે જવાન નથી હોતા, અહીં માત્ર પક્ષ હોય છે. તેમણે આગળ કહ્યું, સરકાર સંખ્યા પર ચાલે છે, અમે સરકાર બનાવવામાં સક્ષમ છીએ, અમે એ કરી લીધું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠક પર ભાજપમાં બળવો: માવજી પટેલની અપક્ષ ઉમેદવારીથી રાજકીય ગરમાવો
વાવ બેઠક પર ભાજપમાં બળવો: માવજી પટેલની અપક્ષ ઉમેદવારીથી રાજકીય ગરમાવો
Stock Market Today: રોકાણકારોની દિવાળી બગડી, સેન્સેક્સ નિફ્ટીમાં જંગી કડાકો, જાણો કેટલું નુકસાન થયું
રોકાણકારોની દિવાળી બગડી, સેન્સેક્સ નિફ્ટીમાં જંગી કડાકો, જાણો કેટલું નુકસાન થયું
ભાજપના આ બે મોટા નેતાઓ અજીત પવારની પાર્ટી NCPમાં જોડાયા, કહ્યું - 'અમારા નેતા દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશ...'
ભાજપના આ બે મોટા નેતાઓ અજીત પવારની પાર્ટી NCPમાં જોડાયા, કહ્યું - 'અમારા નેતા દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશ...'
વાવ બેઠક પર ચૂંટણી પ્રચાર તેજ: હિન્દુ મુસ્લિમ અને પાકિસ્તાનના મુદ્દે શૈલેષ પરમારનો ભાજપ પર પ્રહાર
વાવ બેઠક પર ચૂંટણી પ્રચાર તેજ: હિન્દુ મુસ્લિમ અને પાકિસ્તાનના મુદ્દે શૈલેષ પરમારનો ભાજપ પર પ્રહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav Assembly By Poll 2024 : ઠાકોર સમાજ વિકાસની સાથે રહેશે , ભાજપ ઉમેદવાર Swarupji Thakor નો જીતનો દાવોCanada Accident : કેનેડામાં કાર અકસ્માતમાં ભાઈ-બહેન સહિત 4 ગુજરાતીના મોતAhmedabad:ક્રાઈમ બ્રાન્ચે 50 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપ્યા, 200 શંકાસ્પદોની કરાઈ પૂછપરછMaharatsra Politics: બાબા સિદ્દીકીનો દીકરો જોડાયો NCPમાં, જાણો ક્યાંથી લડશે ચૂંટણી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠક પર ભાજપમાં બળવો: માવજી પટેલની અપક્ષ ઉમેદવારીથી રાજકીય ગરમાવો
વાવ બેઠક પર ભાજપમાં બળવો: માવજી પટેલની અપક્ષ ઉમેદવારીથી રાજકીય ગરમાવો
Stock Market Today: રોકાણકારોની દિવાળી બગડી, સેન્સેક્સ નિફ્ટીમાં જંગી કડાકો, જાણો કેટલું નુકસાન થયું
રોકાણકારોની દિવાળી બગડી, સેન્સેક્સ નિફ્ટીમાં જંગી કડાકો, જાણો કેટલું નુકસાન થયું
ભાજપના આ બે મોટા નેતાઓ અજીત પવારની પાર્ટી NCPમાં જોડાયા, કહ્યું - 'અમારા નેતા દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશ...'
ભાજપના આ બે મોટા નેતાઓ અજીત પવારની પાર્ટી NCPમાં જોડાયા, કહ્યું - 'અમારા નેતા દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશ...'
વાવ બેઠક પર ચૂંટણી પ્રચાર તેજ: હિન્દુ મુસ્લિમ અને પાકિસ્તાનના મુદ્દે શૈલેષ પરમારનો ભાજપ પર પ્રહાર
વાવ બેઠક પર ચૂંટણી પ્રચાર તેજ: હિન્દુ મુસ્લિમ અને પાકિસ્તાનના મુદ્દે શૈલેષ પરમારનો ભાજપ પર પ્રહાર
Gujarat By Election: ભાજપે ગત ચૂંટણીમાં ગેનીબેન સામે હારેલા સ્વરુપજી ઠાકોરને ટિકિટ આપી
Gujarat By Election: ભાજપે ગત ચૂંટણીમાં ગેનીબેન સામે હારેલા સ્વરુપજી ઠાકોરને ટિકિટ આપી
Watch: 'પૂરી દુનિયા ઇસ્લામ ન સ્વીકારે તો...', સાંસદ પપ્પુ યાદવનો વીડિયો વાયરલ
Watch: 'પૂરી દુનિયા ઇસ્લામ ન સ્વીકારે તો...', સાંસદ પપ્પુ યાદવનો વીડિયો વાયરલ
Nostradamus Predictions: નોસ્ટ્રેડમસની ઇસ્લામ ધર્મ અંગે મોટી ભવિષ્યવાણી, મુસ્લિમ જ બનશે મુસ્લિમનો દુશ્મન!
Nostradamus Predictions: નોસ્ટ્રેડમસની ઇસ્લામ ધર્મ અંગે મોટી ભવિષ્યવાણી, મુસ્લિમ જ બનશે મુસ્લિમનો દુશ્મન!
Somnath Buldozer Action: સોમનાથ બુલડોઝર કાર્યવાહીમાં મુસ્લિમ પક્ષને રાહત નથી, જાણો સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
Somnath Buldozer Action: સોમનાથ બુલડોઝર કાર્યવાહીમાં મુસ્લિમ પક્ષને રાહત નથી, જાણો સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
Embed widget