શોધખોળ કરો

Uttarakhand: મુકેશ અંબાણીએ બદ્રીનાથ-કેદારનાથ ધામ માટે ખોલ્યો ખજાનો, દર્શન બાદ આટલા કરોડનું કર્યું દાન

Uttarakhand: બદરી-કેદાર મંદિર સમિતિ (BKTC) ના પ્રમુખ અજેન્દ્ર અજયે શ્રી કેદારનાથ ધામમાં મુકેશ અંબાણીનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે મુકેશ અંબાણીના આવવાથી ધામનું મહત્વ વધુ વધી ગયું છે.

Mukesh Ambani Darshan Badrinath and Kedarnath: ભારતન પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી આજે (20 ઓક્ટોબર) ઉત્તરાખંડના બે મુખ્ય તીર્થસ્થળો શ્રી બદ્રીનાથ ધામ અને શ્રી કેદારનાથ ધામની મુલાકાત લીધી. તેમની ધાર્મિક યાત્રા દરમિયાન, તેમણે બંને ધામો માટે તેમની શ્રદ્ધા વ્યક્ત કરી અને 5 કરોડ રૂપિયાનું દાન કર્યું.

મુકેશ અંબાણીએ તેમની ધાર્મિક યાત્રા શ્રી બદ્રીનાથ ધામથી શરૂ કરી હતી, તેઓ આજે સવારે શ્રી બદ્રીનાથ મંદિર પહોંચ્યા હતા, જ્યાં મંદિરના પૂજારીઓ અને ભક્તોએ તેમનું સ્વાગત કર્યું હતું. શ્રી બદ્રીનાથ ધામ, જેને ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન માનવામાં આવે છે, તે દેશના સૌથી પ્રખ્યાત તીર્થસ્થળોમાંનું એક છે. આ ધામ ઉત્તરાખંડની ચાર ધામ યાત્રાનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને દર વર્ષે લાખો ભક્તો અહીં આવે છે. મુકેશ અંબાણીએ ધાર્મિક વિધિ કરી અને દેશની સમૃદ્ધિ, શાંતિ અને સુખ માટે ભગવાન બદ્રીવિશાલને પ્રાર્થના કરી.

શ્રી કેદારનાથ ધામના દર્શન કર્યા હતા

બદ્રીનાથ ધામની મુલાકાત લીધા બાદ મુકેશ અંબાણીએ શ્રી કેદારનાથ ધામની યાત્રા કરી હતી. શ્રી કેદારનાથ ધામ એ ભગવાન શિવનું મુખ્ય તીર્થસ્થાન છે અને ઉત્તરાખંડના ચાર ધામોમાંનું એક છે. આ ધામ હિમાલયની ઉંચાઈઓ પર આવેલું છે અને ધાર્મિક આસ્થા તેમજ કુદરતી સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. મુકેશ અંબાણીએ પણ અહીં ભગવાન શિવની પૂજા કરી હતી અને પવિત્ર સ્થળના ધાર્મિક મહત્વને નમન કર્યું હતું.

BKTC પ્રમુખે સ્વાગત કર્યું હતું

બદરી-કેદાર મંદિર સમિતિ (BKTC)ના પ્રમુખ અજેન્દ્ર અજયે શ્રી કેદારનાથ ધામમાં મુકેશ અંબાણીને આવકાર્યા. તેમણે કહ્યું કે મુકેશ અંબાણીના આવવાથી ધામનું મહત્વ વધુ વધી ગયું છે. તેમના પરિવાર વતી, અંબાણીએ બંને મંદિરોને 5 કરોડ રૂપિયાની રકમ દાનમાં આપી છે, જેનો ઉપયોગ મંદિરોના વિકાસ અને તેમની સુવિધાઓમાં સુધારો કરવા માટે કરવામાં આવશે. BKTC ચેરમેને અંબાણીના આ ઉદાર યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો અને તેને બંને તીર્થસ્થળોના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું.

યાત્રાળુઓ માટે અંબાણીનો ખાસ સંદેશ

મુકેશ અંબાણીની આ યાત્રા તેમની ઊંડી ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાને દર્શાવે છે. આ અવસર પર અંબાણીએ કહ્યું કે ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ધાર્મિક આસ્થા દેશની વાસ્તવિક તાકાત છે. તેમણે કહ્યું કે બદ્રીનાથ અને કેદારનાથ જેવા ધામો માત્ર ધાર્મિક સ્થળો જ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પ્રતીક પણ છે. તેમણે તમામ શ્રદ્ધાળુઓને આ યાત્રાધામોની પવિત્રતા જાળવવામાં સહકાર આપવા અપીલ પણ કરી હતી.

મંદિરોની વિકાસ યોજનાઓમાં ખર્ચ કરવામાં આવશે

મુકેશ અંબાણીએ આપેલી 5 કરોડ રૂપિયાની રકમ મંદિરોની વિકાસ યોજનાઓમાં ખર્ચવામાં આવશે. જેમાં ધામના પુનઃનિર્માણ, યાત્રાળુઓ માટેની સુવિધાઓમાં સુધારો, સુરક્ષા વ્યવસ્થા અને ધામની સ્વચ્છતા જાળવવાનું કામ સામેલ હશે. આ બંને ધામોની સમગ્ર વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો મુલાકાત લેતા હોય છે અને આ દાન યાત્રાળુઓને વધુ સારી સુવિધા પૂરી પાડવામાં મદદ કરશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
IND vs SA 2nd T20 Live Score: દક્ષિણ આફ્રિકાએ ભારતને 214 રનનો લક્ષ્યાંક આપ્યો, ડી કોકની શાનદાર ઈનિંગ
IND vs SA 2nd T20 Live Score: દક્ષિણ આફ્રિકાએ ભારતને 214 રનનો લક્ષ્યાંક આપ્યો, ડી કોકની શાનદાર ઈનિંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીન દબાવનાર ખેલાડીઓ કોણ?
Ganesh Jadeja Narco Test : 15મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે
SIR News : ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની કામગીરી માટેની સમય મર્યાદમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
IND vs SA 2nd T20 Live Score: દક્ષિણ આફ્રિકાએ ભારતને 214 રનનો લક્ષ્યાંક આપ્યો, ડી કોકની શાનદાર ઈનિંગ
IND vs SA 2nd T20 Live Score: દક્ષિણ આફ્રિકાએ ભારતને 214 રનનો લક્ષ્યાંક આપ્યો, ડી કોકની શાનદાર ઈનિંગ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Embed widget