શોધખોળ કરો

National Herald Case: સોનિયા ગાંધીની આજે પૂછપરછ પૂર્ણ, ઇડીએ ત્રણ દિવસમાં 11 કલાક કરી પૂછપરછ

નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આજની પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે

National Herald Case: નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આજની પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય એજન્સી EDએ આજે ​​લગભગ ત્રણ કલાક સુધી તેમની પૂછપરછ કરી હતી. તેઓને કોઈ નવું સમન્સ જાહેર કરવામાં આવ્યું નથી. સોનિયા ગાંધીની ત્રણ દિવસમાં 11 કલાક પૂછપરછ કરવામાં આવી છે.

75 વર્ષીય સોનિયા ગાંધીની ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા મંગળવારે છ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને આજે ફરીથી હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. આ પહેલા 21 જુલાઈના રોજ ED દ્વારા તેમની બે કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ તપાસ અખબાર 'નેશનલ હેરાલ્ડ'ની માલિકીની કંપની 'યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ'માં કથિત નાણાકીય ગેરરીતિઓના આરોપો સાથે સંબંધિત છે.

અધિકારીઓએ કહ્યું કે કોવિડ પ્રોટોકોલને અનુસરીને પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેનું ઓડિયો-વિડિયો માધ્યમ દ્વારા રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે તેના ટોચના નેતૃત્વ સામે એજન્સીની કાર્યવાહીની નિંદા કરી છે અને તેને "રાજકીય બદલો અને ઉત્પીડન" ગણાવી છે.

રાહુલ ગાંધીની પણ થઇ છે પૂછપરછ

આ કેસમાં ઈડીએ ગયા મહિને રાહુલ ગાંધીની પણ પૂછપરછ કરી હતી. પાંચ દિવસ સુધી તેની 50 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી. ઈડીએ ગયા વર્ષે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની ફોજદારી જોગવાઈઓ હેઠળ નવો કેસ નોંધ્યો હતો, જેના પગલે ગાંધી પરિવારની પૂછપરછ કરવામાં આવી હતી.

2013માં ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી અંગત ફોજદારી ફરિયાદના આધારે યંગ ઈન્ડિયન વિરુદ્ધ ઈન્કમટેક્સ વિભાગની તપાસની સંજ્ઞાન લીધા બાદ ઈડીએ આ કેસ નોંધ્યો હતો.

સોનિયા અને રાહુલ ગાંધી યંગ ઈન્ડિયનના પ્રમોટર અને બહુમતી શેરધારકોમાં સામેલ છે. તેમના પુત્રની જેમ કોંગ્રેસ અધ્યક્ષ પણ કંપનીમાં 38 ટકા હિસ્સો ધરાવે છે.

સ્વામીએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્યો પર છેતરપિંડી અને નાણાંની ઉચાપત કરવાના કાવતરાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે કોગ્રેસે યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડને 90.25 કરોડ રૂપિયાની વસૂલાતનો અધિકાર મેળવવા માટે ફક્ત 50 લાખ રૂપિયાની ચૂકવણી કરી હતી જે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) એ કોંગ્રેસને આપવાના હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય
PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ
241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
Embed widget