શોધખોળ કરો

પાકિસ્તાની ગુપ્તચર એજન્સીએ ગુજરાતમાં બિછાવી જાસુસીની જાળ, NIAની રેડમાં થયો ચોંકાવનારો ખુલાસો

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે ​​વિશાખાપટ્ટનમ, મુંબઈ અને ગુજરાતમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દ્વારા બિછાવેલા જાસૂસી ટ્રેપ રેકેટના સંબંધમાં ગુજરાત અને મહારાષ્ટ્રા અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે ​​વિશાખાપટ્ટનમ, મુંબઈ અને ગુજરાતમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દ્વારા બિછાવેલા જાસૂસી ટ્રેપ રેકેટના સંબંધમાં ગુજરાત અને મહારાષ્ટ્રા અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન અનેક ડિજિટલ ડિવાઈઝ, આપત્તિજનક દસ્તાવેજો અને સિમ કાર્ડ્સ મળી આવ્યા છે.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના એક અધિકારીએ જણાવ્યું કે આ મામલો આંધ્રપ્રદેશ કાઉન્ટર ઈન્ટેલિજન્સ વિજયવાડામાં નોંધવામાં આવ્યો હતો. બાદમાં આ કેસની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવી હતી. એજન્સીએ 23 ડિસેમ્બર 2021ના રોજ આ મામલે કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી હતી. આ કેસ અંગે એજન્સીના ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર, આ કેસમાં એવો આરોપ છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીએ તેના એજન્ટો દ્વારા ભારતમાં જાસૂસીની જાળ બિછાવવાનો પ્રયાસ કર્યો છે. આ માટે તેઓએ સંવેદનશીલ માહિતી એકઠી કરવા અને વિશાખાપટ્ટનમ, મુંબઈ અને ગુજરાતના ઘણા ભાગોમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવાનું કાવતરું ઘડ્યું છે.

જેમા તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ભારતીય મોબાઈલ ફોનના સિમકાર્ડનો ખુલ્લેઆમ જાસૂસી હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ સિમ કાર્ડની ગતિવિધિઓ તેમના પાકિસ્તાની હેન્ડલરો દ્વારા કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન એ વાત પણ સામે આવી છે કે પાકિસ્તાની એજન્ટો ભારતીય સંરક્ષણ સેવાઓ સાથે જોડાયેલા વધુને વધુ લોકોને આ જાળમાં ફસાવવા અને તેમના દ્વારા સંવેદનશીલ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ આજે ​​આ કેસમાં ગુજરાતના ગોધરા બુલઢાણા અને મહારાષ્ટ્રમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન, એજન્સીએ શંકાસ્પદ સિમ કાર્ડ, આપત્તિજનક દસ્તાવેજો અને કેટલાક ડિજિટલ ડિવાઈઝ જપ્ત કર્યા છે. એજન્સીનું કહેવું છે કે તપાસ બાદ આ મામલામાં કેટલાક લોકોની ધરપકડ થઈ શકે છે. આ મામલે તપાસ ચાલી રહી છે. આવનારા સમયમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે! પુતિને શાંતિ માટે આ શરતો રાખી, શું ઝેલેન્સકી સ્વીકારશે?
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે! પુતિને શાંતિ માટે આ શરતો રાખી, શું ઝેલેન્સકી સ્વીકારશે?
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
Advertisement
metaverse

વિડિઓઝ

School Van Strike | મંગળવારથી સ્કૂલ વાહનોની હડતાળની જાહેરાત | વાલી માટે ચિંતાજનક સમાચારShaktisinh Gohil | શક્તિસિંહના ગંભીર આરોપ | મોબાઇલનું કેલ્ક્યુલેટર નાનું પડે એટલો ભ્રષ્ટાચારGadhada Swaminarayan Mandir Controversy | લંપટ સાધુને ભગાવો... ગઢડામાં હરિભક્તોનો હલ્લાબોલSwaminarayan Gurukul News | 2 સ્વામિનારાય સંતો પર મહિલા સાથે દુષ્કર્મના આરોપથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે! પુતિને શાંતિ માટે આ શરતો રાખી, શું ઝેલેન્સકી સ્વીકારશે?
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થઈ શકે છે! પુતિને શાંતિ માટે આ શરતો રાખી, શું ઝેલેન્સકી સ્વીકારશે?
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
ફટાફટ કરો, સરકારી બેંકોમાં 13,000 થી વધુ પોસ્ટ પર ભરતી ચાલી રહી છે, જાણો અરજીની તમામ વિગતો
ફટાફટ કરો, સરકારી બેંકોમાં 13,000 થી વધુ પોસ્ટ પર ભરતી ચાલી રહી છે, જાણો અરજીની તમામ વિગતો
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
આયુષ્માન કાર્ડ પર હોસ્પિટલ મફત સારવાર આપવાનો ઇનકાર કરે તો આ નંબર પર કરો ફરિયાદ, તરત જ સમસ્યાનો ઉકેલ આવી જશે
આયુષ્માન કાર્ડ પર હોસ્પિટલ મફત સારવાર આપવાનો ઇનકાર કરે તો આ નંબર પર કરો ફરિયાદ, તરત જ સમસ્યાનો ઉકેલ આવી જશે
EPFOએ પેન્શન, PF અને ઈન્સ્યોરન્સ સ્કીમનાં નિયમોમાં બદલ્યા, હવે ઓછો લાગશે દંડ... જાણો કોને થશે અસર
EPFOએ પેન્શન, PF અને ઈન્સ્યોરન્સ સ્કીમનાં નિયમોમાં બદલ્યા, હવે ઓછો લાગશે દંડ... જાણો કોને થશે અસર
Embed widget