Odisha Train Accident Live Updates: ઓરિસ્સામાં ટ્રેન અકસ્માતમાં 50થી વધુ મુસાફરોના મોત, 350થી વધુ લોકો ઈજાગ્રસ્ત
ઓરિસ્સાના બાલાસોરમાં બહાનાગા રેલ્વે સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 50થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે.

Background
ઓરિસ્સાના બાલાસોરમાં બહાનાગા રેલ્વે સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 50થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે. જ્યારે 200થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. ઓરિસ્સાના મુખ્ય સચિવે જણાવ્યું કે 132 ઘાયલ મુસાફરોને સોરો અને ગોપાલપુર સીએચસીમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ મુસાફરોને સઘન સારવાર માટે રીફર કરવામાં આવશે.
બચાવ કામગીરી માટે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. SDRFની ટીમો પણ સ્થળ પર હાજર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર કોરોમંડલ એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. તેમણે કહ્યું કે આ દુર્ઘટના બહાનાગા બજાર સ્ટેશન પાસે સાંજે લગભગ 7.20 વાગ્યે થઈ હતી.
વિશેષ રાહત કમિશનરના કાર્યાલયે જણાવ્યું હતું કે બાલાસોરના કલેક્ટરને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરવા માટે સ્થળ પર પહોંચવા અને રાજ્ય સ્તરેથી કોઈ વધારાની મદદની જરૂર હોય તો SRCને જાણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દુઃખ વ્યક્ત કર્યું છે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ઓરિસ્સામાં આ દર્દનાક ટ્રેન દુર્ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ છે. આ દુ:ખદ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. ભગવાન દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે અને તેમના પરિવારજનોને આ મુશ્કેલ સમયમાં હિંમત આપે.





















