શોધખોળ કરો
સાર્કમાં ભાગ નહિ લે, અન્ય ત્રણ દેશોએ પણ કર્યો ઈન્કાર, જાણો કોણે આપ્યુ ભારતને સમર્થન

નવી દિલ્લી: પાકિસ્તાનને વધુ એક ઝટકો આપતા પીએમ મોદીએ મંગળવારે રાત્રે નિર્ણય લીધો કે તે ઈસ્લામાબાદમાં નવેમ્બરમાં થનારા સાર્ક સમ્મેલનમાં ભાગ લેશે નહિ. આ પછી આઠ સભ્યોના સમૂહમાંથી ત્રણ અનેય દેશોએ પણ સમ્મેલનથી અલગ રહેવાનો નિર્ણય લીધો છે. ભારતના સમર્થનમાં બાંગ્લાદેશ, ભૂટાન અને અફગાનિસ્તાને સમ્મેલનમાં ભાગ લેશે નહિ. આતંકવાદના મુદ્દે નેપાળ પણ ભારત સાથે છે અને પાકિસ્તાનને નીતિ સ્પષ્ટ કરવા કહ્યું છે. પાકિસ્તાન દ્વારા ભારત વિરૂદ્ધ સીમા પર આતંકવાદ ચાલુ રાખ્યો હોવાથી સરકારે જાહેરાત કરી હતી કે હાલની પરિસ્થિતિ જોતા ભારત સરકાર ઈસ્લામાબાદમાં થનારા શિખર સંમેલનમાં ભાગ લેશે નહિ. હવે આ સંમેલનને રદ કરવું પડશે કેમકે નિયમ મુજબ કોઈ પણ એક શાસન પ્રમુખ અનુપસ્થિત રહે તો આ સંમેલન થઈ શકે નહિ.
વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું કે ભારતે હાલના અધ્યક્ષ નેપાલને આ અંગે જાણકારી આપી છે કે ક્ષેત્રમાં સીમાપાર આતંકી હુમલાઓ વધવા અને એક દેશ દ્વારા સભ્ય દેશોના આંતરિક મામલામાં હસ્તક્ષેપ વધવાથી એવું વાતાવરણ ઉભુ થયું છે કે આ સંમેલનનું સફળ આયોજન અનુકૂળ નથી.
વધુ વાંચો























