શોધખોળ કરો

Pakistan: પાકિસ્તાનના નવા આર્મી ચીફ અસીમ મુનીરે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું ઝેર, જાણો શું કહ્યું

Pakistan General Asim Munir: પાકિસ્તાનના નવ નિયુક્ત આર્મી ચીફ (COAS) જનરલ અસીમ મુનીરે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. શનિવાર (3 ડિસેમ્બર) ના રોજ એક ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે.

Pakistan General Asim Munir: પાકિસ્તાનના નવ નિયુક્ત આર્મી ચીફ (COAS) જનરલ અસીમ મુનીરે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. શનિવાર (3 ડિસેમ્બર) ના રોજ એક ઉશ્કેરણીજનક નિવેદન આપતા, જનરલ અસીમ મુનીરે કહ્યું કે ભારત તેની નાપાક યોજનાઓમાં ક્યારેય સફળ થશે નહીં અને કોઈપણ દુ:સાહસનો યોગ્ય જવાબ આપવામાં આવશે. પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ અનુસાર, સેના પ્રમુખે શનિવારે નિયંત્રણ રેખા (એલઓસી) ના રખચિકરી સેક્ટરમાં સરહદી વિસ્તારોની મુલાકાત લીધી અને સૈનિકો સાથે વાતચીત દરમિયાન આ ટિપ્પણી કરી.

જનરલ અસીમ મુનીરને એલઓસી પરની નવીનતમ સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓ અને સૈનિકો સાથે વાર્તાલાપ કરતા આર્મી ચીફે પડકારજનક પરિસ્થિતિઓમાં તેમની ફરજો નિભાવવા બદલ સૈનિકોની પ્રશંસા કરી

પાકિસ્તાનના નવા આર્મી ચીફે શું કહ્યું?

જનરલ આસીમે કહ્યું કે તેમણે તાજેતરમાં ગિલગિટ, બાલ્ટિસ્તાન અને આઝાદ જમ્મુ-કાશ્મીર પર ભારતીય નેતૃત્વના બેજવાબદાર નિવેદનોની નોંધ લીધી છે. COASએ કહ્યું કે હું સ્પષ્ટ કરી દઉં કે પાકિસ્તાનની સશસ્ત્ર દળો માત્ર આપણી માતૃભૂમિની દરેક ઈંચની રક્ષા કરવા માટે જ નહીં પરંતુ દુશ્મનો સાથે કોઈપણ યુદ્ધ લડવા માટે પણ તૈયાર છે.

કમર જાવેદ બાજવાની જગ્યા લીધી

તેમણે કહ્યું કે ભારત તેની નાપાક યોજનાઓને ક્યારેય પૂર્ણ કરી શકશે નહીં. વિશ્વએ ન્યાય સુનિશ્ચિત કરવો જોઈએ અને યુએનના ઠરાવ મુજબ કાશ્મીરી લોકોને આપેલા વચનને પૂર્ણ કરવું જોઈએ. આ પહેલા આર્મી ચીફનું તેમના આગમન પર કોર્પ્સ કમાન્ડર રાવલપિંડી લેફ્ટનન્ટ જનરલ શાહિદ ઈમ્તિયાઝે સ્વાગત કર્યું હતું. આઈએસઆઈના ભૂતપૂર્વ વડા જનરલ અસીમ મુનીરે જનરલ કમર જાવેદ બાજવાનું સ્થાન લીધું છે. જેઓ પાકિસ્તાનના આર્મી ચીફ તરીકે સેવા આપ્યા બાદ 29 નવેમ્બરે નિવૃત્ત થયા હતા.

મલાડમાં બહુમાળી ઈમારતમાં લાગી ભીષણ આગ

મુંબઈના મલાડ વિસ્તારમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં સ્થિત એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ બિલ્ડિંગના ત્રીજા માળે લાગી છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના મલાડ વિસ્તારના જનકલ્યાણ નગર વિસ્તારમાં આવેલી એક ઈમારતમાં આજે આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ મિનિટોમાં કાબુમાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે આગની ઘટના શનિવારે સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી. મુંબઈના ઉપનગર મલાડમાં 22 માળની ઈમારતમાં બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જનકલ્યાણનગરમાં મરિના એન્ક્લેવના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આ ફ્લોરમાંથી જ્વાળાઓ નીકળવા લાગી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા અને માત્ર 15 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. આ પછી જ વિગતવાર વર્ણન આપવામાં આવશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Embed widget