શોધખોળ કરો

નોટબંધી, GST સહિત આ યોજનાની જ્યારે થશે વાત, લોકો અરૂણ જેટલીને કરશે યાદ, જાણો વિગતે

લાંબી બિમારી બાદ ભૂતપૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીએ આજે બપોરે 12:07 મીનિટે અંતિમ શ્વાસ લીધા હતાં. છેલ્લા ઘણાં દિવસોથી અરૂણ જેટલીની એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી.

નવી દિલ્હી: લાંબી બિમારી બાદ ભૂતપૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીએ આજે બપોરે 66 વર્ષની વયે 12:07 મીનિટે અંતિમ શ્વાસ લીધા હતાં. છેલ્લા ઘણાં દિવસોથી અરૂણ જેટલીની એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી. મોદી સરકારના પ્રથણ કાર્યકાળમાં તેઓ વડાપ્રધાનના સૌથી નજીક અને ભરોસાપાત્ર વ્યક્તિ હતા. નોટબંધી, GST સહિત આ યોજનાની જ્યારે થશે વાત, લોકો અરૂણ જેટલીને કરશે યાદ, જાણો વિગતે નોટબંધીઃ પ્રધાનમંત્રી મોદીએ 8 નવેમ્બપ, 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરીને 1000 અને 500 રૂપિયાની ચલણી નોટ રદ કરી દીધી હતી. મોદી સરકારના આ ફેંસલાને કેન્દ્રીય રિઝર્વ બેંકે માત્ર 4 કલાક પહેલા જ મંજૂરી આપી હતી. પૂરી રણનીતિ ગુપ્ત રાખવા નાણામંત્રી જેટલીની મુખ્ય ભૂમિકા હતી. નોટબંધીના કારણે દેશના કરોડો લોકો હેરાન થયા હતા અને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો. નોટબંધી, GST સહિત આ યોજનાની જ્યારે થશે વાત, લોકો અરૂણ જેટલીને કરશે યાદ, જાણો વિગતે GST: જીએસટી લાગુ કરવાનો ફેંસલો સરળ નહોતો. અગાઉની સરકારોએ જીએસટી પર માત્ર ચર્ચા કરી હતી પરંતુ જેટલી હિંમત દર્શાવી તેને લાગુ કર્યો. આ પહેલા 1991માં અર્થતંત્રને લઈ ઉદારીકરણનો મોટો ફેંસલો લેવામાં આવ્યો હતો. જીએસટી નાણાકીય ક્ષેત્રમાં સુધારાને લઈ સૌથી મોટું પગલું છે. જેને લાગુ કરવાને લઈ અરૂણ જેટલીને હંમેશા યાદ કરવામાં આવશે. નોટબંધી, GST સહિત આ યોજનાની જ્યારે થશે વાત, લોકો અરૂણ જેટલીને કરશે યાદ, જાણો વિગતે જનધન યોજનાઃ પ્રધાનમંત્રી જનધન યોજનાના કારણે આજે દેશમાં 35.59 કરોડથી વધારે લોકોના ખાતા ખુલ્યા છે. મોદી સરકારે આ યોજનાની શરૂઆત 2014માં કરી હતી અને તેને સફળ બનાવવામાં જેટલીનું મહત્વનું યોગદાન છે. જેટલીને સફળ રણનીતિના કારણે આજે મોદી સરકારે તેને યોજનાની મોટી ઉપલબ્ધી ગણાવે છે. નોટબંધી, GST સહિત આ યોજનાની જ્યારે થશે વાત, લોકો અરૂણ જેટલીને કરશે યાદ, જાણો વિગતે આયુષ્માન ભારતઃ મોદી સરકાર આયુષ્માન ભારત યોજનાને મોટી સફળતા ગણાવે છે. સમગ્ર વિશ્વમાં તેની પ્રશંસા થઈ રહી છે. જેટલીએ 2018-19નું બજેટ રજૂ કરતી વખતે આ યોજનાની શરૂઆત કરાવી હતી. આ યોજનાએ 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે સંજીવનીનું કામ કર્યું. યોજના અંતર્ગત આવતા પરિવોને 5 લાખ રૂપિયાનો કેશલેસ વીમો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ યોજના લાગુ કરવામાં જેટલીની મોટી ભૂમિકા હતી. નોટબંધી, GST સહિત આ યોજનાની જ્યારે થશે વાત, લોકો અરૂણ જેટલીને કરશે યાદ, જાણો વિગતે સુકન્યા સમૃદ્ધિ યોજનાઃ જેટલીએ બજેટમાં કહ્યું હતું કે, જાન્યુઆરી 2015માં શરૂ કરવામાં આવેલી સુકન્યા સમૃદ્ધિ યોજના ઘણી સફળ રહી છે. મોદી સરકારની આ યોજનાને ગરીબ પરિવારોએ હોંશે હોંશે સ્વીકારી. આઝે પણ લોકો તેમની દીકરીના ભવિષ્ય માટે આ યોજના સાથે જોડાય છે. આ યોજનાને બેટી બચાવો-બેટી પઢાઓ યોજના અંતર્ગત લોન્ચ કરવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ તેમની 10 વર્ષથી નાની થોકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત માત્ર રૂપિયા 250 જમા કરાવીને એકાઉન્ટ ખોલાવી શકે છે. જ્યારે પણ સુકન્યા સમૃદ્ધિ યોજનાની વાત થશે ત્યારે જેટલીને યાદ કરાશે. અરૂણ જેટલીનું ગુજરાત સાથે છે આ ખાસ કનેકશન, જાણો વિગતે લાંબી બિમારી બાદ મોદી સરકારના પૂર્વ નાણાં મંત્રી અરૂણ જેટલીએ લીધા અંતિમ શ્વાસ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Embed widget