શોધખોળ કરો

PM Modi : ફ્રાંસ જતા પહેલા જ PM મોદી આક્રમક, UNSCને લઈ માર્યો જોરદાર ટોણો

અત્યાર સુધી અમેરિકા, ફ્રાન્સ, રશિયા, ચીન અને બ્રિટન તેના કાયમી સભ્યો છે અને તેઓ P5 તરીકે ઓળખાય છે. જોકે, ભારતને સંગઠનના અસ્થાયી સભ્ય તરીકે કેટલાક પ્રસંગોએ નેતૃત્વ કરવાની તક મળી છે.

PM Modi On UNSC : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફ્રાન્સ પ્રવાસ શરૂ થઈ ગયો છે. આ પ્રવાસ પહેલા તેમણે ફ્રેન્ચ અખબાર લેસ ઇકોસને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતની કાયમી સભ્યપદનો ઉલ્લેખ કર્યો છે. તેમના આ નિવેદનથી સુરક્ષા પરિષદમાં ભારતના દાવા પર ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી અમેરિકા, ફ્રાન્સ, રશિયા, ચીન અને બ્રિટન તેના કાયમી સભ્યો છે અને તેઓ P5 તરીકે ઓળખાય છે. જોકે, ભારતને સંગઠનના અસ્થાયી સભ્ય તરીકે કેટલાક પ્રસંગોએ નેતૃત્વ કરવાની તક મળી છે.

પીએમ મોદીએ સવાલ ઉઠાવ્યો હતો

પીએમ મોદીએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'આપણે કેવી રીતે કહી શકીએ કે તે વૈશ્વિક સંસ્થાનો પ્રાથમિક ભાગ છે જ્યારે આફ્રિકા અને લેટિન અમેરિકાના સમગ્ર મહાદ્વીપની અવગણના કરવામાં આવી છે? જ્યારે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ અને સૌથી મોટી લોકશાહી કાયમી સભ્ય નથી ત્યારે આ સંસ્થા કેવી રીતે દાવો કરી શકે કે તે વિશ્વ માટે બોલે છે?'

પીએમ મોદીએ કહ્યું હતું કે, યુએનએસસીનું 'વિરોધી સભ્યપદ' અપારદર્શક નિર્ણય લેવાની પ્રક્રિયા તરફ દોરી જાય છે. જેના કારણે તે આજના પડકારોનો સામનો કરવામાં લાચાર છે. આ પહેલા પણ પીએમ મોદીએ UNSCમાં ભારતની સ્થાયી સભ્યપદ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગ્લોબલ સાઉથના અધિકારો લાંબા સમયથી નકારી રહ્યા છે. જેના કારણે ગ્લોબલ સાઉથના સભ્યોમાં કચવાટનો માહોલ છે.

UNSC શું છે? 

UNSCએ આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સુરક્ષા જાળવવા માટે જવાબદાર સંસ્થા છે. યુએનની વેબસાઈટ અનુસાર, સુરક્ષા પરિષદ એ આક્રમકતા અથવા શાંતિ માટે જોખમી કૃત્યનું અસ્તિત્વ નક્કી કરવામાં અગ્રણી સંસ્થા છે. આ એ સંસ્થા છે જે વિવાદમાં સામેલ પક્ષકારોને શાંતિપૂર્ણ માધ્યમથી સમાધાન કરવા અપીલ કરે છે. કેટલાક કિસ્સાઓમાં સુરક્ષા પરિષદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવા અથવા પુનઃસ્થાપિત કરવા માટે પ્રતિબંધો લાદવાનો પણ આશરો લઈ શકે છે. UNSCમાં 15 સભ્યો છે, જેમાંથી પાંચ કાયમી છે અને બાકીના અસ્થાયી છે.

ભારતને કેટલી વાર તક મળી

કાયમી સભ્યોને P5 તરીકે ઓળખવામાં આવે છે. આ સભ્યો અમેરિકા, યુકે, ચીન, ફ્રાન્સ અને રશિયા છે. યુએનએસસીના અસ્થાયી સભ્યો બે વર્ષની મુદત માટે સામાન્ય સભા દ્વારા ચૂંટાય છે. ભારત હાલમાં તેનું કાયમી સભ્ય નથી. પરંતુ 1950-1951, 1967-1968, 1972-1973, 1977-1978, 1984-1985, 1991-1992, 2011-2012 અને 2021માં ભારતને અનેક અવસરે અસ્થાયી સભ્યપદની તક મળી છે. UNSCના અસ્થાયી સભ્ય તરીકે ભારતનો વર્તમાન બે વર્ષનો કાર્યકાળ જાન્યુઆરી 2021માં શરૂ થયો અને ડિસેમ્બર 2022માં સમાપ્ત થયો. જૂન 2020ની ચૂંટણીમાં ભારતને 192માંથી 184 મત મળ્યા હતા.

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
Embed widget