શોધખોળ કરો

PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન

PM Modi Rajya Sabha Speech: 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂને શરૂ થયું હતું. જો કે આ દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી ચાલુ રહેવાની છે

LIVE

Key Events
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન

Background

Parliament Session 2024 Live Updates: રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પસાર થયા પછી અઢારમી લોકસભાના પ્રથમ સત્રની બેઠક અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂને શરૂ થયું હતું. જો કે આ દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી ચાલુ રહેવાની છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આ સત્રમાં ગૃહની સાત બેઠકો થઈ હતી જે લગભગ 34 કલાક સુધી ચાલી હતી અને તેની કાર્ય ઉત્પાદકતા લગભગ 103 ટકા હતી.

લોકસભા અધ્યક્ષે કહ્યું કે આભાર પ્રસ્તાવ પર 18 કલાક સુધી ચર્ચા ચાલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (2 જુલાઈ) વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે તેમના માટે ચાઇલ્ડ ઇન્ટેલિજન્સ શબ્દનો ઉપયોગ કર્યો હતો. પીએમ મોદીએ લોકસભામાં કોંગ્રેસના નેતા પર હિન્દુઓને હિંસા સાથે જોડવાનો અને ખોટા દાવા કરવાનો આરોપ લગાવ્યો અને સંસદીય લોકશાહીની સુરક્ષા માટે તેમની સામે કડક કાર્યવાહી કરવાની હાકલ કરી. પીએમ મોદીએ લોકસભામાં લગભગ 2 કલાક સુધી ભાષણ આપ્યું.

રાજ્યસભામાં અનેક વિપક્ષી દળોએ દેશમાં વિવિધ પરીક્ષાઓના પ્રશ્નપત્ર લીક થવાના વધતા જતા મામલા, રાજ્યો સાથે કરવામાં આવતા ભેદભાવ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓને હથિયાર બનાવા મુદ્દે ચર્ચા કરી હતી. તૃણમૂલ કોંગ્રેસના મોહમ્મદ નદીમુલ હકે કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનમાં એક શબ્દ ખૂટે છે અને તે શબ્દ છે 'ગઠબંધન'. રાષ્ટ્રપતિના અભિભાષણને લઈને વિપક્ષી સાંસદોએ પોતાના વિચારો રજૂ કર્યા, પરંતુ આ દરમિયાન તેઓએ સરકાર પર નિશાન સાધ્યું હતું.

15:27 PM (IST)  •  03 Jul 2024

Parliament Session News: મણિપુરમાં સંઘર્ષનો લાંબો ઈતિહાસ, 10 વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું - PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે મણિપુરમાં સામાજિક સંઘર્ષનો લાંબો ઈતિહાસ છે. કોંગ્રેસના લોકોએ એ ન ભૂલવું જોઈએ કે આ કારણે ત્યાં 10 વખત રાષ્ટ્રપતિ શાસન લગાવવું પડ્યું હતું. અમારા કાર્યકાળમાં આવું બન્યું નથી, પરંતુ તેમ છતાં રાજકીય લાભ લેવા માટે આવી વાતો કરવામાં આવી રહી છે.

15:27 PM (IST)  •  03 Jul 2024

Parliament Session News: મણિપુર પૂરમાં પણ મદદ મોકલવામાં આવી રહી છે - PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો દરેક સાથે વાત કરીને શાંતિ અને સૌહાર્દનો માર્ગ ખોલવાના સતત પ્રયાસો કરી રહી છે. અગાઉની સરકારોમાં આવું બન્યું ન હતું. ગૃહમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી ત્યાં રહ્યા છે. ત્યાં જઈને લોકોને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકારી અધિકારીઓ ત્યાં જઈને સમસ્યાનો ઉકેલ લાવી રહ્યા છે. પૂરને પહોંચી વળવા NDRFની ટીમો મણિપુર પહોંચી ગઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ કુદરતી આફતોમાં સાથે મળીને મદદ કરી રહી છે.

15:26 PM (IST)  •  03 Jul 2024

Parliament Session News: પૂર્વોત્તરમાં શાંતિ માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા - PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર મણિપુરમાં સ્થિતિને સામાન્ય બનાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. મણિપુરમાં 11 હજાર FIR દાખલ કરવામાં આવી છે. 500 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આપણે સ્વીકારવું પડશે કે મણિપુરમાં હિંસાની ઘટનાઓમાં સતત ઘટાડો થયો છે. આનો અર્થ એ છે કે શાંતિમાં વિશ્વાસ રાખવાનું શક્ય બની રહ્યું છે. આજે મણિપુરના મોટાભાગના વિસ્તારોમાં શાળાઓ, કોલેજો અને ઓફિસો ખુલી રહી છે. જેમ દેશના અન્ય ભાગોમાં પરીક્ષાઓ લેવામાં આવી છે, તેવી જ રીતે તે ત્યાં પણ લેવામાં આવી છે.

15:26 PM (IST)  •  03 Jul 2024

Parliament Session News: દેશવાસીઓએ અમને બંધારણની રક્ષા માટે ચૂંટ્યા - PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે જો આ ચૂંટણી બંધારણ બચાવવાની હોય તો લોકોએ 1977માં અમને ચૂંટીને બંધારણને બચાવ્યું હતું. 1977ની ચૂંટણીએ બતાવ્યું હતું કે કેવી રીતે ભારતના લોકોની નસોમાં લોકશાહી જીવંત છે. દેશની જનતાએ તે સમયે સત્તામાં રહેલા લોકોને જડમૂળથી ઉખેડી નાખ્યા હતા. આ વખતે જો બંધારણની રક્ષા માટે ચૂંટણી હતી અને દેશવાસીઓએ અમને તેના માટે લાયક ગણ્યા છે.

15:26 PM (IST)  •  03 Jul 2024

Parliament Session Live: કોંગ્રેસની SC-ST-OBC વિરોધી માનસિકતા- PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે લોકસભા ચૂંટણીમાં સ્પીકરની ચૂંટણીના મુદ્દે દલિતને પણ આગળ કરવામાં આવ્યા હતા. હાર તો હતી પરંતુ બલિ ચઢાવવા માટે એક દલિતને આગળ કરવામાં આવ્યા. તેઓ જાણતા હતા કે તેમનો પરાજય થવાનો છે, પણ તેમણે આગળ કર્યા અને તેમને હરાવી દીધા હતા. 2022માં ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિની ચૂંટણી હતી. સુશીલ કુમાર શિંદેને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે આગળ કરવામાં આવ્યા હતા અને તેઓ પણ હાર્યા હતા. 2017માં પણ હાર નિશ્ચિત હતી તેથી તેમણે મીરા કુમારને આગળ કર્યા. કોંગ્રેસ SC-ST-OBC વિરોધી માનસિકતા ધરાવે છે. આ કારણે તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અપમાન કર્યું. આ માનસિકતાને કારણે તેઓએ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિનો પણ વિરોધ કર્યો અને તેમનું અપમાન કર્યું.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
હાર્દિક પંડ્યાએ પુત્ર સાથે મનાવ્યો T20 World Cup જીતનો જશ્ન, નતાશા નજરે ન પડતાં ફેન્સે કહ્યું...
હાર્દિક પંડ્યાએ પુત્ર સાથે મનાવ્યો T20 World Cup જીતનો જશ્ન, નતાશા નજરે ન પડતાં ફેન્સે કહ્યું...
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
Embed widget