શોધખોળ કરો

PM Modi Security Breach: PM મોદીની સુરક્ષામાં ખામી મામલે પંજાબ પોલીસના અધિકારીઓ પર કાર્યવાહી, તત્કાલિન DGP, DIG અને SSP પર એક્શનના આદેશ

પીએમની સુરક્ષામાં ખામી મામલાની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે નિવૃત્ત જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાના નેતૃત્વમાં 5 સભ્યોની એક સમિતિની રચના કરી હતી.

PM Modi Security Breach: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામીને લઈને પંજાબ સરકારે મોટી કાર્યવાહી કરી છે. સરકારે તત્કાલીન ડીજીપી સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાય, ફિરોઝપુરના તત્કાલિન ડીઆઈજી ઈન્દ્રબીર સિંહ, તત્કાલિન એસએસપી હરમનદીપ હંસ સામે કડક ખાતાકીય કાર્યવાહીના આદેશ આપ્યો છે. આ સાથે પંજાબના અન્ય ઘણા આઈપીએસ અધિકારીઓ સામે પણ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.

સરકારે તત્કાલીન એડીજીપી લો એન્ડ ઓર્ડર નરેશ અરોરા, તત્કાલીન એડીજીપી સાયબર ક્રાઈમ જી નાગેશ્વર રાવ, તત્કાલીન આઈજીપી પટિયાલા રેન્જ મુખવિંદર સિંહ, તત્કાલીન આઈજી કાઉન્ટર ઈન્ટેલિજન્સ રાકેશ અગ્રવાલ, તત્કાલીન ડીઆઈજી ફરીદકોટ સુરજીત સિંહ અને તત્કાલીન એસએસપી મોગા ચરણજીત સિંહને પૂછ્યું છે કે તપાસ સમિતિની ભલામણ મુજબ તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી શા માટે શરૂ ન કરવી જોઈએ?

શું હતું રિપોર્ટમાં?

પીએમની સુરક્ષામાં ખામી મામલાની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે નિવૃત્ત જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાના નેતૃત્વમાં 5 સભ્યોની એક સમિતિની રચના કરી હતી. 6 મહિના પહેલા રજૂ કરાયેલ તપાસ સમિતિના આ અહેવાલમાં પીએમની સુરક્ષામાં ખામી માટે રાજ્યના તત્કાલિન મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારી, પોલીસ વડા એસ ચટ્ટોપાધ્યાય અને અન્ય ઉચ્ચ અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. જેના પગલે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ પંજાબના મુખ્ય સચિવ વિજય કુમાર જંજુઆને કાર્યવાહીનો અહેવાલ સોંપવા જણાવ્યું હતું.

આ અહેવાલમાં પંજાબ પોલીસ અધિકારીઓ પર બેદરકારીભર્યા વલણનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને આ ઘટનાને આયોજન અને સંકલનમાં મોટી નિષ્ફળતા તરીકે વર્ણવવામાં આવી હતી. જે સમયે પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં ખામીનો મામલો સામે આવ્યો હતો, તે સમયે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી અને ચરણજીત સિંહ ચન્ની મુખ્યમંત્રી હતા.

શું છે કેસ?

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 જાન્યુઆરી 2022ના રોજ પંજાબની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ફિરોઝપુરમાં પીએમ મોદીના કાફલાને એક ગામમાં પુલ પર ખેડૂતોએ રોકી દીધો હતો. આ પછી પીએમને પોતાનો કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો અને તેઓ દિલ્હી પાછા ફર્યા હતા. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી ગયો અને તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Punjab: સરહદે હલચલ તેજ-જવાનોના ધાડા ઉતારાયા-ગામડાઓના રસ્તાઓ સીલ, જાણો કેમ?

India-Pakistan Border in Punjab : વિવાદાસ્પદ ખાલિસ્તાન સમર્થન અમૃતપાલ સિંહને ઝડપી પાડવા પોલીસ ભારે મથામણ કરી રહી છે. પરંતુ હજી સુધી તે પોલીસની પકડથી દૂર છે. હવે અમૃતપાલ સિંહને લઈને દેશની સરહદ પણ હલચલ વધી જવા પામી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) અને સૈન્ય પણ સાબદુ બની ગયું છે. આ અગાઉ અમૃતપાલ સિંહના 6 સાથીદારોને પંજાબથી અન્યત્ર લઈ જવા માટે ભારતીય વાયુદળના પ્લેનની મદદ લેવામાં આવી હતી. આમ અમૃતપાલના કારણે એસફોર્સ બાદ હવે સૈન્ય અને સુરક્ષા દળો પણ સાબદા બન્યા છે. સરહદે જવાનોની સંખ્યા વધારી દેવામાં આવી છે.

અમૃતપાલ સિંહને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, તે દેશની સરહદ ઓળંગીને પાકિસ્તાન જવાની ફિરાકમાં હોઈ શકે છે. તેથી પોલીસે પંજાબના ગામડાઓથી ભારત-પાકિસ્તાન સરહદ તરફ જતા તમામ રસ્તાઓને સીલ કરી દેવામાં આવ્યા છે. સરહદને અડીને આવેલા ગામોના ગ્રામજનોને એવી પણ અપીલ કરવામાં આવી છે કે, જો ગામડાઓમાં કોઈ બહારની વ્યક્તિ દેખાય તો તેઓ તાત્કાલિક બીએસએફ અને પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવે. હુસૈનીવાલા બોર્ડર, મમદોટ અને ફાઝિલ્કા ઉપરાંત અમૃતસર બોર્ડર પર સુરક્ષા જવાનો તૈનાત છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget