શોધખોળ કરો

PM Modi Security Breach: PM મોદીની સુરક્ષામાં ખામી મામલે પંજાબ પોલીસના અધિકારીઓ પર કાર્યવાહી, તત્કાલિન DGP, DIG અને SSP પર એક્શનના આદેશ

પીએમની સુરક્ષામાં ખામી મામલાની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે નિવૃત્ત જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાના નેતૃત્વમાં 5 સભ્યોની એક સમિતિની રચના કરી હતી.

PM Modi Security Breach: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામીને લઈને પંજાબ સરકારે મોટી કાર્યવાહી કરી છે. સરકારે તત્કાલીન ડીજીપી સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાય, ફિરોઝપુરના તત્કાલિન ડીઆઈજી ઈન્દ્રબીર સિંહ, તત્કાલિન એસએસપી હરમનદીપ હંસ સામે કડક ખાતાકીય કાર્યવાહીના આદેશ આપ્યો છે. આ સાથે પંજાબના અન્ય ઘણા આઈપીએસ અધિકારીઓ સામે પણ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.

સરકારે તત્કાલીન એડીજીપી લો એન્ડ ઓર્ડર નરેશ અરોરા, તત્કાલીન એડીજીપી સાયબર ક્રાઈમ જી નાગેશ્વર રાવ, તત્કાલીન આઈજીપી પટિયાલા રેન્જ મુખવિંદર સિંહ, તત્કાલીન આઈજી કાઉન્ટર ઈન્ટેલિજન્સ રાકેશ અગ્રવાલ, તત્કાલીન ડીઆઈજી ફરીદકોટ સુરજીત સિંહ અને તત્કાલીન એસએસપી મોગા ચરણજીત સિંહને પૂછ્યું છે કે તપાસ સમિતિની ભલામણ મુજબ તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી શા માટે શરૂ ન કરવી જોઈએ?

શું હતું રિપોર્ટમાં?

પીએમની સુરક્ષામાં ખામી મામલાની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે નિવૃત્ત જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાના નેતૃત્વમાં 5 સભ્યોની એક સમિતિની રચના કરી હતી. 6 મહિના પહેલા રજૂ કરાયેલ તપાસ સમિતિના આ અહેવાલમાં પીએમની સુરક્ષામાં ખામી માટે રાજ્યના તત્કાલિન મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારી, પોલીસ વડા એસ ચટ્ટોપાધ્યાય અને અન્ય ઉચ્ચ અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. જેના પગલે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ પંજાબના મુખ્ય સચિવ વિજય કુમાર જંજુઆને કાર્યવાહીનો અહેવાલ સોંપવા જણાવ્યું હતું.

આ અહેવાલમાં પંજાબ પોલીસ અધિકારીઓ પર બેદરકારીભર્યા વલણનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને આ ઘટનાને આયોજન અને સંકલનમાં મોટી નિષ્ફળતા તરીકે વર્ણવવામાં આવી હતી. જે સમયે પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં ખામીનો મામલો સામે આવ્યો હતો, તે સમયે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી અને ચરણજીત સિંહ ચન્ની મુખ્યમંત્રી હતા.

શું છે કેસ?

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 જાન્યુઆરી 2022ના રોજ પંજાબની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ફિરોઝપુરમાં પીએમ મોદીના કાફલાને એક ગામમાં પુલ પર ખેડૂતોએ રોકી દીધો હતો. આ પછી પીએમને પોતાનો કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો અને તેઓ દિલ્હી પાછા ફર્યા હતા. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી ગયો અને તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Punjab: સરહદે હલચલ તેજ-જવાનોના ધાડા ઉતારાયા-ગામડાઓના રસ્તાઓ સીલ, જાણો કેમ?

India-Pakistan Border in Punjab : વિવાદાસ્પદ ખાલિસ્તાન સમર્થન અમૃતપાલ સિંહને ઝડપી પાડવા પોલીસ ભારે મથામણ કરી રહી છે. પરંતુ હજી સુધી તે પોલીસની પકડથી દૂર છે. હવે અમૃતપાલ સિંહને લઈને દેશની સરહદ પણ હલચલ વધી જવા પામી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) અને સૈન્ય પણ સાબદુ બની ગયું છે. આ અગાઉ અમૃતપાલ સિંહના 6 સાથીદારોને પંજાબથી અન્યત્ર લઈ જવા માટે ભારતીય વાયુદળના પ્લેનની મદદ લેવામાં આવી હતી. આમ અમૃતપાલના કારણે એસફોર્સ બાદ હવે સૈન્ય અને સુરક્ષા દળો પણ સાબદા બન્યા છે. સરહદે જવાનોની સંખ્યા વધારી દેવામાં આવી છે.

અમૃતપાલ સિંહને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, તે દેશની સરહદ ઓળંગીને પાકિસ્તાન જવાની ફિરાકમાં હોઈ શકે છે. તેથી પોલીસે પંજાબના ગામડાઓથી ભારત-પાકિસ્તાન સરહદ તરફ જતા તમામ રસ્તાઓને સીલ કરી દેવામાં આવ્યા છે. સરહદને અડીને આવેલા ગામોના ગ્રામજનોને એવી પણ અપીલ કરવામાં આવી છે કે, જો ગામડાઓમાં કોઈ બહારની વ્યક્તિ દેખાય તો તેઓ તાત્કાલિક બીએસએફ અને પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવે. હુસૈનીવાલા બોર્ડર, મમદોટ અને ફાઝિલ્કા ઉપરાંત અમૃતસર બોર્ડર પર સુરક્ષા જવાનો તૈનાત છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Hun To Bolish: હું તો બોલીશ : મહારાજ સાહેબ, આ ન શોભે !
Hun To Bolish: હું તો બોલીશ : યુદ્ધ પર યુદ્ધ!
Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
ATF Prices: હવાઈ ​​મુસાફરી થશે મોંઘી, જેટ ઇંધણના ભાવ પહેલીવાર 2 લાખ રૂપિયાને પાર
ATF Prices: હવાઈ ​​મુસાફરી થશે મોંઘી, જેટ ઇંધણના ભાવ પહેલીવાર 2 લાખ રૂપિયાને પાર
Stock Market 1 April: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1876 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,899ને પાર
Stock Market 1 April: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1876 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,899ને પાર
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
LPG Price Hike : ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો
LPG Price Hike : ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો
Embed widget