શોધખોળ કરો
PM મોદી આજે ‘મન કી બાત’ કાર્યક્રમથી દેશને સંબોધશે, ચીન વિવાદ પર કરી શકે છે ચર્ચા
મન કી બાત કાર્યક્રમનો આ 66મો એપિસોડ હશે. પીએમ મોદી આજે ચીન સાથે ચાલી રહેલા વિવાદને લઈ વાત કરી શકે છે.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’થી સવારે 11 વાગ્યે દેશને સંબોધન કરશે. મન કી બાત કાર્યક્રમનો આ 66મો એપિસોડ હશે. પીએમ મોદી આજે ચીન સાથે ચાલી રહેલા વિવાદને લઈ વાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મન કી બાતના કાર્યક્રમમાં પીએમ મોદી દેશવાસીઓને કોરોના વાયરસની મહામારીને લઈને સંવાદ કરી ચૂક્યા છે. ગત મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ લોકોને પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવા અને સાવધાની રાખવા કહ્યું હતું. પીએમ મોદીએ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવા અને નિયમિત હાથ ધોવાની અપીલ કરી હતી.
Before You Go
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?





















