શોધખોળ કરો

શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ પરંપરાગત વ્યવસાયોમાંથી જાતિવાચક શબ્દો દૂર કરી, તેમને કૌશલ્ય (સ્કીલ) આધારિત નવા અને સન્માનજનક નામ આપવાની સંસદીય સમિતિની ભલામણ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વ્યવસાયોને જાતિ સાથે નહીં, કૌશલ્ય સાથે જોડવા ભલામણ.
  • પરંપરાગત નામો બદલી, વ્યવસાયોને આધુનિક ઓળખ મળશે.
  • અપમાનિત કરવાના ઈરાદે જાતિવાચક શબ્દો ગંભીર ગુનો.
  • કોર્ટ: ઈરાદો અને જાહેર સ્થળ અપરાધ માટે જરૂરી.

આપણા સમાજમાં આજે પણ કેટલાક કામ કે વ્યવસાયોને સીધા જાતિ સાથે જોડી દેવામાં આવે છે. કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહીને બોલાવવા એ કદાચ સામાન્ય બાબત લાગતી હોય, પરંતુ હવે ઉદ્યોગ અંગેની સંસદીય સ્થાયી સમિતિએ આ પરંપરાગત નામો બદલવાની મહત્વની ભલામણ કરી છે. સમિતિનો હેતુ આ વ્યવસાયોને જાતિની ઓળખના બદલે કૌશલ્ય (સ્કીલ) સાથે જોડવાનો છે. કાયદાની દ્રષ્ટિએ જોઈએ તો, માત્ર આ નામોથી બોલાવવું એ કોઈ ગુનો નથી, પરંતુ જો કોઈનું અપમાન કરવાના ઈરાદે જાહેરમાં તેનો ઉપયોગ થાય, તો 'એટ્રોસિટી એક્ટ' (SC/ST કાયદા) હેઠળ 5 વર્ષ સુધીની સજા થઈ શકે છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે આખો મામલો શું છે, કોર્ટ શું કહે છે અને આવનારા સમયમાં કયા નવા ફેરફારો થવા જઈ રહ્યા છે.

વ્યવસાય હવે જાતિથી નહીં, આવડતથી ઓળખાશે

સંસદીય સમિતિએ પોતાના રિપોર્ટમાં નોંધ્યું છે કે દેશમાં 'પીએમ વિશ્વકર્મા યોજના' ચાલી રહી છે, પરંતુ કેટલાક લોકો તેમાં રજિસ્ટ્રેશન કરાવવાનું ટાળે છે. તેનું મુખ્ય કારણ એ છે કે કુંભાર, વાળંદ કે મોચી જેવા શબ્દો સાથે એક ચોક્કસ જાતિની ઓળખ જોડાયેલી છે, જેના કારણે લોકોને સંકોચ થાય છે.

આ સમસ્યાના ઉકેલ માટે સમિતિએ સૂચન કર્યું છે કે આ વ્યવસાયોને વધુ પ્રોફેશનલ અને આધુનિક નામ આપવામાં આવે.

ઉદાહરણ તરીકે: 'મોચી' કહેવાના બદલે તેને "પગરખાં બનાવનાર" (ફૂટવેર મેકર) કહી શકાય.

તેવી જ રીતે 'કુંભાર'ના બદલે "માટી અને સિરામિકની વસ્તુઓ બનાવનાર" શબ્દ વાપરી શકાય.

'વાળંદ'ને "પર્સનલ ગ્રૂમિંગ સર્વિસ પ્રોવાઈડર" કહી શકાય.

જાતિવાચક શબ્દો બોલવા પર કાયદો શું કહે છે?

તમારા મનમાં સવાલ થતો હશે કે શું આ શબ્દો બોલવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે? તો જવાબ છે - ના. હાલમાં એવો કોઈ ચોક્કસ કાયદો નથી જે આ શબ્દોના સામાન્ય ઉપયોગ પર રોક લગાવતો હોય.

પરંતુ, જો તમે કોઈ વ્યક્તિની જાતિને નિશાન બનાવીને, તેને નીચા દેખાડવા કે અપમાનિત કરવાના ઈરાદે આ શબ્દોનો ઉપયોગ કરો છો, તો તે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ, ૧૯૮૯ (SC/ST એક્ટ) હેઠળ ગંભીર ગુનો બની જાય છે.

અપમાન કરવા પર કેટલી સજા થઈ શકે?

આ કાયદાની કલમ 3(1)(r) અને 3(1)(s) મુજબ, જો કોઈ SC/ST સમુદાયની વ્યક્તિને જાહેરમાં તેની જાતિના નામથી બોલાવીને ઈરાદાપૂર્વક અપમાનિત કરવામાં આવે, તો તે ફોજદારી ગુનો ગણાય છે.

સજાની જોગવાઈ: આ ગુના માટે દોષિતને ૬ મહિનાથી લઈને ૫ વર્ષ સુધીની જેલ અને દંડ થઈ શકે છે.

મોટાભાગના કિસ્સાઓમાં આને ગંભીર અને બિન-જામીનપાત્ર ગુનો ગણવામાં આવે છે.

આ મામલે કોર્ટનો ચુકાદો શું છે?

છેલ્લા કેટલાક વર્ષોમાં સુપ્રીમ કોર્ટ અને અલાહાબાદ હાઈકોર્ટે આ કાયદાનો ઉપયોગ કેવી રીતે થવો જોઈએ તે અંગે બહુ સ્પષ્ટતા કરી છે:

માત્ર નામ લેવું ગુનો નથી: માત્ર કોઈને તેના વ્યવસાયના નામે બોલાવવું એ ફોજદારી ગુનો નથી.

ઈરાદો અને જાહેર સ્થળ જરૂરી: કાયદા હેઠળ સજા ત્યારે જ થાય જ્યારે તે સાબિત થાય કે બોલનારનો ચોક્કસ ઈરાદો જાતિ આધારિત અપમાન કરવાનો જ હતો અને આ ઘટના અન્ય લોકોની હાજરીમાં (જાહેરમાં) બની હતી.

જો બે લોકો વચ્ચે કોઈ ખાનગી જગ્યાએ વાતચીત થાય છે અને તેમાં કોઈને નીચા દેખાડવાનો ઈરાદો નથી, તો તે આ કાયદાના દાયરામાં આવતું નથી.

Frequently Asked Questions

વ્યવસાયોના પરંપરાગત નામો બદલવાની ભલામણ શા માટે કરવામાં આવી છે?

સંસદીય સમિતિએ વ્યવસાયોને જાતિની ઓળખના બદલે કૌશલ્ય સાથે જોડવા માટે આ ભલામણ કરી છે. આનાથી 'પીએમ વિશ્વકર્મા યોજના' હેઠળ નોંધણી કરાવવામાં આવતો સંકોચ દૂર થશે.

શું વ્યવસાયોના જાતિવાચક નામો બોલવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે?

ના, હાલમાં આવા શબ્દોના સામાન્ય ઉપયોગ પર કોઈ ચોક્કસ કાયદો પ્રતિબંધ મૂકતો નથી. જોકે, અપમાન કરવાના ઈરાદે ઉપયોગ કરવો ગેરકાનૂની છે.

જાતિ આધારિત અપમાન કરવા બદલ કાયદા હેઠળ શું સજા થઈ શકે છે?

જો કોઈ વ્યક્તિને જાહેરમાં તેની જાતિના નામથી બોલાવીને અપમાનિત કરવામાં આવે, તો SC/ST એક્ટ હેઠળ 6 મહિનાથી 5 વર્ષ સુધીની જેલ અને દંડ થઈ શકે છે.

કોર્ટના મતે, જાતિવાચક શબ્દોના ઉપયોગ અંગે શું સ્પષ્ટતા છે?

કોર્ટના મતે, માત્ર વ્યવસાયના નામે બોલાવવું ગુનો નથી. સજા ત્યારે જ થાય જ્યારે અપમાન કરવાનો ચોક્કસ ઈરાદો અને જાહેર સ્થળ સાબિત થાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget