શોધખોળ કરો

President Draupadi Murmu Speech: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું રાષ્ટ્રને પ્રથમ સંબોધન, દીકરીઓને દેશનું ભવિષ્ય ગણાવ્યું, જાણો સંબોધનની મહત્વપૂર્ણ વાતો

President Draupadi Murmu Speech: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને પોતાનું પ્રથમ ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે દીકરીઓને દેશનું ભવિષ્ય જણાવ્યું.

President Draupadi Murmu Speech:  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને પોતાનું પ્રથમ ભાષણ આપ્યું હતું. તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને સલામ કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે સિત્તેરમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ હું દેશ-વિદેશમાં વસતા તમામ ભારતીયોને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. 14 ઓગસ્ટનો દિવસ પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ સ્મારક દિવસની ઉજવણીનો હેતુ સામાજિક સમરસતા, માનવ સશક્તિકરણ અને એકતાને પ્રોત્સાહન આપવાનો છે. આપણો  સંકલ્પ છે કે વર્ષ 2047 સુધીમાં આપણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાઓને પૂર્ણપણે સાકાર કરીશું.

ભારત દરરોજ પ્રગતિ કરી રહ્યું છે
રાષ્ટ્રપતિએ કહ્યું કે 15 ઓગસ્ટ, 1947ના રોજ અમે સંસ્થાનવાદી શાસનની બેડીઓ કાપી નાખી હતી. તે શુભ દિવસની વર્ષગાંઠની ઉજવણી કરતી વખતે, આપણે તમામ સ્વતંત્રતા સેનાનીઓને આદરપૂર્વક વંદન કરીએ છીએ. તેમણે દરેક વસ્તુનું બલિદાન આપ્યું જેથી આપણે બધા સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ શકીએ. આ ઉજવણીનો સમય છે. દરેક ઘરમાં ત્રિરંગા ઝુંબેશ ચાલી રહી છે. આજે આપણા દેશના ખૂણે ખૂણે ત્રિરંગો ગર્વભેર લહેરાયો છે. ભારત દરરોજ પ્રગતિ કરી રહ્યું છે. દેશમાં દરેકને સમાન અધિકાર છે.

આ તહેવાર ભારતના લોકોને સમર્પિત છે
તેમણે કહ્યું કે મોટાભાગના લોકશાહી દેશોમાં મહિલાઓને મત આપવાનો અધિકાર મેળવવા માટે લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ આપણા ગણતંત્રની શરૂઆતથી જ ભારતે સાર્વત્રિક પુખ્ત મતાધિકાર અપનાવ્યો હતો. દાંડી યાત્રાની યાદને જીવંત કરીને માર્ચ 2021માં 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની શરૂઆત કરવામાં આવી હતી. તે યુગ-નિર્માણ ચળવળએ આપણા સંઘર્ષને વિશ્વ મંચ પર સ્થાપિત કર્યો. આપણા ઉત્સવની શરૂઆત તેમનું સન્માન કરીને કરવામાં આવી હતી. આ તહેવાર ભારતના લોકોને સમર્પિત છે.

આપણા આદિવાસી સુપરહીરો સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણા સ્ત્રોત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ગયા વર્ષથી દર 15 નવેમ્બરને 'આદિવાસી ગૌરવ દિવસ' તરીકે મનાવવાનો સરકારનો નિર્ણય આવકાર્ય છે. આપણા આદિવાસી સુપરહીરો માત્ર સ્થાનિક કે પ્રાદેશિક ચિહ્નો નથી પરંતુ તેઓ સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણા સ્ત્રોત છે. હું દેશના દરેક નાગરિકને વિનંતી કરું છું કે તેઓ તેમની મૂળભૂત ફરજો વિશે જાણે, તેમનું પાલન કરે, જેથી આપણું રાષ્ટ્ર નવી ઊંચાઈઓને સ્પર્શી શકે.

ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થામાંથી એક 
કોરોનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે અમે દેશમાં જ બનેલી રસીથી માનવ ઇતિહાસનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કર્યું. ગયા મહિને અમે 200 કરોડ વેક્સિન કવરેજનો આંકડો પાર કર્યો હતો. આ રોગચાળાનો સામનો કરવામાં અમારી સિદ્ધિઓ વિશ્વના ઘણા વિકસિત દેશો કરતાં વધુ રહી છે. જ્યારે વિશ્વ કોરોના રોગચાળાના ગંભીર સંકટના આર્થિક પરિણામો સાથે ઝઝૂમી રહ્યું હતું, ત્યારે ભારતે પોતાની જાતને સંભાળી લીધી અને હવે ફરીથી તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. હાલમાં, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે.

દેશની આશાઓ આપણી  દીકરીઓ પર ટકી રહી છે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આજે દેશમાં આરોગ્ય, શિક્ષણ અને અર્થતંત્ર અને અન્ય સંબંધિત ક્ષેત્રોમાં જે સારા ફેરફારો જોવા મળી રહ્યા છે તેના મૂળમાં સુશાસન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ભારતના નવા આત્મવિશ્વાસનો સ્ત્રોત દેશના યુવાનો, ખેડૂતો અને સૌથી ઉપર દેશની મહિલાઓ છે. મહિલાઓ અનેક રૂઢિઓ અને અવરોધોને પાર કરીને આગળ વધી રહી છે. સામાજિક અને રાજકીય પ્રક્રિયાઓમાં તેમની વધતી ભાગીદારી નિર્ણાયક સાબિત થશે. આજે આપણી પંચાયતી રાજ સંસ્થાઓમાં ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓની સંખ્યા ચૌદ લાખથી વધુ છે. આપણા દેશની ઘણી બધી આશાઓ આપણી દીકરીઓ પર ટકી છે. જો યોગ્ય તકો આપવામાં આવે તો તેઓ મોટી સફળતા મેળવી શકે છે. અમારી દીકરીઓ ફાઈટર પાઈલટથી લઈને સ્પેસ સાયન્ટિસ્ટ સુધી દરેક ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી રહી છે.

પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે
તેમણે કહ્યું કે આજે જ્યારે આપણા પર્યાવરણ સામે નવા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આપણે ભારતની સુંદરતા સાથે જોડાયેલી દરેક વસ્તુનું મજબૂતીથી રક્ષણ કરવું જોઈએ. પાણી, માટી અને જૈવિક વિવિધતાનું સંરક્ષણ એ આપણી ભાવિ પેઢીઓ પ્રત્યેની આપણી ફરજ છે. આપણી પાસે જે કંઈ છે તે આપણી માતૃભૂમિએ આપ્યું છે, તેથી આપણે આપણા દેશની સુરક્ષા, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સર્વસ્વ સમર્પણ કરવાનો સંકલ્પ લેવો જોઈએ.

દેશવાસીઓને શુભકામનાઓ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે હું ભારતના સશસ્ત્ર દળો, વિદેશમાં આવેલા ભારતીય મિશનો અને ડાયસ્પોરા-ભારતીયોને અભિનંદન આપું છું જેઓ પોતાની માતૃભૂમિને ગર્વ આપે છે. હું તમામ દેશવાસીઓને સુખી અને સમૃદ્ધ જીવન માટે મારી શુભકામનાઓ પાઠવું છું.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’
Accident: કચ્છના લાકડીયા-ચિત્રોડ વચ્ચે ગમખ્વાર અકસ્માત, માતા-પુત્રના થયા ઘટના સ્થળે જ મોત
Accident: કચ્છના લાકડીયા-ચિત્રોડ વચ્ચે ગમખ્વાર અકસ્માત, માતા-પુત્રના થયા ઘટના સ્થળે જ મોત
Mother's Day 2024: પ્યારી મા સાથે જુઓ આ મૂવીઝ અને સીરિઝ, યાદગાર બની જશે દિવસ
Mother's Day 2024: પ્યારી મા સાથે જુઓ આ મૂવીઝ અને સીરિઝ, યાદગાર બની જશે દિવસ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Vadodara News । વડોદરાના આજવાના નિમેટા રોડ પર સર્જાયો અકસ્માતBhavnagar News । ભાવનગરમાં અસામાજિક તત્વોનો આંતક યથાવત, વડવા વોશિંગ ઘાટમાં બે શખ્સોએ કરી તોડફોડJunagadh News । જૂનાગઢના વંથલીના રવની ગામે ડબલ મર્ડરથી મચી ગયો ચકચારAmreli News । અમરેલીના લીલીયામાં થયેલ લૂંટનો કેસ ગણતરીની કલાકોમાં ઉકેલાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’
Accident: કચ્છના લાકડીયા-ચિત્રોડ વચ્ચે ગમખ્વાર અકસ્માત, માતા-પુત્રના થયા ઘટના સ્થળે જ મોત
Accident: કચ્છના લાકડીયા-ચિત્રોડ વચ્ચે ગમખ્વાર અકસ્માત, માતા-પુત્રના થયા ઘટના સ્થળે જ મોત
Mother's Day 2024: પ્યારી મા સાથે જુઓ આ મૂવીઝ અને સીરિઝ, યાદગાર બની જશે દિવસ
Mother's Day 2024: પ્યારી મા સાથે જુઓ આ મૂવીઝ અને સીરિઝ, યાદગાર બની જશે દિવસ
Dahod News: હાર્ટ અટેકથી નાયબ ચીટનીશનું મોત, મહેકમ શાખામાં બજાવતા હતા ફરજ
Dahod News: હાર્ટ અટેકથી નાયબ ચીટનીશનું મોત, મહેકમ શાખામાં બજાવતા હતા ફરજ
Rishabh Pant: બેંગલુરુ સામેની  મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Rishabh Pant: બેંગલુરુ સામેની મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
SBI: 12000 લોકોને નોકરી આપશે SBI, IT પ્રોફેશનલ્સ માટે શાનદાર તક
SBI: 12000 લોકોને નોકરી આપશે SBI, IT પ્રોફેશનલ્સ માટે શાનદાર તક
PUC Certificate: પીયુસી સર્ટિફિકેટ બનાવવા કેટલો ખર્ચ થાય છે? જો ન હોય તો ફાટે છે રૂ. 10,000નું ચલણ
PUC Certificate: પીયુસી સર્ટિફિકેટ બનાવવા કેટલો ખર્ચ થાય છે? જો ન હોય તો ફાટે છે રૂ. 10,000નું ચલણ
Embed widget