![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Attack on Car: રાહુલ ગાંધીની કાર પર હુમલો, પથ્થર અને તૂટેલા કાચ ફેંકતા હડકંપ
બિહારના કટિહારથી આગળ વધીને, રાહુલ ગાંધીના નેતૃત્વમાં ન્યાય યાત્રા બુધવારે સવારે 11.30 વાગ્યે માલદા થઈને પશ્ચિમ બંગાળમાં પ્રવેશી હતી. જો કે તેમની કાર પર હુમલો થતાં હડકંપ મચી ગઇ હતી
![Attack on Car: રાહુલ ગાંધીની કાર પર હુમલો, પથ્થર અને તૂટેલા કાચ ફેંકતા હડકંપ Rahul Gandhi's Car Attacked In West Bengals Malda, Stones Pelted At His Vehicle Attack on Car: રાહુલ ગાંધીની કાર પર હુમલો, પથ્થર અને તૂટેલા કાચ ફેંકતા હડકંપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/31/0df345d9bddaf45096908d301d9f297f170669029778781_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Attack on Car: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો તેમની કાર પર બુધવારે (31 જાન્યુઆરી, 2023) થયો હતો. ઘટના દરમિયાન વાહનના કાચ તૂટી ગયા હોવાનું જાણવા મળ્યું છે. પથ્થર ફેંક્યા પછી કોઈને ઈજા થઈ હતી? હાલમાં આ વિશે કોઈ માહિતી નથી, પરંતુ આ હુમલો એવા સમયે થયો છે જ્યારે કેરળના વાયનાડથી કોંગ્રેસ સાંસદ ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહ્યા છે.
ન્યૂઝ ચેનલ 'ટીવી 9 બાંગ્લા' પરના સમાચાર ફ્લેશ અનુસાર, પશ્ચિમ બંગાળના માલદામાં રાહુલ ગાંધીના કાફલાને નિશાન બનાવવામાં આવ્યું હતું. સૂત્રોનું માનીએ તો કેટલાક અરાજકતાવાદી તત્વોએ આ હુમલો કર્યો હતો અને આ અરાજકતાવાદી તત્વોને શાસક પક્ષ સાથે કથિત સંબંધો હોવાનું કહેવાય છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ममता बनर्जी शासित पश्चिम बंगाल में मालदह में राहुल गांधी की कार पर हमला हुआ.
— Rohit Jain (@Rohitjain9999) January 31, 2024
उफ्फ #BharatJodoNyayYatra #RahulGandhi pic.twitter.com/5rGbLoWBQD
બિહારના કટિહારથી આગળ વધીને, રાહુલ ગાંધીના નેતૃત્વમાં ન્યાય યાત્રા બુધવારે સવારે 11.30 વાગ્યે માલદા થઈને પશ્ચિમ બંગાળમાં પ્રવેશી હતી. કોંગ્રેસના ભૂતપૂર્વ વડા સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) ની છત પર બેઠેલા જોવા મળ્યા હતા, જે ધીમે ધીમે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રહી હતી.
અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો
હુમલાની વિગતો આપતા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો હતો કે બુધવારે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં 'ભારત જોડો ન્યાય યાત્રા'ના ભાગરૂપે રાહુલ ગાંધી જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે કાર પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં વાહનની પાછળની બારીના કાચ તૂટી ગયા હતા પરંતુ કોઈ ઈજા થઈ ન હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)