શોધખોળ કરો

Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે

Maharashtra News: શિવસેના (UBT) ના નેતા રાજન સાલ્વીએ બુધવારે (12 ફેબ્રુઆરી) પાર્ટીમાં ઉપનેતા પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમને ઉદ્ધવ ઠાકરેના કટ્ટર સમર્થક માનવામાં આવતા હતા.

Maharashtra Politics: શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના ધારાસભ્ય રાજન સાલ્વીએ રાજીનામું આપી દીધું છે. તેઓ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાશે. તાજેતરમાં, શિંદે જૂથના નેતાઓએ દાવો કર્યો હતો કે ઉદ્ધવ જૂથના નેતાઓ તેમના સંપર્કમાં છે. આવી સ્થિતિમાં, રાજન સાલ્વીના રાજીનામા સાથે, પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે કે શું આ ઉદ્ધવ જૂથમાં ફૂટની શરૂઆત છે?

રત્નાગિરિ જિલ્લાના શિવસેના (UBT) ના ભૂતપૂર્વ ધારાસભ્ય, રાજન સાલ્વીએ બુધવારે (12 ફેબ્રુઆરી) પાર્ટીમાં ઉપનેતા પદ પરથી રાજીનામું આપ્યું. તેમને ઉદ્ધવ ઠાકરેના કટ્ટર સમર્થક માનવામાં આવતા હતા. તેઓ માતોશ્રીના વફાદાર નેતા તરીકે જાણીતા હતા.

રાજન સાલ્વી ક્યારે શિંદે જૂથમાં જોડાશે?

એબીપી માઝાના અહેવાલ મુજબ, રાજન સાલ્વી ગુરુવારે (૧૩ ફેબ્રુઆરી) બપોરે ૩ વાગ્યે એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાશે. સાલ્વી ઘણા વર્ષોથી રત્નાગિરિ જિલ્લામાં ધારાસભ્ય તરીકે શિવસેનાનું પ્રતિનિધિત્વ કરે છે. રાજન સાલ્વી કોંકણના લાંજા, રાજાપુર અને સખારપા વિસ્તારોમાં સારી પકડ ધરાવે છે. આ વિસ્તારમાં તેમના સમર્થકોનો મોટો વર્ગ છે.

રાજન સાલ્વી કેમ નારાજા થયા?

એવું માનવામાં આવે છે કે વિનાયક રાઉત સાથેના તાજેતરના વિવાદમાં ઉદ્ધવ ઠાકરેએ વિનાયક રાઉતનો પક્ષ લીધો ત્યારે સાલ્વીને દુઃખ થયું હતું. પરિણામ એ આવ્યું કે રાજન સાલ્વીએ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો. સાલ્વીના જવાથી કોંકણ ક્ષેત્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથને મોટું નુકસાન થઈ શકે છે.

સાલ્વી 2024ની વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા હતા

૨૦૨૪ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં રાજન સાલ્વીનો પરાજય થયો હતો. 2024ની વિધાનસભા ચૂંટણીમાં રાજન સાલ્વીનો એકનાથ શિંદે જૂથના નેતા કિરણ સામંત સામે પરાજય થયો હતો. બીજી તરફ, કિરણ સામંત રાજન સાલ્વીના પાર્ટીમાં પ્રવેશથી નારાજ છે. કિરણ સામંત મંત્રી ઉદય સામંતના ભાઈ છે.

મહારાષ્ટ્રમાં ઓપરેશન ટાઇગર પર ચર્ચાઓ વચ્ચે, સાલ્વીના રાજીનામાથી રાજ્યમાં રાજકીય ઉથલપાથલ વધુ તીવ્ર બની છે. છેલ્લા ઘણા દિવસોથી, એકનાથ શિંદે જૂથની શિવસેના ઉદ્ધવ જૂથના 6 સાંસદો અને ધારાસભ્યોના સંપર્કમાં હોવાનો દાવો કરી રહી છે. નોંધનિય છે કે, ઉદ્ધવ ઠાકરેથી અલગ થયા બાદ શિંદેએ બીજેપી સાથે મળી મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી.

આ પણ વાંચો....

Anti Sikh Riots Case: બે શીખોની હત્યા કેસમાં કોંગ્રેસ નેતા દોષિત,આ તારીખે કોર્ટ સંભળાવશે સજા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget