શોધખોળ કરો

ઉદ્ધવ-રાજ ઠાકરે સાથે આવવા પર રામદાસ અઠાવલેની મોટી ભવિષ્યવાણી, જાણો શું કહ્યું ? 

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના એક સાથે સ્ટેજ શેર કરવા પર કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની પ્રતિક્રિયા સામે આવી છે.

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના એક સાથે સ્ટેજ શેર કરવા પર કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે બંને મરાઠીના મુદ્દા પર સાથે આવ્યા છે, આ સારી વાત છે. અમને પણ મરાઠી પર ગર્વ છે. એ પણ સાચું છે કે દરેકને મરાઠી બોલતા આવડવું જોઈએ.

મહાવિકાસ આઘાડીમાં ભાગલા પડશે - અઠાવલે 

રામદાસ અઠાવલેએ દાવો કર્યો હતો કે બંને ભાઈઓના સાથે આવવાથી અમારી મહાયુતિ (એનડીએ)ને વધુ ફાયદો થશે. તેમણે દાવો કર્યો હતો કે મહાવિકાસ આઘાડી (MVA)માં ભાગલા પડશે. કોંગ્રેસ અને એનસીપી (SP) અલગ રહેશે. ઉદ્ધવ ઠાકરેએ ત્યાંથી બહાર આવવું પડશે. કારણ કે રાજ ઠાકરેનું કહેવું  છે કે જો આપણે બંનેએ સાથે ચાલવું હોય તો બીજા કોઈની જરૂર નથી.

'જોઈએ કે તેઓ કેટલો સમય સાથે રહે છે'

સમાચાર એજન્સી IANS સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રીએ આગળ કહ્યું, "બંને એક સાથે આવ્યા છે. જોઈએ તેઓ કેટલા સમય સુધી સાથે રહે છે. જે મરાઠી ભાષાના મુદ્દા પર તેમણે રેલી રાખી હતી તેની હવા કાઢવાનું કામ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્યું છે.  રેલી પહેલા જ દેવેન્દ્ર ફડણવીસે શાળાઓમાં હિન્દી શીખવવાનો સરકારી આદેશ કર્યો હતો તેને રદ કર્યો છે."

'ઉદ્ધવ ઠાકરે પાસે હવે શિવસેના નથી રહી'

રામદાસ આઠવલેએ એમ પણ કહ્યું, "વિજય રેલીનું આયોજન તો અમારે કરવું જોઈતું હતું. તેમની વિજય રેલીનો કોઈ અર્થ નથી. તેમને લાગે છે કે આ અમારી રેલીને કારણે કરવામાં આવ્યું છે પરંતુ આવું નથી. અમારી સરકારે બધા મરાઠી લોકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. જો બંને ભાઈઓ ભેગા થાય તો કોઈ ફરક પડશે નહીં. ઉદ્ધવ ઠાકરે પાસે હવે શિવસેના નથી. સાચી શિવસેના એકનાથ શિંદેની છે. તેથી જ ઘણા લોકો એકનાથ શિંદે સાથે છે. 40 ધારાસભ્યો એકનાથ શિંદે સાથે આવ્યા. 

આ સાથે તેમણે કહ્યું, "રાજ ઠાકરે ખૂબ મોટી સભાઓ કરે છે. તે ખૂબ જ સારી વાત છે. તેઓ ખૂબ જ સારા વક્તા છે. રાજ ઠાકરે એક મજબૂત નેતા છે. પરંતુ તેમને મત મળતા નથી. હાલમાં તેમની પાસે એક પણ ધારાસભ્ય નથી. એક સમયે 13 ધારાસભ્યો ચૂંટાયા હતા. બંનેના એકસાથે આવવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં કોઈ ફરક પડશે નહીં. જો કોઈ ફરક પડશે તો તે મહાવિકાસ આઘાડી પર પડશે." 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Embed widget