શોધખોળ કરો
દેશના ક્યા ટોચના ઉદ્યોગપતિને ભારતરત્ન આપવા સોશિયલ મીડિયા પર શરૂ થઈ ઝુંબેશ ? જાણો ઉદ્યોગપતિએ શું કહ્યું ?
સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર છેલ્લા કેટલાક દિવસથી ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેન રતન ટાટાને દેશનું સર્વાચ્ચ ભારત રત્ન આપવાની માંગણી થઇ રહી છે ત્યારે આ મુદે રતન ટાટાએ શું કહ્યું?

સોશિયલ મીડિયા પર હાલ #BharatRatnaForRatanTata હેશટેગ ચલાવવામાં આવી રહ્યું છે. જો કે આ મુદ્દે ખુદ રતન ટાટાએ ખુદ જવાબ આપ્યો છે. તેમણે લોકોને આ કેમ્પેન બંધ કરવાનો અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે,’તેઓ ભારતીય હોવાથી ખુદને બહુ જ ભાગ્યશાળી માને છે’
રતન ટાટાએ તેમના ટવિટર હેન્ડલથી ટવિટ કરતા લખ્યું છે કે, “સોશિયલ મીડિયા પર મને ભારત રત્ન આપવાની માંગ કરનાર લોકોની ભાવનાનું હું દિલથી સન્માન કરૂ છું. જો કે મારૂ નમ્ર નિવેદન કરૂં છું કે, આ કેમ્પેનને બંધ કરવામાં આવે, હું ખુદ ભારતીય હોવાથી અને તેના વિકાસ અને સમૃદ્ધિમાં યોગદાન આપવાથી મારી જાતને ભાગ્યશાળી માનું છું”
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગણી થઇ રહી છે. એક યુઝર્સે તો લખ્યું છે કે, “રતન ટાટા ભારતના અસલી રત્ન છે. તેમને સર્વોચ્ચ સન્માન મળવું જોઇએ”While I appreciate the sentiments expressed by a section of the social media in terms of an award, I would humbly like to request that such campaigns be discontinued.
Instead, I consider myself fortunate to be an Indian and to try and contribute to India’s growth and prosperity pic.twitter.com/CzEimjJPp5 — Ratan N. Tata (@RNTata2000) February 6, 2021
You’re the gem. @RNTata2000
— Vishesh A. Chawla (@VisheshAChawla) February 6, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
