શોધખોળ કરો

Russia- Ukraine War: ઓપરેશન ગંગા હેઠળ એર ઈન્ડિયાની બીજી ફ્લાઈટ ભારતીય નાગરીકોને લઈને દિલ્લી પહોંચી

Russia- Ukraine War: યુક્રેનમાં ફસાયેલા 250 ભારતીય નાગરિકોને લઈને એર ઈન્ડિયાની બીજી રેસ્ક્યુ ફ્લાઈટ રવિવારે વહેલી સવારે રોમાનિયાની રાજધાની બુકારેસ્ટથી દિલ્હી એરપોર્ટ પર આવી હતી.

Russia- Ukraine War: યુક્રેનમાં ફસાયેલા 250 ભારતીય નાગરિકોને લઈને એર ઈન્ડિયાની બીજી રેસ્ક્યુ ફ્લાઈટ રવિવારે વહેલી સવારે રોમાનિયાની રાજધાની બુકારેસ્ટથી દિલ્હી એરપોર્ટ પર આવી હતી. સરકારી અધિકારીઓએ આ માહિતી આપી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ યુક્રેનથી લવાયેલા ભારતીયોનું એરપોર્ટ પર ગુલાબ આપીને સ્વાગત કર્યું હતું.

ભારતે શનિવારે રશિયન સેનાના આક્રમણ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા તેના નાગરિકોને બચાવવા માટે "ઓપરેશન ગંગા" શરૂ કર્યું હતું. પ્રથમ રેસ્ક્યુ ફ્લાઈટ AI 1944 બુકારેસ્ટથી 219 લોકોને મુંબઈ લઈ આવી હતી. હવે બીજી ફ્લાઈટ AI1942 250 ભારતીય નાગરિકોને લઈને રવિવારે સવારે 2.45 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી.

ભારત સરકારના અધિકારીઓએ આ વિશે વધુ માહિતી આપતાં કહ્યું કે, એર ઈન્ડિયાની ત્રીજી રેસ્ક્યુ ફ્લાઈટ AI1940એ હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી ઉડાન ભરી છે અને 240 લોકો સાથે આ ફ્લાઈટ રવિવારે દિલ્હી પહોંચવાની અપેક્ષા છે. 

જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્વાગત કર્યુંઃ

જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઘરે પરત ફરેલા લોકોનું સ્વાગત કર્યું હતું અને કહ્યું કે, "હું જાણું છું કે તમે બધા ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થયા છો. પરંતુ તમને હું જણાવીશ કે, આપણા વડાપ્રધાન અને આપણી સરકાર દરેક પગલે તમારી સાથે છે, સાથે જ 130 કરોડ ભારતીયો પણ દરેક પગલે તમારી સાથે છે. સિંધિયાએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીના સંપર્કમાં છે અને યુક્રેનમાં ફસાયેલા બધા ભારતીયોને સુરક્ષિત ભારત પરત લાવવા માટે વાતચીત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, રશિયન સરકાર સાથે પણ વાતચીત ચાલી રહી છે. ભારત સરકાર ત્યારે જ રાહતનો શ્વાસ લેશે જ્યારે યુક્રેનમાંથી દરેક ભારતીય પોતાના ઘરે પરત આવશે.

નાગરિકોને લાવવા ફ્રી ફ્લાઈટઃ

ઉલ્લેખનીય છે કે, યુક્રેન સરકારે 24 ફેબ્રુઆરીએ સવારથી ફ્લાઈટોના સંચાલન પર પ્રતિબંધ મુક્યો હતો અને પોતાના દેશનું હવાઈક્ષેત્ર બંધ કરી દીધું હતું. જેને લઈને હવે ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા લોકોને પરત લાવવા માટે હંગેરી અને રોમાનિયાના રસ્તાથી ફ્લાઈટો ઉડાવી રહ્યું છે. આ રેસ્ક્યુ ઓપરેશનને ગંગા નામ અપાયું છે. જે લોકો યુક્રેનમાં ફસાયા છે તે હાલ યુક્રેન-રોમાનિયા અને યુક્રેન-હંગેરી બોર્ડર પર આવી રહ્યા છે. ભારત સરકાર પોતાના નાગરિકોને પરત લાવવા માટે હાલ કોઈ ભાડું લીધા વગર આ ફ્લાઈટોનું સરકાર કરી રહી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, હાલ યુક્રેનમાં 13000 જેટલા ભારતીયો ફસાયેલા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget