શોધખોળ કરો

શરદ પવારે PM મોદી પર સાધ્યું નિશાન, કહ્યુ- દિલ્હીમાં જીતી ન શક્યા તો હિંસા કરાવી

તેમણે કહ્યું કે, કેન્દ્રમાં સતાધારી પાર્ટી દિલ્હીમાં ચૂંટણી જીતી શકી નથી એટલા માટે તેણે દિલ્હીમાં હિંસા કરાવી છે.

નવી દિલ્હીઃ દિલ્હી હિંસાને લઇને હવે રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટી પ્રમુખ શરદ પવારે ભાજપ પાર્ટી પર શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, કેન્દ્રમાં સતાધારી પાર્ટી દિલ્હીમાં ચૂંટણી જીતી શકી નથી એટલા માટે તેણે દિલ્હીમાં હિંસા કરાવી છે. શરદ પવારે કહ્યુ કે, છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી સળગી રહ્યું હતુ. દિલ્હી એ જગ્યા છે જ્યાં લોકો અલગ અલગ હિસ્સામાંથી આવે છે. આપણા દેશમાં સત્તામાં રહેનારી પાર્ટીને દિલ્હી ચૂંટણી જીતવાનો કોઇ તક નથી મળી. ચૂંટણી દરમિયાન અનેક ભાષણો સાંભળ્યા. વડાપ્રધાન, ગૃહમંત્રી અને અન્ય મંત્રીઓએ સમાજને પરેશાન કરવાનો પ્રયાસ કર્યો પવારે કહ્યું કે, હું એ સમયે સ્તબ્ધ રહી ગયો જ્યારે વડાપ્રધાન પોતાના ભાષણ દરમિયાન કહ્યુ હતું કે, વ્યક્તિની ઓળખ તેના કપડાથી કરવામાં આવી શકે છે. વડાપ્રધાન આખા દેશ અને તમામ ધર્મોના હોય છે. એવામાં ભાષણ આપનારા નેતા ખૂબ ચિંતિત છે. તમે અન્ય નેતાઓના ભાષણો સાંભળી શકો છો. દિલ્હી હિંસાને લઇને શરદ પવારે કહ્યું કે, સ્કૂલો પર હુમલો કર્યો છે.  શિક્ષણ સંસ્થાઓ પર હુમલો કર્યો છે. આ બધુ સત્તામાં બેસેલા લોકોના કારણે થયું છે. અમેરિકાના  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે દિલ્હીમાં આવ્યા હતા તો દિલ્હીના એક હિસ્સામાં હિંસા થઇ રહી હતી. લોકસભા ચૂંટણીમાં નિર્ણય લેનારા લોકો હવે પુરી રીતે તેના વિરુદ્ધમાં છે. પવારે કહ્યું કે, દિલ્હીમાં લોકો બિહાર, બંગાળ, દક્ષિણ ભારતમાંથી આવે છે. હું ભાજપને દૂર રાખવા બદલ દિલ્હીના લોકોનો આભાર માનું છું. કેન્દ્ર સરકાર સારી સ્થિતિમાં નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Embed widget