શોધખોળ કરો

'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો

વાસ્તવિક કુંભ માઘ પૂર્ણિમાએ સમાપ્ત થયો, ગૌહત્યા રોકવા સરકારને 17 માર્ચ સુધીનું અલ્ટીમેટમ.

swami avimukteshwaranand statement: પ્રયાગરાજમાં ચાલી રહેલો વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક મેળો, મહાકુંભ, મહાશિવરાત્રીના અંતિમ સ્નાન સાથે સમાપ્ત થયો છે. પરંતુ જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કુંભ અંગે મોટો દાવો કરીને વિવાદ ઉભો કર્યો છે. તેમણે કહ્યું કે વાસ્તવિક મહાકુંભ તો માઘ પૂર્ણિમાએ જ પૂરો થઈ ગયો હતો અને હાલ જે ચાલી રહ્યું છે તે માત્ર 'સરકારી કુંભ' છે.

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "મહા કુંભ તો પૂર્ણિમાના દિવસે જ સમાપ્ત થઈ ગયો હતો, કારણ કે પરંપરાગત કુંભ માઘ મહિનામાં જ હોય છે. તમામ કલ્પવાસીઓ માઘ પૂર્ણિમાના દિવસે જ અહીંથી રવાના થઈ ગયા હતા. આ પછી જે કુંભ ચાલી રહ્યો છે, તે અલગ છે અને તેનું પરંપરાગત કુંભ જેટલું મહત્વ નથી. સરકાર દ્વારા આયોજિત કુંભનું વિશેષ ધાર્મિક મહત્વ હોતું નથી." તેમણે અગાઉ પણ મહાકુંભની વ્યવસ્થાઓ અને આયોજન પર સવાલો ઉઠાવ્યા હતા.

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ગૌહત્યાના મુદ્દે પણ સરકારને આડે હાથ લીધી હતી. તેમણે ગૌહત્યા રોકવાની માંગણી કરતા જણાવ્યું હતું કે, "અમે ગાયના ખાતર પર સરકારને 17 માર્ચ સુધીનો સમય આપ્યો છે. દેશના તમામ રાજકીય પક્ષો અને સરકારોએ એક સાથે બેસીને નક્કી કરવું જોઈએ કે તેઓ ગૌહત્યા બંધ કરવા માંગે છે કે આઝાદી પછીની જેમ જ તેને ચાલુ રાખવા માંગે છે. અમે 17 માર્ચ સુધી તમામ પક્ષોના અંતિમ નિર્ણયની રાહ જોઈશું."

ઉલ્લેખનીય છે કે, મેળા વહીવટીતંત્રના આંકડા અનુસાર, 13 જાન્યુઆરી, 2025 થી શરૂ થયેલા મહાકુંભમાં દેશ અને દુનિયાભરના 66.30 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. મહાકુંભના અંતિમ દિવસે પણ 1.53 કરોડથી વધુ લોકોએ ડૂબકી લગાવી હતી.

નોંધનીય છે કે, વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને આધ્યાત્મિક મેળાવડા મહાકુંભમાં 45 દિવસમાં 66.30 કરોડ ભક્તોએ ગંગા અને સંગમમાં ડૂબકી લગાવી હતી. મેળા વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, બુધવારે રાત્રે 8 વાગ્યા સુધી 1.53 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા અને સંગમમાં ડૂબકી લગાવી હતી અને 13 જાન્યુઆરીથી બુધવારે રાત્રે 8 વાગ્યા સુધી સ્નાન કરનારા લોકોની સંખ્યા 66.30 કરોડ પર પહોંચી હતી. ભક્તોની આ સંખ્યા ચીન અને ભારત સિવાય અમેરિકા, રશિયા અને યુરોપિયન દેશો સહિત તમામ દેશોની વસ્તી કરતા વધુ છે.

આ પણ વાંચો....

ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો, આ દિગ્ગજ નેતા શિવસેના UBT માં જોડાશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget