શોધખોળ કરો

Telangana Election 2023: તેલંગાણામાં કોંગ્રેસે ખેલ્યો મોટો દાવ, પહેલીવાર બહાર પાડ્યું લઘુમતી ઘોષણાપત્ર

Telangana Election 2023: તેલંગાણા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે મોટો દાવ ખેલ્યો છે. કોંગ્રેસ લઘુમતી ઘોષણાપત્ર બહાર પાડ્યું. પાર્ટી માટે આ કેટલું ફાયદાકારક છે તે 3જી ડિસેમ્બરે પરિણામના દિવસે ખબર પડશે.

Telangana Election 2023: તેલંગાણા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે મોટો દાવ ખેલ્યો છે. કોંગ્રેસ લઘુમતી ઘોષણાપત્ર બહાર પાડ્યું. પાર્ટી માટે આ કેટલું ફાયદાકારક છે તે 3જી ડિસેમ્બરે પરિણામના દિવસે ખબર પડશે. ખાસ વાત એ છે કે 2019ની લોકસભા ચૂંટણી બાદ હિમાચલ પ્રદેશ, ગુજરાત, યુપી, ઉત્તરાખંડ, આસામ, કર્ણાટક, બંગાળ અને બિહાર સહિત 19 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી, પરંતુ કોંગ્રેસે ક્યાંય લઘુમતી જાહેરનામું બહાર પાડ્યું ન હતું. તો પછી પ્રશ્ન એ છે કે કોંગ્રેસે તેની લઘુમતી વ્યૂહરચના અજમાવવા માટે તેલંગાણાને કેમ પસંદ કર્યું?

તેલંગાણામાં હિંદુઓ 85.10 ટકા, મુસ્લિમો 12.70 ટકા અને ખ્રિસ્તીઓ 1.30 ટકા છે. આ સિવાય શીખ, જૈન અને પારસી જેવા અન્ય સમુદાયોની વસ્તી 0.90 ટકા છે. આવી સ્થિતિમાં, 12.70 ટકા વસ્તી કોઈપણ ચૂંટણીના પરિણામ પર મોટી અસર કરી શકે છે.

લોકસભા ચૂંટણીની શું અસર થશે?
જો કોંગ્રેસને તેલંગાણામાં લઘુમતી મેનિફેસ્ટોનો લાભ મળશે તો પાર્ટી 2024માં પણ તેનો ઉપયોગ ટેમ્પલેટ તરીકે કરશે. ખુદ કોંગ્રેસના નેતાઓ આ તરફ ઈશારો કરી રહ્યા છે. કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ કહ્યું કે આ માત્ર વિધાનસભા ચૂંટણી નથી. જો તમે ઇચ્છો છો કે 2024માં તે ક્રૂર શાસકને ભારતના સિંહાસન પરથી હટાવાવમાં આવે તો સૌથી પહેલા તમારે તેલંગાણામાં આવું કરવું પડશે અને ત્યારપછી દિલ્હીમાં સંદેશો જશે. જીત કે હારમાં મુસ્લિમ મતદારોનો મોટો રોલ હોય છે. દેશની 543 લોકસભા બેઠકોમાંથી 218 સીટો પર મુસ્લીમ મતદાર મોટી ભુમિકા નિભાવે છે. તો બીજી તરફ, 35 બેઠકો પર મુસ્લિમ મતદારો 30 ટકાથી વધુ છે. આ સિવાય 38 સીટો પર તેમની વસ્તી 21 થી 30 ટકા છે. વળી, એવી 145 બેઠકો છે જ્યાં મુસ્લિમોની વસ્તી 11 થી 20 ટકા છે.

કોંગ્રેસે શું કહ્યું?
ટીકાનો સામનો કરી રહેલા કોંગ્રેસના નેતા ઝફર જાવેદે કહ્યું કે લઘુમતીઓમાં મુસ્લિમો વધુ છે, પરંતુ ખ્રિસ્તીઓ અને શીખો પણ તેની અંદર આવે છે. આવી સ્થિતિમાં કોઈ કારણ વગર સવાલો ઉભા થઈ રહ્યા છે.

AIMIMએ શું કહ્યું?
AIMIMના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારે પણ તે નબળી પડે છે ત્યારે તે અરાજકતા પેદા કરે છે. તેઓએ મુસ્લિમોનો મતબેંક માટે ઉપયોગ કર્યો છે.

કોંગ્રેસના લઘુમતી મેનિફેસ્ટોમાં શું છે?
લઘુમતીઓના કલ્યાણ માટેનું બજેટ વધારીને વાર્ષિક રૂ. 4,000 કરોડ કરવામાં આવશે. કોંગ્રેસે લઘુમતી સમુદાયના બેરોજગાર યુવાનો અને મહિલાઓને રાહત દરે લોન આપવા માટે દર વર્ષે રૂ. 1,000 કરોડની જોગવાઈ કરવાનું પણ વચન આપ્યું હતું. પાર્ટીએ કહ્યું હતું કે તે અબ્દુલ કલામ તોહફા-એ તાલિમ યોજના હેઠળ મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને અન્ય લોકોને લોન આપશે. શીખ અને અન્ય લઘુમતી સમુદાયોના યુવાનોને એમફિલ અને પીએચડીનો અભ્યાસ પૂર્ણ કરવા પર રૂ. 5 લાખની આર્થિક સહાય પૂરી પાડશે.

મેનિફેસ્ટોમાં ઈમામ, મુઅઝીન, ખાદિમ, પાદરી અને ગ્રંથી સહિત તમામ ધર્મોના પાદરીઓ માટે રૂ. 10,000 થી રૂ. 12,000નું માસિક માનદ વેતન આપવાની વાત કરવામાં આવી છે. લઘુમતી સમુદાયના બેઘર લોકોને ઘર બનાવવા માટે જગ્યા અને રૂ. 5 લાખ આપવામાં આવશે. આ ઉપરાંત લઘુમતી ઘોષણામાં તેલંગાણા શીખ લઘુમતી ફાઇનાન્સ કોર્પોરેશનની સ્થાપના ઉપરાંત ઉર્દૂ માધ્યમના શિક્ષકોની વિશેષ ભરતી કરવાનું વચન આપવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે રાજ્યમાં 30 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી છે. હાલમાં, KCRના નેતૃત્વમાં રાજ્યમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ની સરકાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે
રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે
દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી
દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા

વિડિઓઝ

BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન
Gujarat Mini Cyclone : ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકતા 5 લોકોના મોત
Kheda Rain : ખેડામાં પોણા 2 ઇંચ વરસાદ, અંડરપાસમાં ભરાયા પાણી
Dahod Cyclone Effect : દાહોદમાં ત્રાટક્યું વાવાઝોડું, સાઇન બોર્ડ પડતા 3ના મોત
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ભણતર મોંઘું થયું! સ્કૂલો ખુલતા પહેલાં વાલીઓને મોંઘવારીનો ઝટકો, ગાઈડના ભાવ ૨૫ ટકા વધ્યા
ભણતર મોંઘું થયું! સ્કૂલો ખુલતા પહેલાં વાલીઓને મોંઘવારીનો ઝટકો, ગાઈડના ભાવ ૨૫ ટકા વધ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
Embed widget