શોધખોળ કરો

માયાવતીની સામે અભદ્ર વાણી વિલાસ કરનાર દયાશંકર સિંહને ભાજપે હટાવ્યા

લખનઉઃ ઉત્તર પ્રદેશના બીજેપી ઉપાધ્યક્ષ દયા શંકર સિંહને બીએસપી પ્રમુખ માયવતી માટે આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યા હતો. આ બીજેપી નેતાએ ટિકિટ વેચાણ મામલે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, માયાવતી જે રીતે કીંમત કરી રહી છે તે રીતે એક વેશ્યા પણ પોતાના ધંધામાં કરતી નથી. દયા શંકર સિંહે મઉમાં આ વિવાદિત નિવેદન આપ્યું હતું. આ મામલે બીજેપીએ કાર્યવાહી કરતા બીજેપીના દયા શંકર સિંહને પાર્ટીના અધ્યક્ષ પદથી હટાવી દીધા છે. ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી છે. ઉત્તરપ્રદેશના ભાજપના વાઇસ પ્રેસિડેન્ટ દયાશંકર સિંહે બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતીની સરખામણી વેશ્યા સાથે કરતા ભારે વિવાદ પેદા થયો હતો. દયાશંકર સિંહે માયાવતી પર ટિકિટ વેચવાનો આરોપ લગાવી આરોપ લગાવ્યો હતો. જોકે, ભાજપના નેતા અરુણ જેટલીએ સંસદમાં આ ટિપ્પણીની ટીકા કરી હતી. બીએસપી સાંસદ સતીશ ચંદ્ર મિશ્રાએ માંગ કરી હતી કે દયાશંકર સિંહ પર એસસી/એસટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવે. દયાશંકર સિંહની આ ટિપ્પણી પર ભાજપના પ્રદેશ પ્રમુખ કેશવ પ્રસાદ મૌર્યએ માફી માંગી હતી. આ મુદ્દે માયાવતીએ જણાવ્યું હતું કે, આના પરથી બીજેપીની વિચારસરણીની જાણ થાય છે. તે સાથે માયાવતીએ કહ્યું કે બીજેપીની હતાશા જણાવી રહી છે કે ઉત્તરપ્રદેશમાં બીએસપીની તાકાત વધી રહી છે. માયાવતીએ રાજ્યસભામાં કહ્યું કે, ફક્ત દુખ પ્રગટ કરવાથી કામ નહીં ચાલે. દયાશંકર સિંહને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવે અને તેમના પર કાર્યવાહી કરવાની માંગ કરીએ છીએ. નોંધનીય છે કે મીડિયા સાથેની વાતમાં દયાશંકર સિંહે કહ્યુ હતું કે, માયાવતી ટિકિટ વેચે છે. તે આવડી મોટી નેતા છે, ત્રણ વખત રાજ્યની મુખ્યમંત્રી રહી છે છતાં તે તેને ટિકિટ આપે છે જે એક કરોડ રૂપિયા આપવા રાજી થાય છે. જો કોઇ બે કરોડ રૂપિયા આપી દે તો તેને ટિકિટ આપી દે છે અને જો કોઇ 3 કરોડ રૂપિયા આપે તો તેને ટિકિટ આપી દે છે. આજે તેનું ચરિત્ર વેશ્યાથી ખરાબ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Video: લાલ કપડુ એટલે ખતરાનું નિશાન..રાજકોટ ગોંડલ ચોકડી બ્રિજનો વીડિયો વાયરલHun To Bolish : હું તો બોલીશ : શિકારની શોધમાં વનપ્રાણીHun To Bolish : હું તો બોલીશ : મારે નથી ઘસવા હીરા!Dwarka Video: દ્વારકાના ખંભાળિયામાં હોટેલમાં 2 યુવક અને 2 યુવતીઓ વચ્ચે બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
ઈદ પર બેંકો ખુલ્લી રહેશે, RBIએ ૩૧ માર્ચની રજા કેમ રદ કરી? જાણો શેરબજાર ચાલુ રહેશે કે બંધ?
ઈદ પર બેંકો ખુલ્લી રહેશે, RBIએ ૩૧ માર્ચની રજા કેમ રદ કરી? જાણો શેરબજાર ચાલુ રહેશે કે બંધ?
DC vs SRH Score: દિલ્હીએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, ફાક ડૂ પ્લેસીસની આક્રમક ફિફ્ટી
DC vs SRH Score: દિલ્હીએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, ફાક ડૂ પ્લેસીસની આક્રમક ફિફ્ટી
નાની ભૂલથી અટકી જશે રાશન! રેશન કાર્ડના આ નિયમો જાણી લો, નહીં તો નહીં મળે અનાજ
નાની ભૂલથી અટકી જશે રાશન! રેશન કાર્ડના આ નિયમો જાણી લો, નહીં તો નહીં મળે અનાજ
Embed widget