શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
શહીદની પત્નીએ આપ્યો પુત્રને જન્મ, કહ્યું- પાકિસ્તાનથી લેશે બદલો
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની હુમલામાં શહીદ થયેલ જવાન રાજેશ યાદવની પત્નીએ એક બાળકને જન્મ આપ્યો છે. રાજેશની પત્ની શ્વેતા યાદવે બાળકના જન્મ પર કહ્યું કે મોટો થતા તેઓ તેના દીકરાને સેનામાં મોકલશે અને પાકિસ્તાનથી તેના પિતાની શહાદતનો બદલો લેશે.
ઉત્તરપ્રદેશના એટાના રહેવાસી રાજેશ યાદવ 5મી દિસેમ્બર 2018ના રોજ પાકિસ્તાનની બોર્ડર પર આતંકીઓ સાથે થયેલ એક અથડામણમાં શહીદ થયા હતા. તે સમયે તેમની પત્ની શ્વેતા ગર્ભવતી હતા. પતિને ગુમાવ્યા હોવાના દુઃખ સાથે તેમને બાળકને જન્મ આપ્યો. પ્રાપ્ત માહિતી મુજબ તેમનું બાળક સ્વસ્થ છે. દીકરાને જોઈને મા શ્વેતા ખૂબજ ખૂશ છે અને તેમની ખુશીનું કારણ એ છે કે તેઓ દીકરાને ભારતીય સૈનિક બનાવવા માંગે છે.
શ્વેતાને પતિની શહાદત પર ગર્વ છે અને તેમને ગુમાવ્યાનું દુખ પણ છે. પરંતુ તેમ છતા દેશભક્તિની ભાવના તેમનામાં હાલ જોવા મળી રહી છે. દીકરાને સેનામાં મોકલવાની વાત શ્વેતાએ ખૂજ કહી. જ્યારે બીજી તરફ શહીદના પિતા નેમસિંહનું કહેવું છે કે મે દેશ માટે મારા દીકરાને ગુમાવ્યો છે. પરંતુ પૌત્રના રૂપમાં તેમનો દીકરો ફરી આવ્યો છે અને તેને મોટો કરી ફરી સેનામાં ભર્તી કરાવશે.
રાજેશ તેમના માતા-પિતાના એકમાત્ર સંતાન હતા. તેમના શહીદ થવા પર આખા પરિવારને ગર્વ છે. પરિવારજનોએ કહ્યું કે પુલવામા થયેલ હુમલાએ તેમના દીકરાની શહાદતને ફરી તાજા કરી છે. તેમની માંગ છે કે સેના પાકિસ્તાનને સબક શીખવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion