શોધખોળ કરો

પંજાબ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસની હારની કોણે સ્વીકારી સંપૂર્ણ જવાબદારી ? જાણો શું કરાઈ જાહેરાત ?

મીટિંગમાં સોનિયા ગાંધીએ કહ્યું કે કેટલાક લોકો માને છે કે આ સ્થિતિ માટે ગાંધી જવાબદાર છે. જો તમે બધાને એવું જ લાગતું હોય, તો અમે સંગઠનની સફળતા અને મજબૂતી સુનિશ્ચિત કરવા માટે કંઈપણ કરવા તૈયાર છીએ.

કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC), કોંગ્રેસની ટોચની નીતિ-નિર્માણ સંસ્થાની બેઠક, વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની કારમી હાર પર વિચાર-મંથન કરવા માટે પાર્ટી હેડક્વાર્ટર ખાતે સાડા ચાર કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. આ બેઠકમાં સોનિયા ગાંધી ઉપરાંત પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને અન્ય ઘણા નેતાઓએ હાજરી આપી હતી.

આ બેઠકમાં, CWCએ સર્વસંમતિથી ચૂંટણીમાં થયેલા નુકસાનની જવાબદારી સ્વીકારી હતી. બેઠક બાદ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના સંગઠન પ્રભારી કે.સી વેણુગોપાલે બેઠક બાદ પ્રેસને જણાવ્યું હતું કે, "પક્ષ સ્વીકારે છે કે અમારી વ્યૂહરચનામાં ખામીને કારણે, અમે ચાર રાજ્યોમાં ભાજપની રાજ્ય સરકારના કુશાસનને અસરકારક રીતે ઉજાગર કરી શક્યા નથી, અને નેતૃત્વ પરિવર્તનની અસર કર્યા પછી ટૂંકા સમયમાં પંજાબ રાજ્યમાં સત્તા વિરોધીતાને દૂર કરી શક્યા નથી."

કોંગ્રેસ વર્કિંગ કમિટિની મળેલી બેઠકમાં પાર્ટીના નેતાઓએ પાંચ રાજ્યોમાં મળેલી હાર પર મંથન કર્યું હતું. આ સાથે નેતૃત્વ પરિવર્તન અંગે પણ ચર્ચા થઈ હતી. સુરજેવાલાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે કોંગ્રેસને સોનિયા ગાંધીના નેતૃત્વમાં પૂરો વિશ્વાસ છે.

કોંગ્રેસ જયપુરમાં ચિંતન શિબિરનું આયોજન કરશે, જેથી ચૂંટણીમાં હાર પર ઉંડાણપૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવે. સૂત્રોના જણાવ્યા અનુસાર એપ્રિલના પહેલા સપ્તાહમાં રાજસ્થાનના જયપુરમાં ચિંતન શિવરનું આયોજન કરવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે જો પાર્ટીને લાગે તો અમે ત્રણેય (સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી) રાજીનામું આપવા તૈયાર છીએ, પરંતુ CWCએ સર્વસંમતિથી તેને નકારી કાઢ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર મીટિંગમાં સોનિયા ગાંધીએ કહ્યું કે કેટલાક લોકો માને છે કે આ સ્થિતિ માટે ગાંધી જવાબદાર છે. જો તમે બધાને એવું જ લાગતું હોય, તો અમે સંગઠનની સફળતા અને મજબૂતી સુનિશ્ચિત કરવા માટે કંઈપણ કરવા તૈયાર છીએ. સુરજેવાલાએ જણાવ્યું કે બેઠકમાં તેમણે સોનિયા ગાંધીના નેતૃત્વની પુષ્ટી કરી અને તેમને પક્ષનું વધુ નેતૃત્વ કરવા અને સંગઠનાત્મક ફેરફારો કરવા વિનંતી કરી.

પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે CWCએ સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેમને પાર્ટીને મજબૂત કરવા માટે જરૂરી ફેરફારો કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે સંસદના બજેટ સત્ર પછી તરત જ 'ચિંતન શિવિર'નું આયોજન કરવામાં આવશે.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે દરેક નેતાએ સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને સંગઠનાત્મક ચૂંટણીઓ પૂરી ન થાય ત્યાં સુધી તેમને પ્રમુખ તરીકે ચાલુ રહેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે બેઠકમાં દરેક ચૂંટણી રાજ્યના પ્રભારીઓ અને વરિષ્ઠ નેતાઓએ CWC સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
Embed widget