મિશન 2022ને લઈ રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત, જાણો તેમના કાર્યક્રમ વિશે
ગુજરાત વિધાનસભાના ચૂંટણીની તૈયારીમાં તમામ પક્ષો લાગી ગયા છે. અત્યારથી જ રાજકીય પક્ષો દ્વારા પ્રચારનો દોર શરુ કરી દેવામાં આવ્યો છે.

અમદાવાદ: ગુજરાત વિધાનસભાના ચૂંટણીની તૈયારીમાં તમામ પક્ષો લાગી ગયા છે. અત્યારથી જ રાજકીય પક્ષો દ્વારા પ્રચારનો દોર શરુ કરી દેવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આવતા મહિને ફરી વખત ગુજરાતનાં પ્રવાસે આવશે. રાહુલ ગાંધી આગામી 12 જૂને દક્ષિણ ઝોનના વાંસદા ખાતે આદિવાસી સત્યાગ્રહ સંમેલનને સંબોધશે અને ચૂંટણી પ્રચારનો શંખનાદ ફૂંકશે. આ મહિનામાં જ રાહુલ ગાંધી ઉતર ગુજરાતમાં દાહોદના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન આદિવાસી કાર્યક્રમમાં તેઓ સામેલ થયા હતા. વિધાનસભા ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખીને કૉંગ્રેસે રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીના ચાર ઝોનમાં સંમેલન રાખવાનું નક્કી કર્યું છે. સૌરાષ્ટ્ર કચ્છનું સંમેલન પણ જૂન મહિનામાં જ યોજાવાનું છે અને તેનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
12 જૂને રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે. દક્ષિણ ગુજરાતના વાંસદાના ચારણવાડા ખાતે જાહેર સભા યોજાશે. રાહુલ ગાંધીની હાજરીમાં આદિવાસી સત્યાગ્રહ યોજાશે. એક મહિનાની અંદર રાહુલ ગાંધી બીજીવાર ગુજરાતના પ્રવાસે આવશે. મિશન 2022 માટે રાહુલ ગાંધી ફરી ગુજરાતના પ્રવાસે આવશે.
શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભાજપમાં જોડાશે, 2017માં મણિનગરથી કૉંગ્રેસના ઉમેદવાર હતા
હાર્દિક પટેલની સાથે શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભાજપમાં જોડાશે. આ અગાઉ રાજભવનમાં PM મોદી સાથે તેમણે મુલાકાત કરી હતી. શ્વેતા બ્રહ્મભટ્ટ સાથે 500 જેટલા કાર્યકરો પણ ભાજપમાં જોડાશે. 2017માં મણિનગરથી કૉંગ્રેસના ઉમેદવાર રહેલા શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપમાં જોડાશે.
શ્વેતા બ્રહ્મભટ્ટ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. શ્વેતા બ્રહ્મભટ્ટ મણિનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા. પીએમ સાથેની મુલાકાત બાદ શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપ સાથે જોડાય તેવી અટકળો ચાલી રહી હતી. 2017માં કૉંગ્રેસે યુવા ચહેરોને તક આપી તમામને ચોંકાવી દિધા હતા.
મણીનગર વિસ્તારમાં રહેતા શ્વેતા બ્રહ્મભટ્ટને નાનપણથી જ સામાજીક કાર્ય કરવાનો શોખ છે. તે વર્ષ 2012માં બેંગ્લોર આઇઆઇએમમાં પોલીટીકલ લીડરશીપ ફોર વુમનના કોર્સ કરી ચુક્યા છે. જેમાં તેમણે 80 ટકા સ્કોલરશીપ મેળવીને 4.5 મહીનાનો આ કોર્સ કર્યો હતો. ત્યારબાદ દેશના યુવા વર્ગ માટે કંઇક કરવાની તેમની જીજ્ઞાસા વધી હતી.
Before You Go
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક





















