શોધખોળ કરો

Gujarat Election 2022: ગોંડલ બેઠક પર બીજેપીની સેન્સ પ્રક્રિયા શરૂ, જયરાજસિંહ જાડેજા અને રીબડા જૂથ આમનેસામને

Gujarat Election 2022: રાજકોટ જિલ્લાની સૌથી રસપ્રદ ગોંડલ બેઠક પર સેન્સ પ્રક્રિયામાં દાવેદારો પહોંચ્યા હતા. ભાજપનો ગઢ ગણાતી ગોંડલ બેઠક પર 2 ક્ષત્રિય આગેવાનો સામસામે આવી ચૂક્યા છે.

Gujarat Election 2022: રાજકોટ જિલ્લાની સૌથી રસપ્રદ ગોંડલ બેઠક પર સેન્સ પ્રક્રિયામાં દાવેદારો પહોંચ્યા હતા. ભાજપનો ગઢ ગણાતી ગોંડલ બેઠક પર 2 ક્ષત્રિય આગેવાનો સામસામે આવી ચૂક્યા છે. જયરાજસિંહ જાડેજા જૂથ અને રીબડા જૂથ છે સામસામે છે. રીબડા જૂથ તરફથી રાજદીપ સિંહ જાડેજા, સહદેવ સિંહ જાડેજા, શશીકાંત રૈયાણી અને શ્વેતા પટેલએ દાવેદારી કરી છે. ગોંડલના સહકારી આગેવાન જયંતી ઢોલ રીબડા જૂથના સમર્થનમાં પહોંચ્યા હતા.

આ અવસરે જ્યંતી ઢોલએ કહ્યું, હું 40 વર્ષથી ભાજપમાં છું. પાર્ટી જેમને ટીકિટ આપશે તેમનું હું સમર્થન કરીશ. જયરાજસિંહ જૂથ તરફથી જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતા. ગોંડલ બેઠક પર જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતા બા જાડેજા વર્તમાન ધારાસભ્ય છે. મોટી સંખ્યામાં ટેકેદારો સાથે જ્યોતિરાદિત્યસિંહ સેન્સ આપવા માટે પહોંચ્યા હતા. ગોંડલ બેઠક પર મસગ્ર સૌરાષ્ટ્રના રાજકારણની નજર રહેલી છે. હાલમાં આ બેઠકને લઈને રાજકારણ ગરમાયું છે.

 

આ બેઠક પર ભાજપના 48 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી

વિધાનસભાની ચૂંટણી હવે આવી ગઈ છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો શોધવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં આજે બીજા દિવસે પણ ઉમેદવારોની પસંગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે ગઈ કાલે અબડાસા,માંડવી મુંદ્રા અને ગાંધીધામ આમ ત્રણ બેઠક ઉપર સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને મુરતિયાઓએ દાવેદારી નોંધાવી હતી. જ્યારે આજે બીજા દિવસે ભુજ બેઠક, અંજાર બેઠક અને રાપર બેઠક ઉપર સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

અંજાર બેઠક પર દિગ્ગજોએ દાવેદારી નોંધાવી

જેમાં સવારે ૧૦ વાગ્યાથી અંજાર બેઠક ઉપર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અંજાર બેઠક પર દિગ્ગજોએ દાવેદારી નોંધાવી છે. અંજાર બેઠક ઉપર પૂર્વ રાજ્યમંત્રી વાસણ આહીર, અમુલના વાઇસ ચેરમેન વલમજી હુંબલ, ઉદ્યોગપતિ બાબુ હુંબલ તેમજ સામાજિક આગેવાન મહેશ સોરઠીયા પ્રબળ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. અંજાર બેઠક પર આહીર સમુદાયનું પ્રભુત્વ વધારે રહેલુ છે. બપોર બાદ ભુજ અને રાપર બેઠકના સેન્સ લેવામાં આવશે. 

વિરમગામ બેઠક માટે 48 લોકોએ ટિકિટની માગણી કરી 

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીના ઉમેદવારો પસંદ કરવા ભારતીય જનતા પક્ષ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્યની વિરમગામ વિધાનસભા બેઠક માટે હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન કુલ 48 લોકોએ ટિકિટની માગણી કરી હતી. ભાજપના જુના જોગીઓથી માંડીને નવા ચેહરાઓએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.. પાલિકા ઉપપ્રમુખ, ફિલ્મ પ્રોડ્યુસર, પૂર્વ ધારાસભ્યો, પાટીદાર અનામત આંદોલનના ચેહરા રહેલા પાટીદાર યુવાઓએ અને ભાજપના સંગઠનમાં કામ કરનારા હોદ્દેદારોએ પણ ટિકિટ માંગી છે.

વિરમગામ બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી

વિરમગામ બેઠક માટે આજે જેતલપુર એપીએમસીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.  જુના જોગીઓની વાત કરીએ તો પૂર્વ ધારાસભ્ય પ્રાગજીભાઈ પટેલે પણ આગામી ચૂંટણી લડવા માટે નિરીક્ષકો સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી છે.  આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને 2017માં 6 હજાર મતોથી કોંગ્રેસના ઉમેદવાર સામે હારેલા તેજશ્રી પટેલે પણ ફરી ટિકિટ માંગી છે.  પાટીદાર અનામત આંદોલનના ચેહરા રહેલા વરુણ પટેલ અને ચિરાગ પટેલે પણ વિરમગામ બેઠક પર દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત હાર્દિક પટેલ માટે તેમના સમર્થકો દ્વારા ટિકિટ માગવામાં આવી છે.

વિરમગામ નગરપાલિકાના ઉપપ્રમુખ દીપા ઠક્કર દ્વારા પણ દાવેદરી કરવામાં આવી છે.  તેમનું માનવું છે કે, મહિલાઓનું સન્માન ભાજપ કરે છે ત્યારે આગામી ચૂંટણીમાં મહિલા તરીકે પોતાને ટિકિટ મળે તેવી લાગણી છે. વિશ્વહિન્દુ પરિષદના સાંસ્કૃતિક સેલના રાષ્ટ્રીય પ્રમુખ અને ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યા પટેલ દ્વારા પણ વિરમગામ બેઠક પર ચૂંટણી લડવા માગણી કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ
IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત
Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત
Embed widget