શોધખોળ કરો

શ્રીરામ ગ્રૂપના આ ફાઉન્ડરે 6000 કરોડની દોલત તેના કર્મચારીમાં વહેંચી દીધી, કોણ છે આ દરિયાદિલ બિઝનેસમેન?

શ્રીરામ ગ્રૂપના સ્થાપક આર. ત્યાગરાજને તેમની જીવનભરની કમાણીને દાન કરી દીધી છે. ઘર અને કાર સિવાયની તમામ સંપત્તિ તેમના કર્મચારીમાં વહેંચી દીધી છે. કોણ છે આ દરિયાદિલ બિઝનેસમેન જાણીએ

Amazing businessman:આપને જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ એ હકીકત છે કે, શ્રીરામ ગ્રૂપના ફાઉન્ડર આર. ત્યાગરાજને  તેની તમામ સંપત્તિ તેના કર્મચારીઓને દાનમાં આપી દીધી. તમને જાણીને નવાઈ લાગશે કે કરોડોનો બિઝનેસ ચલાવનાર ત્યાગ રાજન પાસે પોતાનો પર્સનલ મોબાઈલ ફોન પણ નથી. તેમણે 6000 કરોડની સંપતિ તેમના જ કંપનીના કર્મચારીઓમાં વહેંચી દીધી છે. 

ઉદ્યોગપતિઓ સામાન્ય રીતે  દાન કરતા હોય છે. કેટલાક સામાજિક કાર્ય માટે દાન કરે છે, તો કેટલાક કુદરતી આફતમાં, પરંતુ આજે અમે તમને જેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમને પોતાની  જિંદગીની કમાણી  કર્મચારીઓ માટે દાન કરી દીધી. કલયુગના આ દાનવીર કર્ણએ પોતાની બધી સંપત્તિ દાનમાં આપી દેતા આશ્ચર્ય સર્જાયું છે.  કોણ છે આ મહાન ઉદ્યોગપતિ જાણીએ.

શ્રીરામ ગ્રૂપના સ્થાપક આર ત્યાગરાજનનો જન્મ તમિલનાડુમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. ગણિતમાં સ્નાતક થયા પછી, તેમણે ભારતીય આંકડાકીય સંસ્થા, કોલકાતામાંથી માસ્ટર ડિગ્રી મેળવી. વર્ષ 1961માં તેઓ ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીમાં જોડાયા. લગભગ 20 વર્ષ સુધી કામ કર્યા પછી, તેણે પોતાનું કામ શરૂ કરવાનું નક્કી કર્યું. વર્ષ 1974માં તેણે બે મિત્રો સાથે મળીને શ્રીરામ ગ્રુપની શરૂઆત કરી. કંપનીએ ચિટ ફંડ બિઝનેસ તરીકે શરૂઆત કરી હતી, પરંતુ બાદમાં તેઓએ લોન અને વીમા તરફ તેમનો બિઝનેસ વિસ્તારવાનું શરૂ કર્યું હતું.

બ્લૂમબર્ગને આપેલા તાજેતરના ઈન્ટરવ્યુમાં 86 વર્ષીય ત્યાગરાજને કહ્યું કે, તેમણે તેમની 750 મિલિયન ડોલર એટલે કે લગભગ 6 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ દાનમાં આપી છે. તેણે એક નાનકડું ઘર અને એક કાર સિવાય તેની તમામ સંપત્તિ તેના કર્મચારીઓને દાનમાં આપી દીધી. તેણે કહ્યું કે મેં મારો આખો હિસ્સો કર્મચારીઓના જૂથને આપી દીધો છે. તેણે કહ્યું કે હું એવા લોકોના જીવનમાં થોડી ખુશી લાવવા માંગતો હતો જેઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેણે કહ્યું કે મારે પૈસાની જરૂર નથી. મને પહેલા પૈસાની જરૂર નહોતી અને હવે પણ તેની જરૂર નથી. તેમનો મોટાભાગનો સમય સંગીત સાંભળવામાં અને વિદેશી બિઝનેસ મેગેઝિન વાંચવામાં પસાર થાય છે.

1 લાખથી વધુ લોકોને રોજગાર

શ્રીરામ ગ્રૂપ, ભારતની અગ્રણી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીમાંની એક છે, જે  ગરીબોને વાહન લોન આપે છે. જરૂરિયાતમંદ લોકોને લોન આપે છે. લોન સિવાય તે વીમો પણ આપે છે. કંપનીએ અત્યાર સુધીમાં 1,08,000 લોકોને રોજગારી આપી છે. તેણે આ મુલાકાત દરમિયાન કહ્યું કે મેં મારા કર્મચારીઓનો પગાર બજાર કરતા ઓછો રાખ્યો છે. અમે તેમને એટલું જ આપ્યું કે તેઓ પોતાને ખુશ રાખી શકે. તેમણે કહ્યું કે અમારો સ્ટાફ આ વ્યવસ્થાથી ખુશ છે.

મોબાઇલ  નથી રાખતા સાથે

ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે, હું મોબાઈલ ફોન મારી સાથે રાખતો નથી, કારણ કે મને લોકો સાથે પ્રત્યક્ષ જ  જોડાવું ગમે છે. તેણે વર્ષો સુધી હૈચબેક ચલાવી. તેણે તેના પરિવારને તેના વ્યવસાયથી અલગ રાખ્યો. તેણે પોતાના પરિવારમાંથી કોઈ સભ્યને કંપનીની મેનેજમેન્ટ ટીમ કે લીડરશિપમાં સ્થાન આપ્યું ન હતું. તેમનો પુત્ર ટી શિવરામન એન્જિનિયર છે. નાનો પુત્ર સીએ છે અને શ્રીરામ ગ્રુપમાં કર્મચારી તરીકે કામ કરે છે. કંપનીના નફાની વાત કરીએ તો, તેમની કંપનીએ નાણાકીય વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં 1675 કરોડનો નફો હાંસલ કર્યો હતો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
Iraq: સમલૈંગિક સંબંધ ગણાશે ગુનો, આ દેશે બનાવ્યો નવો કાનૂન, 15 વર્ષની થશે જેલ
Iraq: સમલૈંગિક સંબંધ ગણાશે ગુનો, આ દેશે બનાવ્યો નવો કાનૂન, 15 વર્ષની થશે જેલ
Akshaya Tritiya 2024:  અક્ષય તૃતીયાના દિવસે ખરીદી કરવાની સાથે કરો આ કામ, ઘરમાં ક્યારેય નહીં થાય ધનની કમી
Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયાના દિવસે ખરીદી કરવાની સાથે કરો આ કામ, ઘરમાં ક્યારેય નહીં થાય ધનની કમી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Lok Sabha Election: અમિત શાહે ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં કરાયેલ કામગીરીના રિપોર્ટનો કર્યો અભ્યાસLok Sabha Election 2024: કુંવરજી બાવળિયાએ ગુજરાતની તમામ બેઠક પર જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસકોંગ્રેસની માનસિકતા લોકો સામે  ઉજાગર થઈ: રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે સીઆર પાટીલની પ્રતિક્રિયાAAPમાંથી વિધાનસભાની ચૂંટણી લડેલા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
Iraq: સમલૈંગિક સંબંધ ગણાશે ગુનો, આ દેશે બનાવ્યો નવો કાનૂન, 15 વર્ષની થશે જેલ
Iraq: સમલૈંગિક સંબંધ ગણાશે ગુનો, આ દેશે બનાવ્યો નવો કાનૂન, 15 વર્ષની થશે જેલ
Akshaya Tritiya 2024:  અક્ષય તૃતીયાના દિવસે ખરીદી કરવાની સાથે કરો આ કામ, ઘરમાં ક્યારેય નહીં થાય ધનની કમી
Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયાના દિવસે ખરીદી કરવાની સાથે કરો આ કામ, ઘરમાં ક્યારેય નહીં થાય ધનની કમી
Saumya Tandon: 'ભાભીજી ઘર પર હૈં' ફેમ અભિનેત્રી સૌમ્યા ટંડન હોસ્પિટલમાં ભરતી, તસવીર જોઈ ફેન્સ થયા હેરાન
Saumya Tandon: 'ભાભીજી ઘર પર હૈં' ફેમ અભિનેત્રી સૌમ્યા ટંડન હોસ્પિટલમાં ભરતી, તસવીર જોઈ ફેન્સ થયા હેરાન
Elon Musk: ભારતનો પ્રવાસ ટાળીને ઇલોન મસ્ક ગુપચુપ ચીન પહોંચી ગયા, જાણ શું છે કારણ?
Elon Musk: ભારતનો પ્રવાસ ટાળીને ઇલોન મસ્ક ગુપચુપ ચીન પહોંચી ગયા, જાણ શું છે કારણ?
Gold Price Weekly: છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં આવ્યો તોતિંગ ઘટાડો, ખરીદી કરવાની છે ઉત્તમ તક
Gold Price Weekly: છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં આવ્યો તોતિંગ ઘટાડો, ખરીદી કરવાની છે ઉત્તમ તક
PCB New Coach: ભારતને વર્લ્ડ કપ જીતાડનાર આ પૂર્વ ખેલાડીને પાકિસ્તાને બનાવ્યો હેડ કોચ
PCB New Coach: ભારતને વર્લ્ડ કપ જીતાડનાર આ પૂર્વ ખેલાડીને પાકિસ્તાને બનાવ્યો હેડ કોચ
Embed widget