શોધખોળ કરો

Vadodara Congress: વડોદરા જિલ્લા કોંગ્રેસમાં ડખા, હવે આ મોટા નેતાનું રાજીનામું પડવાની તૈયારી

લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપ વધુને વધુ મજબૂત બની રહી છે. જ્યારે કોંગ્રેસ વધુને વધુ નબળી થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે

Vadodara Congress: લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ દેખાઇ રહ્યું છે. હાલમાં જ માહિતી છે કે, વડોદરા જિલ્લા કોંગ્રેસમાં અંદરો અંદરના ડખા હવે છતાં થઇ રહ્યાં છે, એક મેસેજથી વાતો ચર્ચાઇ રહી છે કે, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જશપાલસિંહ પઢિયાર પદ પરથી રાજીનામુ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, એક પછી એક કોંગ્રેસના મોટા નેતાઓ વચ્ચેનો વિવાદ પક્ષ માટે ખતરો બની શકે છે. 

લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપ વધુને વધુ મજબૂત બની રહી છે. જ્યારે કોંગ્રેસ વધુને વધુ નબળી થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના એક પછી એક મોટા નેતાઓ વચ્ચેના વિવાદો સપાટી પર આવી રહ્યાં છે. હાલમાં જ માહિતી છે કે, હવે મધ્ય ગુજરાતમાં પણ, એટલે કે વડોદરા કોંગ્રેસમાં પણ ડખો સામે આવ્યો છે. હાલમાં વડોદરા જિલ્લામાં કોંગ્રેસમાં એક સાધે ત્યાં તેર તૂટે જેવી હાલત બની ગઇ છે જિલ્લા કોંગ્રેસમાં ભંગાણની શક્યતાઓ સેવાઇ રહી છે કેમ કે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ જશપાલસિંહ પઢીયાર પ્રમુખ પદ પરથી રાજીનામુ આપશે. બે મીટીંગ પૂર્ણ કર્યા બાદ રાજીનામું આપવાનો મેસેજ કોંગ્રેસ ગૃપમાં વાયરલ કર્યો છે. આ મેસેજમાં લોકો સ્વમાન અને આત્મસન્માનના ભોગે વ્યક્તિગત આક્ષેપ કરાતાં હોવાનો ઉલ્લેખ છે. આ મેસેજ વાયરલ થયા બાદ તેમનો સંપર્ક કરતાં તેમને જણાવ્યું કે પદ છોડશે પરંતુ કોંગ્રેસ પક્ષમાં સક્રિય રહેશે.

આખરે કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને 6 વર્ષ માટે બતાવી દીધો પાર્ટીમાંથી બહારનો રસ્તો,પાર્ટી વિરોધી નિવેદનો પડ્યા ભારે

આચાર્ય પ્રમોદ કૃષ્ણમને કોંગ્રેસે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણમને કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા છે. કોંગ્રેસે આ નિર્ણય અનુશાસનહીનતા અને પાર્ટી વિરુદ્ધના નિવેદનબાજીના કારણે લીધો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમને કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધના તેમના વક્તવ્ય અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેની નિકટતા વચ્ચે 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણમ કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ સતત અવાજ ઉઠાવી રહ્યા હતા કારણ કે કોંગ્રેસ પાર્ટીએ અયોધ્યામાં આયોજિત રામ લલ્લાના અભિષેક કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો.

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝ નોટમાં કહેવામાં આવ્યું છે કે અનુશાસનહીનતાની ફરિયાદો અને પાર્ટી વિરુદ્ધ વારંવારના નિવેદનોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આચાર્ય પ્રમોદ કૃષ્ણમને તાત્કાલિક અસરથી છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ પહેલા શનિવારે (10 ફેબ્રુઆરી) આચાર્ય પ્રમોદ કૃષ્ણમ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદને મળ્યા હતા. આની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવી હતી

તાજેતરમાં, તેમણે કલ્કિ ધામના કાર્યક્રમ માટે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત ભારતીય જનતા પાર્ટીના તમામ મોટા નેતાઓને પણ આમંત્રણ આપ્યું હતું. તેઓ હાલમાં જ પીએમ મોદીને મળ્યા હતા અને તેમના ખૂબ વખાણ કર્યા હતા. પ્રમોદ કૃષ્ણમ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનો સિવાય અલગ-અલગ સમયે નિવેદન આપતા જોવા મળ્યા હતા. આ સિવાય તે પાર્ટી લાઇનની બહાર જઈને નિવેદનો પણ આપ્યા હતા.

શું આચાર્ય આચાર્ય પ્રમોદ કૃષ્ણમ ભાજપમાં જોડાશે?
આચાર્ય પ્રમોદ કૃષ્ણમ વર્ષ 2019માં લખનૌ લોકસભા બેઠક પરથી રાજનાથ સિંહ સામે ચૂંટણી લડ્યા હતા. આચાર્ય પ્રમોદ કૃષ્ણમ આ વખતે પણ લોકસભા ચૂંટણી લડવા માંગતા હતા. લખનૌ ઉપરાંત, તેઓ સંભલથી પણ ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ વર્તમાન ઈન્ડિયા ગઠબંધન, સમાજવાદી પાર્ટીએ સંભલ અને લખનૌની લોકસભા બેઠક પરથી એક-એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. આ કારણે પણ તેઓ પાર્ટીથી નારાજ જણાતા હતા. એવી ધારણા છે કે પ્રમોદ ક્રિષ્નમ આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે અને આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ કોઈકબેઠક પરથી ઉમેદવાર બનાવી શકે છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget