![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vadodara Congress: વડોદરા જિલ્લા કોંગ્રેસમાં ડખા, હવે આ મોટા નેતાનું રાજીનામું પડવાની તૈયારી
લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપ વધુને વધુ મજબૂત બની રહી છે. જ્યારે કોંગ્રેસ વધુને વધુ નબળી થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે
![Vadodara Congress: વડોદરા જિલ્લા કોંગ્રેસમાં ડખા, હવે આ મોટા નેતાનું રાજીનામું પડવાની તૈયારી Vadodara Congress: Jilla Congress Pramukh Jashpalsinh Padhiyar will give resign from designation, congress clash in vadodara Vadodara Congress: વડોદરા જિલ્લા કોંગ્રેસમાં ડખા, હવે આ મોટા નેતાનું રાજીનામું પડવાની તૈયારી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/07/b3c9231bfb3f8a83cb2b4785ad9e1be91707278654435645_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vadodara Congress: લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ દેખાઇ રહ્યું છે. હાલમાં જ માહિતી છે કે, વડોદરા જિલ્લા કોંગ્રેસમાં અંદરો અંદરના ડખા હવે છતાં થઇ રહ્યાં છે, એક મેસેજથી વાતો ચર્ચાઇ રહી છે કે, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જશપાલસિંહ પઢિયાર પદ પરથી રાજીનામુ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, એક પછી એક કોંગ્રેસના મોટા નેતાઓ વચ્ચેનો વિવાદ પક્ષ માટે ખતરો બની શકે છે.
લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપ વધુને વધુ મજબૂત બની રહી છે. જ્યારે કોંગ્રેસ વધુને વધુ નબળી થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના એક પછી એક મોટા નેતાઓ વચ્ચેના વિવાદો સપાટી પર આવી રહ્યાં છે. હાલમાં જ માહિતી છે કે, હવે મધ્ય ગુજરાતમાં પણ, એટલે કે વડોદરા કોંગ્રેસમાં પણ ડખો સામે આવ્યો છે. હાલમાં વડોદરા જિલ્લામાં કોંગ્રેસમાં એક સાધે ત્યાં તેર તૂટે જેવી હાલત બની ગઇ છે જિલ્લા કોંગ્રેસમાં ભંગાણની શક્યતાઓ સેવાઇ રહી છે કેમ કે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ જશપાલસિંહ પઢીયાર પ્રમુખ પદ પરથી રાજીનામુ આપશે. બે મીટીંગ પૂર્ણ કર્યા બાદ રાજીનામું આપવાનો મેસેજ કોંગ્રેસ ગૃપમાં વાયરલ કર્યો છે. આ મેસેજમાં લોકો સ્વમાન અને આત્મસન્માનના ભોગે વ્યક્તિગત આક્ષેપ કરાતાં હોવાનો ઉલ્લેખ છે. આ મેસેજ વાયરલ થયા બાદ તેમનો સંપર્ક કરતાં તેમને જણાવ્યું કે પદ છોડશે પરંતુ કોંગ્રેસ પક્ષમાં સક્રિય રહેશે.
આખરે કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને 6 વર્ષ માટે બતાવી દીધો પાર્ટીમાંથી બહારનો રસ્તો,પાર્ટી વિરોધી નિવેદનો પડ્યા ભારે
આચાર્ય પ્રમોદ કૃષ્ણમને કોંગ્રેસે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણમને કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા છે. કોંગ્રેસે આ નિર્ણય અનુશાસનહીનતા અને પાર્ટી વિરુદ્ધના નિવેદનબાજીના કારણે લીધો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમને કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધના તેમના વક્તવ્ય અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેની નિકટતા વચ્ચે 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણમ કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ સતત અવાજ ઉઠાવી રહ્યા હતા કારણ કે કોંગ્રેસ પાર્ટીએ અયોધ્યામાં આયોજિત રામ લલ્લાના અભિષેક કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝ નોટમાં કહેવામાં આવ્યું છે કે અનુશાસનહીનતાની ફરિયાદો અને પાર્ટી વિરુદ્ધ વારંવારના નિવેદનોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આચાર્ય પ્રમોદ કૃષ્ણમને તાત્કાલિક અસરથી છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ પહેલા શનિવારે (10 ફેબ્રુઆરી) આચાર્ય પ્રમોદ કૃષ્ણમ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદને મળ્યા હતા. આની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવી હતી
તાજેતરમાં, તેમણે કલ્કિ ધામના કાર્યક્રમ માટે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત ભારતીય જનતા પાર્ટીના તમામ મોટા નેતાઓને પણ આમંત્રણ આપ્યું હતું. તેઓ હાલમાં જ પીએમ મોદીને મળ્યા હતા અને તેમના ખૂબ વખાણ કર્યા હતા. પ્રમોદ કૃષ્ણમ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનો સિવાય અલગ-અલગ સમયે નિવેદન આપતા જોવા મળ્યા હતા. આ સિવાય તે પાર્ટી લાઇનની બહાર જઈને નિવેદનો પણ આપ્યા હતા.
શું આચાર્ય આચાર્ય પ્રમોદ કૃષ્ણમ ભાજપમાં જોડાશે?
આચાર્ય પ્રમોદ કૃષ્ણમ વર્ષ 2019માં લખનૌ લોકસભા બેઠક પરથી રાજનાથ સિંહ સામે ચૂંટણી લડ્યા હતા. આચાર્ય પ્રમોદ કૃષ્ણમ આ વખતે પણ લોકસભા ચૂંટણી લડવા માંગતા હતા. લખનૌ ઉપરાંત, તેઓ સંભલથી પણ ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ વર્તમાન ઈન્ડિયા ગઠબંધન, સમાજવાદી પાર્ટીએ સંભલ અને લખનૌની લોકસભા બેઠક પરથી એક-એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. આ કારણે પણ તેઓ પાર્ટીથી નારાજ જણાતા હતા. એવી ધારણા છે કે પ્રમોદ ક્રિષ્નમ આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે અને આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ કોઈકબેઠક પરથી ઉમેદવાર બનાવી શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)