શોધખોળ કરો
આમિર ખાન પહોંચ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડાપ્રધાન મોદીનો માન્યો આભાર, વાગોળી બાળપણની યાદો
આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એમડી મુકેશ પુરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સારી કામગીરી કરનારા કર્મચારીઓને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે બોલિવૂડના સુપ્રસિદ્ધ અભિનેતા આમિર ખાને પણ ખાસ હાજરી આપી હતી.
1/5

ધ્વજવંદન બાદ આમિર ખાને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને તેની ભવ્યતા નિહાળી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયા પછી આમિર ખાને મીડિયા સાથે વાતચીત કરી હતી.
2/5

આ દરમિયાન આમિર ખાને નર્મદા અને રાજપીપળા સાથે જોડાયેલી પોતાની જૂની યાદો તાજી કરી હતી.
Published at : 26 Jan 2025 05:39 PM (IST)
આગળ જુઓ





















