શોધખોળ કરો

Canada: હરદીપસિંહ નિજ્જર હત્યાકાંડ પર કેનેડા પોલીસનું નિવેદન, કેસની તપાસને લઇને શું કરી વાત

Canada Police:કેનેડા પોલીસે ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં નિવેદન જાહેર કર્યું છે

Canada Police: કેનેડા પોલીસે ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં નિવેદન જાહેર કર્યું છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આતંકવાદી નિજ્જરની હત્યાની સક્રિય તપાસ કરવામાં આવી રહી છે. પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના વડા 45 વર્ષીય નિજ્જરને આ વર્ષે 18 જૂનના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારત સરકારે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. નિજ્જરની હત્યાની તપાસ કેનેડિયન પોલીસની ઈન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમ (IHIT) દ્વારા કરવામાં આવી રહી છે.

IHITના પ્રવક્તા સાર્જન્ટ ટિમોથી પીએરોટીએ ગુરુવારે મીડિયાને જણાવ્યું હતું કે, “અમે હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગેના અહેવાલોથી વાકેફ છીએ. કેસ હજુ તપાસ હેઠળ હોવાથી હું પોલીસ દ્વારા એકઠા કરાયેલા પુરાવા પર કોઇ ટિપ્પણી કરી શકતો નથી. તેમણે કહ્યું હતું કે પોલીસે પુરાવાના આધારે વિસ્તારની સંપૂર્ણ તપાસ કરી છે અને કેસ સંબંધિત તમામ વીડિયો ફૂટેજ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

દરમિયાન, બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા સાહિબે એ વાતની તપાસ શરૂ કરી છે કે અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે નિજ્જરની હત્યાના સીસીટીવી ફૂટેજ કેવી રીતે મેળવ્યા. નોંધનીય છે કે નિજ્જરની ગુરુ નાનક શીખ ગુરુદ્વારા સાહિબમાં હત્યા કરવામાં આવી હતી. ગુરુદ્વારાના પ્રવક્તા ગુરકીરત સિંહે કહ્યું કે અમને કહેવામાં આવ્યું છે કે આ વીડિયો મીડિયા અને લોકો માટે જાહેર કરવામાં આવ્યા નથી કારણ કે કેસમાં હજુ તપાસ ચાલી રહી છે. હવે આ વીડિયો કોઈને આપવામાં આવશે નહીં. સિંહે કહ્યું કે તેમણે હત્યા સાથે સંબંધિત વીડિયો ઘણી વખત જોયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ હત્યા સમજી વિચારીને કરવામાં આવી હતી. આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી હરદીપ સિંહની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા. તેને ખબર હતી કે નિજ્જર ક્યાં જાય છે અને ક્યારે તે ગુરુદ્વારામાંથી બહાર આવે છે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં જ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતની કથિત સંડોવણીનો આરોપ લગાવ્યો હતો, જે પછી આ મામલો વિવાદમાં આવ્યો હતો. ટ્રુડોના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે. જોકે, ભારતે ટ્રુડોના આરોપને પાયાવિહોણા અને રાજનીતિથી પ્રેરિત ગણાવીને ફગાવી દીધા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UNSCની અસ્થાયી સભ્યતા માટે ભારતને ચીનનો મળશે સાથ? દાવેદારીને સંદર્ભે આપ્યું મોટુ નિવેદન
UNSCની અસ્થાયી સભ્યતા માટે ભારતને ચીનનો મળશે સાથ? દાવેદારીને સંદર્ભે આપ્યું મોટુ નિવેદન
Iran US Clash: ઈરાન પર સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો હુમલો, રેલવે બ્રિજ, એરપોર્ટને બનાવ્યા નિશાન
Iran US Clash: ઈરાન પર સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો હુમલો, રેલવે બ્રિજ, એરપોર્ટને બનાવ્યા નિશાન
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
US Exit Iraq: 23 વર્ષ, હજારો સૈનિક અને અબજો ડૉલર... હવે ઈરાન છોડી રહ્યું છે અમેરિકા, જાણો તેની પાછળનું કારણ
US Exit Iraq: 23 વર્ષ, હજારો સૈનિક અને અબજો ડૉલર... હવે ઈરાન છોડી રહ્યું છે અમેરિકા, જાણો તેની પાછળનું કારણ

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આગામી 7 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Rain Forecast: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આગામી 7 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Embed widget