શોધખોળ કરો

Canada: હરદીપસિંહ નિજ્જર હત્યાકાંડ પર કેનેડા પોલીસનું નિવેદન, કેસની તપાસને લઇને શું કરી વાત

Canada Police:કેનેડા પોલીસે ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં નિવેદન જાહેર કર્યું છે

Canada Police: કેનેડા પોલીસે ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં નિવેદન જાહેર કર્યું છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આતંકવાદી નિજ્જરની હત્યાની સક્રિય તપાસ કરવામાં આવી રહી છે. પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના વડા 45 વર્ષીય નિજ્જરને આ વર્ષે 18 જૂનના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારત સરકારે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. નિજ્જરની હત્યાની તપાસ કેનેડિયન પોલીસની ઈન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમ (IHIT) દ્વારા કરવામાં આવી રહી છે.

IHITના પ્રવક્તા સાર્જન્ટ ટિમોથી પીએરોટીએ ગુરુવારે મીડિયાને જણાવ્યું હતું કે, “અમે હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગેના અહેવાલોથી વાકેફ છીએ. કેસ હજુ તપાસ હેઠળ હોવાથી હું પોલીસ દ્વારા એકઠા કરાયેલા પુરાવા પર કોઇ ટિપ્પણી કરી શકતો નથી. તેમણે કહ્યું હતું કે પોલીસે પુરાવાના આધારે વિસ્તારની સંપૂર્ણ તપાસ કરી છે અને કેસ સંબંધિત તમામ વીડિયો ફૂટેજ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

દરમિયાન, બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા સાહિબે એ વાતની તપાસ શરૂ કરી છે કે અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે નિજ્જરની હત્યાના સીસીટીવી ફૂટેજ કેવી રીતે મેળવ્યા. નોંધનીય છે કે નિજ્જરની ગુરુ નાનક શીખ ગુરુદ્વારા સાહિબમાં હત્યા કરવામાં આવી હતી. ગુરુદ્વારાના પ્રવક્તા ગુરકીરત સિંહે કહ્યું કે અમને કહેવામાં આવ્યું છે કે આ વીડિયો મીડિયા અને લોકો માટે જાહેર કરવામાં આવ્યા નથી કારણ કે કેસમાં હજુ તપાસ ચાલી રહી છે. હવે આ વીડિયો કોઈને આપવામાં આવશે નહીં. સિંહે કહ્યું કે તેમણે હત્યા સાથે સંબંધિત વીડિયો ઘણી વખત જોયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ હત્યા સમજી વિચારીને કરવામાં આવી હતી. આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી હરદીપ સિંહની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા. તેને ખબર હતી કે નિજ્જર ક્યાં જાય છે અને ક્યારે તે ગુરુદ્વારામાંથી બહાર આવે છે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં જ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતની કથિત સંડોવણીનો આરોપ લગાવ્યો હતો, જે પછી આ મામલો વિવાદમાં આવ્યો હતો. ટ્રુડોના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે. જોકે, ભારતે ટ્રુડોના આરોપને પાયાવિહોણા અને રાજનીતિથી પ્રેરિત ગણાવીને ફગાવી દીધા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget