શોધખોળ કરો

Canada: હરદીપસિંહ નિજ્જર હત્યાકાંડ પર કેનેડા પોલીસનું નિવેદન, કેસની તપાસને લઇને શું કરી વાત

Canada Police:કેનેડા પોલીસે ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં નિવેદન જાહેર કર્યું છે

Canada Police: કેનેડા પોલીસે ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં નિવેદન જાહેર કર્યું છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આતંકવાદી નિજ્જરની હત્યાની સક્રિય તપાસ કરવામાં આવી રહી છે. પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના વડા 45 વર્ષીય નિજ્જરને આ વર્ષે 18 જૂનના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારત સરકારે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. નિજ્જરની હત્યાની તપાસ કેનેડિયન પોલીસની ઈન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમ (IHIT) દ્વારા કરવામાં આવી રહી છે.

IHITના પ્રવક્તા સાર્જન્ટ ટિમોથી પીએરોટીએ ગુરુવારે મીડિયાને જણાવ્યું હતું કે, “અમે હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગેના અહેવાલોથી વાકેફ છીએ. કેસ હજુ તપાસ હેઠળ હોવાથી હું પોલીસ દ્વારા એકઠા કરાયેલા પુરાવા પર કોઇ ટિપ્પણી કરી શકતો નથી. તેમણે કહ્યું હતું કે પોલીસે પુરાવાના આધારે વિસ્તારની સંપૂર્ણ તપાસ કરી છે અને કેસ સંબંધિત તમામ વીડિયો ફૂટેજ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

દરમિયાન, બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા સાહિબે એ વાતની તપાસ શરૂ કરી છે કે અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે નિજ્જરની હત્યાના સીસીટીવી ફૂટેજ કેવી રીતે મેળવ્યા. નોંધનીય છે કે નિજ્જરની ગુરુ નાનક શીખ ગુરુદ્વારા સાહિબમાં હત્યા કરવામાં આવી હતી. ગુરુદ્વારાના પ્રવક્તા ગુરકીરત સિંહે કહ્યું કે અમને કહેવામાં આવ્યું છે કે આ વીડિયો મીડિયા અને લોકો માટે જાહેર કરવામાં આવ્યા નથી કારણ કે કેસમાં હજુ તપાસ ચાલી રહી છે. હવે આ વીડિયો કોઈને આપવામાં આવશે નહીં. સિંહે કહ્યું કે તેમણે હત્યા સાથે સંબંધિત વીડિયો ઘણી વખત જોયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ હત્યા સમજી વિચારીને કરવામાં આવી હતી. આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી હરદીપ સિંહની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા. તેને ખબર હતી કે નિજ્જર ક્યાં જાય છે અને ક્યારે તે ગુરુદ્વારામાંથી બહાર આવે છે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં જ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતની કથિત સંડોવણીનો આરોપ લગાવ્યો હતો, જે પછી આ મામલો વિવાદમાં આવ્યો હતો. ટ્રુડોના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે. જોકે, ભારતે ટ્રુડોના આરોપને પાયાવિહોણા અને રાજનીતિથી પ્રેરિત ગણાવીને ફગાવી દીધા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
ઈરાન સામે લશ્કરી કાર્યવાહી બંધ કરવા ટ્રમ્પનો મોટો સંકેત, વૈશ્વિક તેલ સંકટ ટાળવા અમેરિકાએ પ્રતિબંધો પણ હળવા કર્યા
ઈરાન સામે લશ્કરી કાર્યવાહી બંધ કરવા ટ્રમ્પનો મોટો સંકેત, વૈશ્વિક તેલ સંકટ ટાળવા અમેરિકાએ પ્રતિબંધો પણ હળવા કર્યા
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સર્વિસ પડી ભારે
Hun To Bolish | હું તો બોલીશ | પરમિટવાળા પેગમાં પોલંપોલ
Hun To Bolish | હું તો બોલીશ | કોણે તોડ્યો અશાંતધારો ?
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
Embed widget