શોધખોળ કરો

China Coronavirus: ચીનમાં 'કોરોના વિસ્ફોટ', એક દિવસમાં નોંધાયા રેકોર્ડ 32 હજારથી વધુ કેસ

ચીનમાં કોરોનાવાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને લોકડાઉનનો સમયગાળો વધારવામાં આવ્યો છે

China Coronavirus:  ચીનમાં કોરોનાવાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને લોકડાઉનનો સમયગાળો વધારવામાં આવ્યો છે. દરરોજ નોંધાયેલા કેસોની સંખ્યા 30 હજારને પાર થઈ રહી છે. નેશનલ બ્યુરો ઓફ હેલ્થ અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 32 હજાર 943 નવા કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે. ચીનમાં 20 નવેમ્બર સુધી આ કેસ 26 હજાર સુધી હતા.

બેઇજિંગની દક્ષિણે આવેલા શહેર શિજિયાઝુઆંગમાં 3,197 નવા કોરોના વાયરસ કેસ નોંધાયા છે, જે ગઈકાલથી 303% વધારે છે. બેઇજિંગમાં છેલ્લા છ મહિનામાં કોરોનાથી ત્રણ મૃત્યુ નોંધાયા છે. બેઇજિંગમાં લોકડાઉન હેઠળ વહીવટીતંત્રે કડક નિયંત્રણો લાદ્યા છે. પાર્કથી લઈને ઓફિસ બિલ્ડિંગ સુધીના શોપિંગ મોલને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બેઇજિંગના સૌથી વધુ વસ્તી ધરાવતા જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું છે. ચીનમાં આ નવા કેસ વધતા જોઈને પ્રશાસને કડક કોવિડ નીતિ લાગુ કરી છે. ચીન લોકડાઉનથી લઈને ટેસ્ટિંગ અને મુસાફરી પર પ્રતિબંધો પર સતત કામ કરી રહ્યું છે.

 આ વિસ્તારના લોકો દોઢ મહિનાથી લોકડાઉનમાં છે

ચીનના પ્રશાસને ઝેંગઝોઉ અને તેની આસપાસના 8 જિલ્લાઓમાં 66 લાખ લોકોને લોકડાઉનમાં કેદ કર્યા છે. વહીવટીતંત્રના આ આદેશ પહેલા આ વિસ્તારની 2 લાખની વસ્તી લગભગ દોઢ મહિના સુધી લોકડાઉન હેઠળ હતી. હવે શુક્રવારે નવો આદેશ આપવામાં આવ્યો છે.

 

મોરબી પૂલ દુર્ઘટનાને લઈ હાઈકોર્ટે સરકારને પૂછ્યા આકરા સવાલો, કહ્યું-10 લાખ વળતર ચૂકવવું જોઈએ

અમદાવાદ:  મોરબીપૂલ  દુર્ઘટનાને લઈને હાઇકોર્ટેમાં જાહેર હિતની અરજી પર સુનાવણી થઇ હતી.  મોરબી પૂલ દુર્ઘટનામાં સરકારે જાહેર કરેલી સહાય રકમથી ગુજરાત હાઈકોર્ટ નારાજ થઈ છે અને જણાવ્યું છે કે ઘરમાં એકમાત્ર કમાનાર અને મોતને ભેટનાર યુવકોના પરિવારને 4 લાખ નહીં 10 લાખનું વળતર ચુકવવું જોઈએ. હવે આ કેસમાં 12 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે. હાઈકોર્ટે નોંધ્યું છે કે, 30 થી 40 વર્ષના ઘણા લોકોએ જીવ ગુમાવ્યા.  ગુજરાત હાઈકોર્ટે કહ્યું,  મૃતકોને 4 લાખનું વળતર પૂરતું નથી. અમને સંતોષ નથી. કોર્ટે પ્રાથમિક રીતે કહ્યું, સરકારે ઓછામાં ઓછું 10 લાખ વળતર ચૂકવવું જોઈએ. કોર્ટે પૂછ્યું, મૃતકોની જ્ઞાતિ જાતિ લખવાની શું જરૂર છે ? તમામ મૃતકો સમાન રીતે જ ગણાય.

10 લાખ વળતર ચૂકવવું જોઈએ

કોર્ટે પ્રાથમિક રીતે કહ્યું, સરકારે ઓછામાં ઓછું 10 લાખ વળતર ચૂકવવું જોઈએ. કોર્ટે પૂછ્યું મૃતકોની જ્ઞાતિ જાતિ લખવાની શું જરૂર છે? તમામ મૃતકો સમાન રીતે જ ગણાય. માતા અને પિતા બંને ગુજરી ગયા હોય એવા બાળકોને પ્રતિ મહિને 3 હજારનું વળતર સરકાર ચૂકવશે. કોર્ટે કહ્યું,  3000 રુપિયામાં બાળકના સ્કૂલના યુનિફોર્મ અને પુસ્તકો પણ નહિ આવે. આ વળતર પૂરતું નથી. 

મોરબીના રાજવી પરિવારે તમામ મૃતકોને 1 લાખ વળતર ચૂકવ્યું છે.  માતા પિતા બંને ગુજરી ગયા હોય એવા કુલ 7 બાળકો,  જેમને મુખ્યમંત્રી રાહત કોષ, પ્રધાનમંત્રી રાહત કોષ અને ખાનગી દાતાઓ થકી મળેલા દાનમાં પ્રતિ બાળકને 37 લાખ રૂપિયા ચૂકવાશે. આમાં અદાણી ફાઉન્ડેશન તરફથી પ્રતિ બાળક 25 લાખ અપાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget