Israel Attacks Iran: 72 કલાકમાં યુદ્ધમાં ભયાનક તબાહી, ઈરાનમાં 406 અને ઈઝરાયલમાં 16નાં મોત, જાણો કેટલું થયું નુકસાન?
Israel Attacks Iran: આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 406 ઇરાની નાગરિકો અને સૈનિકોના મોત થયા છે.

Israel Attacks Iran: ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલાને 72 કલાક વીતી ગયા છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 406 ઇરાની નાગરિકો અને સૈનિકોના મોત થયા છે, જ્યારે 654 લોકો ઘાયલ થયા છે. જોકે, ઇરાને આ આંકડાને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે ફક્ત 224 મૃત્યુ થયા છે, જેમાંથી મોટાભાગના નાગરિકો છે. ઈરાની જવાબી હુમલાઓમાં ઈઝરાયલમાં 16 લોકો મૃત્યુ પામ્યા છે અને ડઝનેક ઘાયલ થયા છે.
VIDEO: Projectiles are seen over Amman as Iran launched a new missile salvo towards Israel on June 16, 2025.
— AFP News Agency (@AFP) June 16, 2025
After decades of enmity and a prolonged shadow war fought through proxies and covert operations, the latest conflict marks the first time arch-enemies Israel and Iran… pic.twitter.com/Vs25mZFLwv
ઈઝરાયલે એક હવાઈ કોરિડોર બનાવ્યો છે
ઈઝરાયલે દાવો કર્યો છે કે તેણે તેના દેશથી તેહરાન સુધી એક 'હવાઈ કોરિડોર' બનાવ્યો છે જેના દ્વારા તે હવે કોઈપણ અવરોધ વિના તેહરાન સુધી હવાઈ હુમલા કરી શકે છે. આ કોરિડોરનો ઉપયોગ કરીને ઈઝરાયલી વાયુસેનાએ ઈરાનના મશહાદ એરપોર્ટ પર 2,300 કિલોમીટર દૂર એક રિફ્યુઅલિંગ વિમાનને નિશાન બનાવ્યું અને તેને સંપૂર્ણપણે નાશ કર્યો હતો.
VIDEO: Fires blaze in the Israeli port city of Haifa following an Iranian missile attack.
— AFP News Agency (@AFP) June 16, 2025
After decades of enmity and a prolonged shadow war fought through proxies and covert operations, the latest conflict marks the first time arch-enemies Israel and Iran have traded fire… pic.twitter.com/ZXAXBSy4jv
લશ્કરી અને પરમાણુ ઠેકાણાઓ પર મોટા પાયે હુમલા
ઇઝરાયલે ઇરાનના નન્તાજ, ઇસ્ફહાન અને ફોર્ડો પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે. આ હુમલાઓમાં યુરેનિયમ સંવર્ધન મશીનોને ભારે નુકસાન થયું છે. તેહરાન અને અન્ય શહેરોમાં લશ્કરી થાણાઓ, મિસાઇલ ઉત્પાદન કેન્દ્રો અને રિફાઇનરીઓને પણ નિશાન બનાવવામાં આવી હતી. કરમાનશાહ અને તબરેઝમાં મિસાઇલ થાણાઓ નાશ પામ્યા છે, જ્યારે તેહરાનના મેહરાબાદ એરપોર્ટને પણ નુકસાન થયું છે.
ટોચના લશ્કરી નેતૃત્વ અને વૈજ્ઞાનિકો માર્યા ગયા
ઇઝરાયલી હુમલાઓમાં ઈરાનનું ટોચનું લશ્કરી અને ગુપ્તચર નેતૃત્વ લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યું છે. માર્યા ગયેલા વરિષ્ઠ અધિકારીઓમાં સામેલ છે:
મેજર જનરલ મોહમ્મદ બાઘેરી (આર્મી ચીફ)
મેજર જનરલ હુસૈન સલામી (IRGC કમાન્ડર)
મેજર જનરલ ગુલામ અલી રાશિદ
જનરલ અમીર અલી હાજીઝાદેહ
જનરલ ગુલામરેઝા મેહરાબી
જનરલ મહેદી રબ્બાની
બ્રિગેડિયર જનરલ મોહમ્મદ કાઝમી અને જનરલ હસન મોહાકિક (IRGC ગુપ્તચર વડા અને નાયબ)
અલી શમખાની (સર્વોચ્ચ નેતાના સલાહકાર)
ઉપરાંત, ઇઝરાયલી હુમલાઓમાં ઘણા અગ્રણી ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા છે, જેમાં મોહમ્મદ મહેદી તેહરાની, ફેરેદૌન અબ્બાસી-દવાની, અબ્દુલહામીદ મિનોચેહર, અહમદરેઝા ઝોલ્ફાઘારી, અમીરહુસૈન, અલી બકાઈ કરીમી, મન્સૂર અસગરી અને સઈદ બોરજીનો સમાવેશ થાય છે.
ઈરાને બદલો લીધો, તેલ અવીવમાં વિનાશ મચાવ્યો
ઈરાને ઈઝરાયલ પર 100-200 બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોન છોડ્યા હતા. આમાંથી કેટલાક આયર્ન ડોમને ટાળવામાં સફળ રહ્યા અને તેલ અવીવમાં ઘણી ઇમારતો નાશ પામી હતી. ઈરાને મુખ્યત્વે તેલ અવીવ, રમાત ગાન, બૈત યમ અને રેહોવોતને નિશાન બનાવ્યા.
હાઈફા અને ડિમોના પર હુમલા, વૈજ્ઞાનિક સંસ્થાઓને પણ નિશાન બનાવ્યા
તેહરાન ટાઈમ્સ અનુસાર, ઈરાને સોમવારે વહેલી સવારે કબજા હેઠળના વિસ્તારો પર મિસાઈલો ચલાવી હતી. આમાં હાઈફા, કિરયાત ગત, નેગેવ રેગિસ્તાન અને ડિમોના સંકુલનો સમાવેશ થાય છે. હાઈફા બંદર પર હુમલા બાદ આગ ફાટી નીકળી હતી. ઈરાની સેનાએ વેઈઝમેન સાયન્સ ઇન્સ્ટિટ્યૂટને પણ નિશાન બનાવ્યું હતું. ઉપરાંત, 150થી વધુ લશ્કરી અને ગુપ્તચર મથકો પર હુમલો કરવામાં આવ્યો હતો.
ઈરાની સેનાએ આ હુમલામાં "શાહેદ હાજ કાસિમ" મિસાઈલોનો ઉપયોગ કર્યો હતો, જેનું વજન 660 થી 1540 પાઉન્ડ હતું. જો કે, મોટાભાગની મિસાઈલો ઇઝરાયલી અને અમેરિકન સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા નાશ પામી હતી. તેમ છતાં કેટલીક મિસાઈલો લશ્કરી મથકો સુધી પહોંચવામાં સફળ રહી હતી.
ઈઝરાયલે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી
ઈરાની હુમલાઓ પછી ઈઝરાયલે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. તેલ અવીવ, જેરુસલેમ અને હાઈફામાં હવાઈ હુમલાના સાયરન વાગવા લાગ્યા, જેના કારણે લાખો લોકોને બંકરોમાં આશ્રય લેવાની ફરજ પડી. પરિસ્થિતિ હજુ પણ તંગ છે અને પ્રાદેશિક યુદ્ધની શક્યતા વધી રહી છે.





















