બાંગ્લાદેશમાં આજે કાર્યભાર સંભાળશે વચગાળાની સરકાર, મોહમ્મદ યુનુસ સાથે 15 સભ્યો લેશે શપથ
Muhammad Yunus: નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર ગુરુવારે કાર્યભાર સંભાળશે
Muhammad Yunus: નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર ગુરુવારે કાર્યભાર સંભાળશે. આ જાણકારી આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને આપી છે. તેમણે જણાવ્યું કે સરકારમાં સામેલ લોકો ગુરુવારે રાત્રે 8 વાગ્યે શપથ લેશે.
Muhammad Yunus to return to Bangladesh Thursday, set to lead interim government
— ANI Digital (@ani_digital) August 7, 2024
Read @ANI Story | https://t.co/fwqo4MMFED#MuhammadYunus #Bangladeshstudentprotest pic.twitter.com/VaGzYnLdHg
જનરલ ઝમાને કહ્યું હતું કે વચગાળાની સરકારની સલાહકાર પરિષદમાં 15 સભ્યો હશે અને તેના વડા મોહમ્મદ યુનુસ હશે. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને મંગળવારે રાત્રે યુનુસને વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કર્યા. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડ્યા બાદ રાષ્ટ્રપતિએ આ નિમણૂક કરી હતી.
તમામ પીડિતોને ન્યાય મળવો જોઈએ - યુનુસ
બાંગ્લાદેશ જતા પહેલા પેરિસ એરપોર્ટ પર બોલતા યુનુસે કહ્યું હતું કે સરકારના વડા તરીકે તેમની પ્રાથમિકતા દેશમાં સામાન્ય સ્થિતિ સ્થાપવાની રહેશે. દેશમાં સ્થિતિ સામાન્ય બને અને તમામ પીડિતોને ન્યાય મળે તે માટે તે પહેલા દિવસથી જ પ્રયત્નો કરશે.
દરમિયાન બાંગ્લાદેશની કોર્ટે શ્રમ કાયદાના ઉલ્લંઘન બદલ મોહમ્મદ યુનુસને આપવામાં આવેલી છ મહિનાની જેલની સજા રદ કરી છે. હસીના સરકારના કાર્યકાળ દરમિયાન નોંધાયેલા કેસમાં આ સજા આપવામાં આવી હતી. સમાચાર એજન્સી રોયટર્સ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
ખાલિદાનો પક્ષ પણ વચગાળાની સરકારનો હિસ્સો હશે
દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયા, જેઓ ઘણા કેસોમાં દોષિત ઠેરવ્યા બાદ 2018 થી નજરકેદમાં હતા. તેમને મંગળવારે મુક્ત કરવામાં આવ્યા હતા. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના વડા ખાલિદાએ કહ્યું છે કે લોકોએ તેમના સંઘર્ષ દ્વારા અશક્યને શક્ય બનાવ્યું છે. હવે ગુસ્સા અને બદલાની ભાવનાથી કાર્યવાહી નહીં કરવામાં આવે પરંતુ દેશનું નિર્માણ પ્રેમ અને શાંતિથી કરવામાં આવશે. ખાલિદાનો પક્ષ પણ વચગાળાની સરકારનો હિસ્સો હશે.
દીકરાએ કહ્યું, હસીના થોડા દિવસ ભારતમાં રહેશે
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના થોડા દિવસ ભારતમાં રહેશે. તેમના પુત્ર સજીબ વાજેદ જોયે આ વાત કહી હતી. સોમવારે ઢાકામાં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ હસીના તેની બહેન શેખ રેહાના સાથે એરફોર્સના કાર્ગો એરક્રાફ્ટમાં દિલ્હી નજીક હિંડન એરબેઝ પર પહોંચ્યા હતા. ભારત સરકારે તેમને ત્યાં સુરક્ષિત જગ્યાએ રાખ્યા છે. એક જર્મન અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં સજીબે કહ્યું કે તેમણે હજુ નક્કી નથી કર્યું કે તેની માતા હસીના ક્યાં રહેશે પરંતુ હાલમાં તે ભારતમાં છે.