શોધખોળ કરો
તુર્કિયેના આ મંદિરની અંદર ગયા પછી કોઇ જીવિત પરત નથી ફરતું, જાણો શું છે સત્ય?
તુર્કિયેના હિરાપોલિસ શહેરમાં એક મંદિર છે. જ્યાં એકવાર કોઈ જાય છે, તે જીવતો પાછો આવતો નથી. લોકોનું માનવું છે કે, આ સ્થાનમાં દેવતાઓના પ્રકોપને કારણે આવું થાય છે.

તુર્કીનું રહસ્યમય મંદિર
1/6

તુર્કિયેનું તે મંદિર જ્યાં એક વાર દર્શન કર્યા પછી લોકો જીવતા પાછા નથી આવતા.
2/6

દુનિયામાં આવી અનેક વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ છે પરંતુ લોકો તેને અંધશ્રદ્ધા કહે છે. તુર્કીમાં પણ એવું જ થયું. દેશના હીરાપોલિસ શહેરમાં એક એવું મંદિર છે જેના માટે લોકોનું કહેવું છે કે દેવતાના પ્રકોપને કારણે લોકો અહીં જતા જ મૃત્યુ પામે છે.
3/6

ડીએન્ડ્રીઆએ મૃત્યુ પાછળનું કારણ જણાવતા કહ્યું કે ગુફામાં ધરતીમાંથી ખતરનાક કાર્બન ડાયોક્સાઈડ ગેસ નીકળે છે અને જેવો કોઈ અહીં જાય છે, તે ઘાતક ગેસના પ્રભાવથી મૃત્યુ પામે છે.
4/6

એવું માનવામાં આવતું હતું કે આ સ્થાન પર પશુ પક્ષીની બલિ આપવામાં આવતી હતી. જ્યારે આ સ્થળ ખોદવામાં આવ્યું ત્યારે મંદિરમાંથી પક્ષીઓ અને પ્રાણીઓના હાડપિંજર પણ મળી આવ્યા હતા.
5/6

ફ્રાન્સેસ્કો ડીએન્ડ્રીઆએ કહ્યું કે મંદિરમાં પક્ષીઓ અને પ્રાણીઓના મૃત્યુ પાછળનું કારણ દેવતાઓનો ક્રોધ નથી પરંતુ એક રાસાયણિક પ્રક્રિયા છે.
6/6

આ મંદિરને નર્કનો દરવાજો પણ કહેવામાં આવે છે અને લોકો આ મંદિરમાં જતા ડરે છે. પ્રાચીન ગ્રીક ભૂગોળશાસ્ત્રી સ્ટ્રેબોએ કહ્યું કે, તે એક ખતરનાક સ્થળ છે. જે તેની અંદર જાય છે તે જીવિત પરત નથી ફરતું
Published at : 20 Mar 2024 04:27 PM (IST)
આગળ જુઓ
Advertisement