શોધખોળ કરો
નોકરી બદલતા પહેલા જાણી લો ગ્રેચ્યુઇટીના આ નવા નિયમો, નહીંતર થશે મોટું આર્થિક નુકસાન!
1 વર્ષમાં ગ્રેચ્યુઇટી મળવાની વાતથી લોકોમાં ભારે કન્ફ્યુઝન છે; સમજો કાયમી અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે શું છે ગ્રેચ્યુઇટીના સાચા નિયમો અને કેવી રીતે થાય છે તેની ગણતરી.
આજકાલ નોકરિયાત વર્ગ માત્ર પગાર પર જ નહીં, પરંતુ કંપની તરફથી મળતા અન્ય ફાયદાઓ પર પણ પૂરતું ધ્યાન આપે છે. આમાંનો જ એક મોટો અને અગત્યનો ફાયદો એટલે ગ્રેચ્યુઇટી (Gratuity). છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે હવે માત્ર 1 વર્ષ નોકરી કરવા પર પણ ગ્રેચ્યુઇટીના પૈસા મળી જશે. આ સમાચારે લોકોમાં ભારે કન્ફ્યુઝન ઊભું કર્યું છે, પરંતુ તેની પાછળની હકીકત જાણવી દરેક કર્મચારી માટે ખૂબ જ અનિવાર્ય છે.
1/7

ગ્રેચ્યુઇટી એટલે શું? સરળ ભાષામાં કહીએ તો, ગ્રેચ્યુઇટી એ કંપની તરફથી અપાતું એક પ્રકારનું "થેન્ક યુ બોનસ" છે. તમે કંપનીમાં લાંબો સમય નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે, તેના ઈનામ રૂપે આ રકમ આપવામાં આવે છે. જ્યારે તમે નોકરી છોડો છો, ત્યારે કંપની તમારું 'Full and Final' સેટલમેન્ટ કરે છે. આ સેટલમેન્ટમાં તમારા બાકી પગાર અને બોનસની સાથે ગ્રેચ્યુઇટીની રકમ પણ ચૂકવવામાં આવે છે.
2/7

નવા લેબર કોડ 2025 ના અમલીકરણ બાદ, 1 વર્ષમાં ગ્રેચ્યુઇટી મળવાનો નિયમ માત્ર ફિક્સ ટર્મ કે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ માટે જ છે. જો તમે કોન્ટ્રાક્ટ કર્મચારી છો, તો તમે 1 વર્ષ પછી ગ્રેચ્યુઇટી મેળવવા માટે હકદાર બની શકો છો. આ પગલું એવા કામદારોને આર્થિક સુરક્ષા આપવા માટે લેવામાં આવ્યું છે, જેઓ ટૂંકા ગાળાના પ્રોજેક્ટ્સ પર કામ કરતા હોય છે.
Published at : 14 Apr 2026 07:14 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર





















