શોધખોળ કરો
મોદી 10 ઓગસ્ટે લોંચ કરશે 'ઉજ્જવલા 2' યોજના, જાણો શું હશે યોજનાની વિશેષતા અને કોને મળશે લાભ ?

PM_Modi_
1/7

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ગરીબો માટે એલપીજી ગેસ માટે નવી યોજના લૉન્ચ કરવા જઇ રહ્યાં છે. રિપોર્ટ છે કે, આગામી 10 ઓગસ્ટે પીએમ મોદી ગરીબો માટે ફ્રીમાં એલપીજી કનેક્શન માટે ઉજ્જવલા યોજનાની બીજે એડિશન લૉન્ચ કરશે. સરકાર ઉજ્જવલા યોજના લૉન્ચ કરીને ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં પોતાનો હાથો મજબૂત કરવા અને મતદારોને લોભાવવાની કોશિશ કરશે.
2/7

પીએમ મોદીએ અગાઉ ઉજ્જવલાની નેક્સ્ટ એડિશન સ્કીમ વર્ષ 2016માં ઉત્તરપ્રદેશના બાલિયા જિલ્લામાં અમલમાં મુકી ચૂક્યા છે. આ યોજના અંતર્ગત સરકારનો ઉદ્દેશ આર્થિક રીતે નબળા લોકોને સહાય કરવાનો છે.
3/7

ઉજ્જવલા યોજનાને ખાસ કરીને ઘરમાં મહિલાઓને ચૂલા ફંકવાથી રાહત આપવા માટે બનાવવામાં આવી છે. ઉજ્જવલા યોજનાથી અત્યાર સુધી દેશમાં 91 ટકા મહિલાઓ એલપીજી સિલીન્ડર રિલિફ કરવાવવાનો લાભ લઇ રહી છે, અને આનો મોટો ફાયદો લૉકડાઉન સમયમાં લોકોને મળ્યો છે.
4/7

રિપોર્ટ પ્રમાણએ એલપીજી સિલીન્ડરનો ખર્ચો લગભગ 8.3 કરોડ લાભાર્થીઓને સીધો તેમના બેન્ક ખાતામાં પાછો ટ્રાન્સફર મળ્યો છે, અને રિફિલિંગના સ્પેશ્યલ પેકેજ સતત જુન સુધી ચાલુ રહ્યું હતુ.
5/7

હવે ઉજ્જવલા 2 યોજના આવી રહી છે, આ યોજના અંતર્ગત એક કરોડથી વધુ ગરીબ મહિલાઓને જે ખાસ કરીને પ્રથમ તબક્કામાં હતી, તે તમામને બે વર્ષ માટે ફ્રીમાં એલપીજી કનેક્શન આપવામાં આવશે. બીજા તબક્કામાં સ્થળાંતરિતોને સામેલ કરવામા આવશે, જે યુપી, બિહાર અને બંગાળમાંથી આવેલા મતદારો છે તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
6/7

ઉજ્જવલા 2ની યોજના માટે બીજા તબક્કા માટે બજેટ 2021માં જાહેરાત થઇ છે, પરંતુ બજેટ ફળવાયુ નથી. ઓઇલ મિનીસ્ટ્રીએ ફ્યૂલ સબસિડીમાંથી કવર કર્યા છે. આ યોજનાનો લાભ આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગના લોકોને આપવામાં આવશે.
7/7

ઉજ્જવલા-2 યોજના
Published at : 05 Aug 2021 11:06 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
