શોધખોળ કરો

Padma Shri: ટીમ ઈન્ડિયાના લીજેન્ડ રવિચંદ્રન અશ્વિનને મળશે પદ્મશ્રી, આવું રહ્યું છે ક્રિકેટ કરિયર  

ભૂતપૂર્વ ભારતીય ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. ગૃહ મંત્રાલયે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરાયેલા નામોની જાહેરાત કરી છે.

Ravi Ashwin Career: ભૂતપૂર્વ ભારતીય ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. ગૃહ મંત્રાલયે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરાયેલા નામોની જાહેરાત કરી છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. જો કે હવે આ ઓફ સ્પિનરને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. રવિચંદ્રન અશ્વિનની ગણતરી ક્રિકેટ ઈતિહાસના સૌથી સફળ બોલરોમાં થાય છે. ખાસ કરીને આ બોલરનો ટેસ્ટ રેકોર્ડ શાનદાર હતો.

રવિચંદ્રન અશ્વિન આ ટીમોનો ભાગ રહ્યો છે

ટેસ્ટ મેચ સિવાય આ ખેલાડીએ ODI અને T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સ સિવાય, રવિ અશ્વિન આઈપીએલમાં રાઈઝિંગ પૂણે સુપર જાયન્ટ્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સનો ભાગ રહી ચૂક્યો છે.

રવિ અશ્વિનની ઈન્ટરનેશનલ કરિયર આવી હતી

106 ટેસ્ટ મેચો સિવાય રવિ અશ્વિને 116 ODI અને 65 T20 મેચમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. ટેસ્ટ મેચોમાં રવિ અશ્વિને 24.01ની એવરેજથી રેકોર્ડ 537 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા. આ ફોર્મેટમાં તેણે 37 વખત એક ઇનિંગમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે, ODI ફોર્મેટમાં, રવિ અશ્વિને 33.21ની એવરેજ અને 4.93ની ઇકોનોમી સાથે 156 વિકેટ લીધી હતી. જ્યારે ભારત માટે T20 મેચોમાં તેણે 6.91ની ઇકોનોમી અને 23.22ની એવરેજથી 72 વિકેટ લીધી હતી.

આ સિવાય રવિ અશ્વિને IPLમાં 211 મેચમાં 180 વિકેટ લીધી છે. આ ટૂર્નામેન્ટમાં રવિ અશ્વિને 7.12ની ઇકોનોમી અને 29.83ની એવરેજથી બોલિંગ કરી છે.  ભારત માટે, રવિ અશ્વિને ટેસ્ટ, ODI અને T20 ફોર્મેટમાં અનુક્રમે 3503, 707 અને 184 રન બનાવ્યા. ટેસ્ટ ફોર્મેટમાં રવિ અશ્વિનના નામે 6 સદી છે. ઉપરાંત, તેણે 14 વખત પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. 

ભારતીય ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. અશ્વિને આ જાહેરાત ઓસ્ટ્રેલિયા સામે ભારતની ગાબા ટેસ્ટ બાદ કરી છે. સિરીઝ 1-1 થી બરોબરી બાદ સ્ટાર બોલરે નિવૃત્તિની જાહેરાત કરી હતી.  

કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ શનિવારે (25 જાન્યુઆરી, 2025) પદ્મ પુરસ્કાર 2025ના વિજેતાઓની જાહેરાત કરી છે. પદ્મ પુરસ્કારો, જે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક છે, તે ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે: પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. આ વર્ષે ભીમસિંહ ભાવેશ, ડો. નીરજા ભાટલા અને એથલીટ હરવિંદર સિંહને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?

વિડિઓઝ

Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Embed widget