શોધખોળ કરો

ટી-20 વર્લ્ડકપ પછી વિરાટ કોહલીની હકાલપટ્ટી કરીને આ ખેલાડીને વન-ડે અને ટી-20માં કેપ્ટન બનાવાશે, જાણો વિગત

32 વર્ષીય વિરાટ કોહલી લાંબા સમયથી ભારતના ત્રણેય ફોર્મેટનો કેપ્ટન છે અને તે અત્યાર સુધીનો સૌથી સફળ કેપ્ટન છે. પરંતુ તેણે રોહિત શર્મા સાથે કેપ્ટનશિપની જવાબદારી વહેંચવાનો ફેંસલો લીધો છે.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમમાં ટી-20 વર્લ્ડકપ બાદ મોટા પાયે ફેરફાર થઈ શકે છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાનારા ટી-20 વર્લ્ડકપ બાદ મર્યાદીત ઓવરના ક્રિકેટમાં કેપ્ટનપદેથી હકાલપટ્ટી કરવામાં આવી શકે છે. ટીમ ઈન્ડિયાના હિટમેન રોહિત શર્માને વન ડે અને ટી-20નો નવો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

સૂત્રોએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, 32 વર્ષીય વિરાટ કોહલી લાંબા સમયથી ભારતના ત્રણેય ફોર્મેટનો કેપ્ટન છે અને તે અત્યાર સુધીનો સૌથી સફળ કેપ્ટન છે. પરંતુ તેણે રોહિત શર્મા સાથે કેપ્ટનશિપની જવાબદારી વહેંચવાનો ફેંસલો લીધો છે. અખબારના રિપોર્ટ પ્રમાણે, વિરાટ કોહલીએ છેલ્લા થોડા મહિનામાં હોતિ અને ટીમ મેનેજમેન્ટ સાથે આ મુદ્દે લાંબી વાતચીત કરી છે.

વિરાટ ખુદ છોડશે કેપ્ટનશિપ

સૂત્રોના જણાવ્યા મુજબ, ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપના દબાણના કારણે કોહલીની બેટિંગ પર વધારે અસર પડી છે. કોહલીનું માનવું છે કે તેની બેટિંગનો વધારે સમય અને વધારે સ્પીડની જરૂર છે.સૂત્રો મુજબ કોહલીએ ખુદ કેપ્ટનપજેથી હટવાનો ફેંસલો લીધો છે. તેણે બેટિંગ પર વધારે ધ્યાન આપવા માંગે છે. 2022 અને 2023માં ભારતે બે વિશ્વકપ રમવાના છે, જેમાં કોહલીની બેટિંગ મહત્વની માનવામાં આવી રહી છે.

ટેસ્ટમાં કેપ્ટન રહેશે કોહલી

સૂત્રોના કહેવા મુજબ રોહિત શર્મા વન ડે અને ટી-20માં કેપ્ટનશિપ સંભાળશે તો કોહલી ટેસ્ટમાં કેપ્ટનશિપ ચાલુ રાખી શકે છે. વિરાટ હજુ 32 વર્ષનો છે અને આગામી 5-6 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકે છે.

2014માં અચાનક કોહલી બન્યો હતો કેપ્ટન

વિરાટ કોહલી 2014માં ટેસ્ટ કેપ્ટન બન્યો હતો. તે સમયે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે હતી અને મહેન્દ્ર સિંહ ધોનીએ અચાનક ટેસ્ટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. જે બાદ વિરાટને ટીમની કેપ્ટનશિપ સોંપાઈ હતી. જે બાદ ધોનીએ 2017માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી કેપ્ટન પદેથા રાજીનામું આપ્યું હતું. ત્યારે કોહલીને તમામ ફોર્મેટનો કેપ્ટન બનાવાયો હતો.

કોહલીનો કેપ્ટન તરીકે કેવો છે દેખાવ

કોહલીએ 65 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી છે, જેમાંથી 38 જીત્યો છે. તેની કેપ્ટનશિપમાં ભારત 95 વન ડેમાંથી 65 મેચ જીત્યું છે. જ્યારે 45 ટી-20 આંતરરાષ્ટ્રીયમાંથી 29 મેચમાં ભારત વિજેતા બન્યું છે.

આ પણ વાંચોઃ Gujarat Corona Cases: છૂટછાટ મળતાં જ કોરોનાએ ફરી ઉથલો માર્યો, જાણો ચાલુ મહિને કેટલા ટકાનો વધારો થયો

India Corona Cases:  દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી 74 ટકા માત્ર કેરળમાં, જાણો આજનો આંકડો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarati Film Stars Visit Assembly: વિધાનસભા ભવનમાં ગુજરાતી ફિલ્મ કલાકારોનું કરાયું સન્માનControversial Statement: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ, દ્વારકાધીશને લઇને આપ્યું વિવાદીત નિવેદનGujarat Police Officer Death: હરિયાણામાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગુજરાત પોલીસના ત્રણ પોલીસકર્મીના મોતBharuch: સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની કરી નાંખી ઘાતકી હત્યા, જાણો આખો મામલો વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Embed widget