શોધખોળ કરો

હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા

ICC World Cup 2027: આગામી 2027 ના વનડે વર્લ્ડ કપમાં 14 ટીમો વચ્ચે 3 રાઉન્ડની ટક્કર થશે, જ્યારે 2028 ના T20 વર્લ્ડ કપમાં સુપર 10 અને એલિમિનેટર રાઉન્ડનો નવો રોમાંચ જોવા મળશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ICC એ 2027-28 વર્લ્ડ કપના ફોર્મેટમાં મોટા ફેરફારો કર્યા.
  • 2027 ODI વર્લ્ડ કપમાં 14 ટીમો 3 કઠિન રાઉન્ડ રમશે.
  • 2028 T20 વર્લ્ડ કપ 20 ટીમો, નવો એલિમિનેટર લાવશે.

ICC World Cup 2027: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ક્રિકેટના મહાકુંભ ગણાતા વર્લ્ડ કપના ફોર્મેટમાં ધરખમ ફેરફારો કર્યા છે. એડિનબર્ગમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં લેવાયેલા નિર્ણય મુજબ, આગામી 2027 ના ODI વર્લ્ડ કપ અને 2028 ના T20 વર્લ્ડ કપને વધુ રોમાંચક બનાવવા માટે નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે. હવે વર્લ્ડ ચેમ્પિયન બનવું કોઈપણ ટીમ માટે આસાન નહીં રહે. ચાલો સમજીએ આ નવા ફેરફારોનું સંપૂર્ણ ગણિત.

2027 ODI વર્લ્ડ કપ: 14 ટીમો અને 3 રાઉન્ડની 'સુપર સિરીઝ'

2027 નો વનડે વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા સંયુક્ત રીતે યોજાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 14 ટીમો ભાગ લેશે અને ફાઇનલ સુધી પહોંચવા માટે તેમણે 3 કઠિન રાઉન્ડમાંથી પસાર થવું પડશે:

રાઉન્ડ 1 (સુપર સિરીઝ): ક્વોલિફાય થયેલી 14 ટીમોમાંથી નીચેના ક્રમની 3 ટીમો વચ્ચે રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં 'સુપર સિરીઝ' રમાશે. આ સિરીઝ જીતનારી ટીમ આગળના રાઉન્ડમાં પ્રવેશ કરશે.

રાઉન્ડ 2 (30 મેચ): અગાઉથી ક્વોલિફાય થયેલી અન્ય 11 ટીમો અને સુપર સિરીઝની વિજેતા 1 એમ કુલ 12 ટીમોને 6-6 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. રાઉન્ડ-રોબિન ફોર્મેટ મુજબ રમાનાર આ સ્ટેજમાંથી બંને ગ્રુપની ટોચની 3-3 ટીમો અને એક અન્ય ઉચ્ચ ક્રમાંકિત ટીમ મળીને કુલ 7 ટીમો આગળના સ્ટેજમાં જશે.

રાઉન્ડ 3 - સુપર 7 સ્ટેજ (21 મેચ): આ 7 ટીમો વચ્ચે ફરી રાઉન્ડ-રોબિન મેચો રમાશે. જેમાંથી ટોચની 4 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. નિયમ મુજબ, પહેલા અને ચોથા ક્રમની ટીમ વચ્ચે પ્રથમ સેમિફાઇનલ, જ્યારે બીજા અને ત્રીજા ક્રમની ટીમ વચ્ચે બીજી સેમિફાઇનલ રમાશે.

આ પણ વાંચોઃ શું બીજી વનડેમાં રોહિત-કોહલી નહીં રમે? કેપ્ટન શુભમન ગિલે કહ્યું - ‘અમે અલગ-અલગ કોમ્બિનેશન....’

2028 T20 વર્લ્ડ કપ: નવું ફોર્મેટ અને એલિમિનેટરનો રોમાંચ

વર્ષ 2028 માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના યજમાન પદે યોજાનાર T20 વર્લ્ડ કપમાં 20 ટીમો જ ભાગ લેશે, પરંતુ સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવવા માટે નવું ફોર્મેટ ડિઝાઇન કરાયું છે:

ગ્રુપ સ્ટેજ (30 મેચ): 20 ટીમોને કુલ 5 ગ્રુપમાં વહેંચવામાં આવશે (અગાઉ 2026 ના T20 વર્લ્ડ કપમાં 20 ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી હતી). હવે આ પાંચેય ગ્રુપમાંથી ટોચની 2-2 ટીમો 'સુપર 10' માટે ક્વોલિફાય થશે.

સુપર 10 (20 મેચ): ક્વોલિફાય થયેલી 10 ટીમોને 5-5 ના બે ગ્રુપમાં વહેંચીને રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં મેચો રમાડાશે. બંને સુપર 10 ગ્રુપની વિજેતા (ટોચની) 1-1 ટીમ સીધી સેમિફાઇનલમાં પહોંચી જશે.

એલિમિનેટર રાઉન્ડ (2 મેચ): સેમિફાઇનલની બાકીની 2 જગ્યાઓ માટે નવો 'એલિમિનેટર રાઉન્ડ' રમાશે. જેમાં એક સુપર 10 ગ્રુપની બીજા ક્રમની ટીમનો મુકાબલો અન્ય ગ્રુપની ત્રીજા ક્રમની ટીમ સામે થશે.

આ પણ વાંચોઃ લાખો ક્રિકેટ ફેન્સના દિલ તૂટ્યા! ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ફ્લોપ

Frequently Asked Questions

2027 ODI વર્લ્ડ કપ ક્યાં યોજાશે અને તેમાં કેટલી ટીમો ભાગ લેશે?

2027નો ODI વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા સંયુક્ત રીતે યોજાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 14 ટીમો ભાગ લેશે.

2027ના ODI વર્લ્ડ કપમાં ફાઇનલ સુધી પહોંચવા માટે કેટલી રાઉન્ડ સિસ્ટમ લાગુ પડશે?

2027ના ODI વર્લ્ડ કપમાં ફાઇનલ સુધી પહોંચવા માટે ટીમોએ 3 કઠિન રાઉન્ડમાંથી પસાર થવું પડશે, જેમાં સુપર સિરીઝ અને સુપર 7 સ્ટેજનો સમાવેશ થાય છે.

2028 T20 વર્લ્ડ કપ કયા દેશોમાં યોજાશે અને કેટલી ટીમો ભાગ લેશે?

2028નો T20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના યજમાન પદે યોજાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે.

2028ના T20 વર્લ્ડ કપમાં સેમિફાઇનલ માટે કયો નવો રાઉન્ડ ઉમેરવામાં આવ્યો છે?

2028ના T20 વર્લ્ડ કપમાં સેમિફાઇનલની બાકીની 2 જગ્યાઓ માટે નવો 'એલિમિનેટર રાઉન્ડ' ઉમેરવામાં આવ્યો છે. આ રાઉન્ડ સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
Advertisement

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget