શોધખોળ કરો

IND vs ENG: વિરાટ કોહલી 20 રન બનાવીને આઉટ થયો છતાં પણ ઈંગ્લેન્ડ સામે બનાવ્યો મહત્વનો રેકોર્ડ...

ભારતની ત્રીજી વિકેટ વિરાટ કોહલીના રૂપમાં પડી. તે 20 રન બનાવીને આઉટ થયો હતો. જો કે તેમ છતાં તેણે એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે.

Virat Kohli England vs India 5th Test Birmingham: ટીમ ઈન્ડિયા બર્મિંગહામ ટેસ્ટ મેચમાં બીજી ઈનિંગ રમી રહી છે. આ પહેલા ઈંગ્લેન્ડના ખેલાડીઓ પ્રથમ દાવમાં 284 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયા હતા. બીજા દાવમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 75 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતની ત્રીજી વિકેટ વિરાટ કોહલીના રૂપમાં પડી. તે 20 રન બનાવીને આઉટ થયો હતો. જો કે તેમ છતાં તેણે એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. ઇંગ્લેન્ડ સામે 100 ઇનિંગ્સમાં બેટિંગ કરનાર કોહલી એકમાત્ર ભારતીય બન્યો છે.

ઇંગ્લેન્ડ સામે 100 ઇનિંગ્સમાં બેટિંગ કરનાર કોહલીઃ
કોહલી પ્રથમ દાવમાં માત્ર 11 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે બીજી ઇનિંગમાં તેણે 40 બોલનો સામનો કર્યો અને 20 રન બનાવીને આઉટ થયો. આ દરમિયાન તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. ઇંગ્લેન્ડ સામે 100 ઇનિંગ્સમાં બેટિંગ કરનાર કોહલી એકમાત્ર ભારતીય છે. કોહલીએ બર્મિંગહામ ટેસ્ટની બીજી ઈનિંગમાં રમતા 100 ઈનિંગ્સ પૂરી કરી હતી. આ મામલામાં મહેન્દ્ર સિંહ ધોની બીજા સ્થાને છે. ધોનીએ ઈંગ્લેન્ડ સામે 93 ઈનિંગ્સમાં બેટિંગ કરી છે. જ્યારે સચિન તેંડુલકર 90 ઇનિંગ્સ સાથે ત્રીજા સ્થાને છે.

નોંધપાત્ર વાત એ છે કે, ભારતે પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધી 416 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમ માટે રવિન્દ્ર જાડેજા અને ઋષભ પંતે સદી ફટકારી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં 284 રન જ બનાવી શકી હતી. ઈંગ્લેન્ડ તરફથી જોની બેયરસ્ટોએ સદી ફટકારી હતી. ભારતીય ટીમ હવે બીજી ઇનિંગ રમી રહી છે. જોકે તેની શરૂઆત સારી રહી ન હતી.

ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ ઇનિંગ્સમાં બેટિંગ કરનાર ભારતીય ખેલાડીઓ -

100 - વિરાટ કોહલી*
93 - એમએસ ધોની
90 - સચિન તેંડુલકર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget