શોધખોળ કરો

IND vs NZ: ટીમ ઇન્ડિયા વર્લ્ડકપ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને કેમ હરાવી શકે છે? આ રહ્યા ત્રણ મોટા કારણો

ICC Cricket World Cup 2023: વર્લ્ડ કપ 2023 ની પ્રથમ સેમિફાઇનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થવા જઈ રહી છે.

ICC Cricket World Cup 2023: વર્લ્ડ કપ 2023 ની પ્રથમ સેમિફાઇનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થવા જઈ રહી છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. દુનિયાભરના કરોડો ચાહકો આ મેચની રાહ જોઈ રહ્યા છે. 2019 વર્લ્ડ કપમાં ભારતને ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી, આ વખતે ચાહકોને આશા છે કે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડને હરાવીને તે હારનો બદલો લેશે.

છેલ્લા 20 વર્ષમાં ICC ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટીમ ઈન્ડિયા પર પ્રભુત્વ જમાવ્યું છે, પરંતુ આ વખતે ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી શકે છે. આના ઘણા કારણો છે. ચાલો અમે તમને 3 મુખ્ય કારણો વિશે જણાવીએ જેના આધારે અમે કહી શકીએ કે ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી શકે છે.

ટીમ ઈન્ડિયાનું શાનદાર ફોર્મ

હાલમાં ટીમ ઈન્ડિયા એક અલગ જ ફોર્મમાં છે. ટીમ ઈન્ડિયાએ વિશ્વ કપના લીગ તબક્કામાં તમામ નવ મેચ જીતી છે. ભારતે તમામ 9 ટીમોને હરાવી છે અને આ પહેલા એશિયા કપમાં પણ ટીમ ઈન્ડિયાએ એકતરફી જીત મેળવી હતી. આ વર્લ્ડ કપમાં ભારતે શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમોને 100 રન બનાવવાની તક આપી ન હતી. બીજી તરફ ન્યૂઝીલેન્ડે પણ આ વર્લ્ડ કપની શરૂઆતમાં શાનદાર ક્રિકેટ રમી હતી, પરંતુ તે પછી તેને સતત 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી હાલમાં ભારતનું ફોર્મ ન્યૂઝીલેન્ડ કરતા સારું છે.

ટીમ ઈન્ડિયાના ટોપ-5 બેટ્સમેન

આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના ટોપ-5 બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર અને કેએલ રાહુલ. આ તમામ બેટ્સમેનોએ વર્લ્ડ કપમાં ઘણા રન બનાવ્યા છે. રોહિત શર્માએ 503 રન, શુભમન ગીલે 270 રન, વિરાટ કોહલીએ 594 રન (વર્લ્ડ કપમાં સૌથી વધુ), શ્રેયસ ઐય્યરે 421 રન અને કેએલ રાહુલે 347 રન બનાવ્યા છે. આ પાંચેય મળીને અત્યાર સુધીમાં 5 સદી અને 15 અડધી સદીની ઇનિંગ્સ રમી છે. આ આંકડા એ સાબિત કરવા માટે પૂરતા છે કે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શાનદાર ફોર્મમાં છે.

ટીમ ઈન્ડિયાના ટોપ-5 બોલર

બેટિંગ હંમેશાથી ટીમ ઈન્ડિયાની તાકાત રહી છે, પરંતુ આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની બોલિંગ જોઈને દુનિયાભરના ક્રિકેટ દિગ્ગજો માની રહ્યા છે કે આ વખતે ભારતની બોલિંગ દુનિયાનું સૌથી ખતરનાક બોલિંગ આક્રમણ છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજા. આ પાંચ બોલરો એકલા હાથે કોઈપણ સમયે મેચનું પરિણામ બદલી શકે છે. આ વર્લ્ડ કપમાં જસપ્રીત બુમરાહે 17 વિકેટ, મોહમ્મદ શમીએ 16 વિકેટ, રવિન્દ્ર જાડેજાએ 16 વિકેટ, કુલદીપ યાદવે 14 અને મોહમ્મદ સિરાજે 12 વિકેટ ઝડપી છે. મતલબ કે ટીમ ઈન્ડિયાના આ પાંચ બોલરોએ મળીને અત્યાર સુધીમાં કુલ 75 વિકેટ ઝડપી છે. આ દર્શાવે છે કે આ સમયે ટીમ ઈન્ડિયા કોઈ એક બોલર પર નહીં પરંતુ તમામ બોલરો પર નિર્ભર છે અને ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો માટે તેનો સામનો કરવો આસાન નહીં હોય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs AFG: ભારત પ્રવાસ માટે અફઘાનિસ્તાન ટીમ જાહેર, ટેસ્ટમાંથી સ્ટાર સ્પિનર રાશિદ ખાન બહાર!
IND vs AFG: ભારત પ્રવાસ માટે અફઘાનિસ્તાન ટીમ જાહેર, ટેસ્ટમાંથી સ્ટાર સ્પિનર રાશિદ ખાન બહાર!
આજે RCB અને GT વચ્ચે ક્વોલિફાયર-1, જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન 
આજે RCB અને GT વચ્ચે ક્વોલિફાયર-1, જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન 
IPL 2026: 'જે રીતે તે તારી જાતને સંભાળી...' સચિન તેંડુલકરે અર્જુન માટે લખ્યો ખાસ મેસેજ; છેલ્લી મેચમાં મળ્યો રમવાનો મોકો
IPL 2026: 'જે રીતે તે તારી જાતને સંભાળી...' સચિન તેંડુલકરે અર્જુન માટે લખ્યો ખાસ મેસેજ; છેલ્લી મેચમાં મળ્યો રમવાનો મોકો
MI vs RR: રાજસ્થાન રોયલ્સ સામેની મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રમ્યો મોટો દાવ; બે રિપ્લેસમેન્ટ ખેલાડીઓની કરી જાહેરાત
MI vs RR: રાજસ્થાન રોયલ્સ સામેની મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રમ્યો મોટો દાવ; બે રિપ્લેસમેન્ટ ખેલાડીઓની કરી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તથ્યને જામીન
Hun To Bolish : હું તો બોલીશ : કથા પહેલા કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : આવો ખેલ ના ચાલે!
Ebola Virus : ઈબોલાને લઈ સરકાર એક્શનમાં, કોંગોથી આવેલા વ્યક્તિને લઈ આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?
Gujarat Rain Forecast : વીજળીના કડાકા-ભડાકા સાથે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન, 28 મે: આગામી 15 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાન, 28 મે: આગામી 15 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી
વિશ્વ બેંકે અત્યાર સુધીમાં દુનિયાભરના દેશોને કેટલી લોન આપી છે? રકમ જાણીને માથું પકડી લેશો
વિશ્વ બેંકે અત્યાર સુધીમાં દુનિયાભરના દેશોને કેટલી લોન આપી છે? રકમ જાણીને માથું પકડી લેશો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય, આ સહાયમાં કર્યો વધારો, ચોમાસા પહેલાં કરી લો આ કામ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય, આ સહાયમાં કર્યો વધારો, ચોમાસા પહેલાં કરી લો આ કામ
IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ એલિમિનેટરમાં 5 રેકોર્ડ તોડ્યા, તમામ દિગ્ગજોને છોડ્યા પાછળ
IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ એલિમિનેટરમાં 5 રેકોર્ડ તોડ્યા, તમામ દિગ્ગજોને છોડ્યા પાછળ
IPL 2026માં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો ધમાકો: પંત અને ક્રિસ ગેઈલનો મોટો રેકોર્ડ તોડ્યો
IPL 2026માં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો ધમાકો: પંત અને ક્રિસ ગેઈલનો મોટો રેકોર્ડ તોડ્યો
પુત્રવધૂને સાસરીમાં 'એડજસ્ટ' થવાનું કહેવું ક્રૂરતા નથી: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
પુત્રવધૂને સાસરીમાં 'એડજસ્ટ' થવાનું કહેવું ક્રૂરતા નથી: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
ઇસ્કોન બ્રિજ અકસ્માત: 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન
ઇસ્કોન બ્રિજ અકસ્માત: 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન
Embed widget