શોધખોળ કરો

IND vs PAK Asia Cup 2022: ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે આજે સુપર-4માં 'મહાજંગ', એશિયા કપના આંકડામાં કોણ કોના પર ભારે?

જો આપણે એશિયા કપના ઈતિહાસ પર નજર કરીએ તો ભારતીય ટીમ પાકિસ્તાન પર ભારે પડી છે.

એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર ટકરાવા જઈ રહ્યા છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે (4 સપ્ટેમ્બર) રમાનાર મેચ પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે. નોંધનીય છે કે ભારતે રવિવારે જ પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું.

જો આપણે એશિયા કપના ઈતિહાસ પર નજર કરીએ તો ભારતીય ટીમ પાકિસ્તાન પર ભારે પડી છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 15 મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમે 9 મેચ જીતી છે. જ્યારે પાકિસ્તાનની ટીમ પાંચ મેચ જીતી હતી અને એક મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. ભારતીય ચાહકો આ મેચમાં પોતાની ટીમ પાસેથી જીતની આશા રાખી રહ્યા છે.

આ મેચમાં ભારતને રવિન્દ્ર જાડેજાની ખોટ પડશે, જે ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેમની જગ્યાએ અક્ષર પટેલને ટીમમાં લેવામાં આવ્યો છે. પાકિસ્તાન સામેની અગાઉની મેચમાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડે જમણા અને ડાબા હાથના બેટ્સમેનોનું સંયોજન બનાવવા માટે જાડેજાને ચોથા નંબર પર બેટિંગ કરવા મોકલ્યો હતો કારણ કે તે મેચમાં ઋષભ પંતને બાકાત રાખવામાં આવ્યો હતો.

એ જોવું રસપ્રદ રહેશે કે શું કેપ્ટન રોહિત શર્મા અને દ્રવિડ રવિવારે પણ આ જ દાવ રમે છે. જો ડાબા હાથના બેટ્સમેનને ટોપ-6 બેટ્સમેનોમાં સામેલ કરવો હોય તો તેના માટે માત્ર પંતનો વિકલ્પ છે. અગાઉની મેચમાં હાર્દિક પંડ્યાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ભારતને પાકિસ્તાન સામેની છેલ્લી ઓવરમાં રોમાંચક વિજય નોંધાવવામાં મદદ મળી હતી. રોહિત આ મેચમાં પણ તેના અન્ય ખેલાડીઓ પાસેથી સમાન પ્રદર્શનની અપેક્ષા રાખશે.

ભારતે ઝડપી શરૂઆત કરવી પડશે

પાવર-પ્લેમાં ભારતીય ટીમના બેટ્સમેનો આક્રમક રમત ના રમતા મોટી મુશ્કેલી ઉભી થઇ રહી છે. શરૂઆતમાં, હોંગકોંગ જેવી નબળી ટીમ સામે ભારતીય ટીમે ધીમી બેટિંગ કરી હતી પરંતુ તે સૂર્યકુમાર યાદવની શ્રેષ્ઠ ઇનિંગ્સ હતી, જેણે ટીમને મોટો સ્કોર કરવામાં મદદ કરી હતી. ભારતીય ટોપ ઓર્ડરની ધીમી રમતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કેએલ રાહુલે 39 બોલમાં 36 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં ભારત ઓપનિંગ કોમ્બિનેશનમાં ફેરફાર કરશે કે કેમ તે પ્રશ્ન ઊભો થાય છે.

રાહુલનું ફોર્મ ચિંતાનું કારણ છે

પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં પ્રથમ બોલ પર રાહુલ બોલ્ડ થયો હતો. તેને બીજી તક આપવાની જરૂર છે પરંતુ તેણે તેની રમવાની શૈલી બદલવી પડશે. ભારતના બેટ્સમેનોએ પણ પ્રથમ 10 ઓવરમાં વધુ રન બનાવવાની જરૂર છે.

અશ્વિનને તક મળી શકે છે

આ સિવાય દુબઈની પીચ ધીમી રમી રહી છે જેના કારણે બેટ્સમેનોને મુશ્કેલી પડી શકે છે. પાકિસ્તાનના ટોપ ઓર્ડરમાં છમાંથી બે બેટ્સમેન ડાબા હાથના બેટ્સમેન ફખર જમાન અને ખુશદિલ શાહ છે. આવી સ્થિતિમાં ઓફ સ્પિનર ​​અશ્વિનને રાખવો સારો વિકલ્પ બની શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
Vitamin B12નો રિપોર્ટ નોર્મલ છે છતાં અનુભવો છો થાક તો તરત જ થઈ જાવ એલર્ટ
Vitamin B12નો રિપોર્ટ નોર્મલ છે છતાં અનુભવો છો થાક તો તરત જ થઈ જાવ એલર્ટ
Advertisement

વિડિઓઝ

Rajkot News : અનૈતિક સંબંધનો કરુણ અંજામ, ખેલૈયાઓ ખૂની ખેલ!
Bhavnagar Murder Case : ફોરેસ્ટ ઓફિસરે કેમ કરી પત્ની, 2 સંતાનોની હત્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ના વેચશો બાપ-દાદાની જમીન
Hun To Bolish : હું તો બોલીશ : ફરી આવશે માવઠું ?
Hun To Bolish : હું તો બોલીશ : મંત્રીજીને કેમ યાદ આવ્યો દારુ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
ટ્રમ્પના Gaza Peace Planને UNની મંજૂરી, આંતરરાષ્ટ્રીય દળોની તૈનાતી થઈ શકશે
Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
Bihar New CM: નીતિશ કુમાર જરૂરી પણ, મજબૂરી પણ! બિહારમાં BJP પાસે હાલમાં ચાર ઓપ્શન
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
Vitamin B12નો રિપોર્ટ નોર્મલ છે છતાં અનુભવો છો થાક તો તરત જ થઈ જાવ એલર્ટ
Vitamin B12નો રિપોર્ટ નોર્મલ છે છતાં અનુભવો છો થાક તો તરત જ થઈ જાવ એલર્ટ
Income Tax Act, 2025: જાન્યુઆરી સુધી નોટિફાય કરવામાં આવશે ITR ફોર્મ અને નિયમ, એક એપ્રિલથી લાગુ થશે નવો કાયદો
Income Tax Act, 2025: જાન્યુઆરી સુધી નોટિફાય કરવામાં આવશે ITR ફોર્મ અને નિયમ, એક એપ્રિલથી લાગુ થશે નવો કાયદો
આ મુસ્લિમ દેશે ભારતને આપ્યો ઝટકો, ખત્મ કરી ફ્રી વિઝા એન્ટ્રી, સરકારે જાહેર કરી એડવાઈઝરી
આ મુસ્લિમ દેશે ભારતને આપ્યો ઝટકો, ખત્મ કરી ફ્રી વિઝા એન્ટ્રી, સરકારે જાહેર કરી એડવાઈઝરી
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
Embed widget