શોધખોળ કરો

MS Dhoni in IPL: IPL Auctionમાં પ્રથમ રિટેંશન કાર્ડ ધોની માટે વપરાશે, જાણો વિગત

IPL Auction: માહી ફરી એકવાર આગામી વર્ષે CSK ની કેપ્ટનશિપ કરતા જોવા મળી શકે છે. આઇપીએલમાં ગયા વર્ષથી ધોનીનું બેટ લગભગ શાંત છે.

નવી દિલ્હીઃ આઈપીએલ 2021માં ચેન્નઈ સુપર કિંગ્સને ચોથી વખત વિજેતા બનાવારા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. સીએસકેના ઓફિસિયલે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, ઓક્શનમાં પ્રથમ રીટેંશન કાર્ડ ધોની માટે વપરાશે.

માહી ફરી એકવાર આગામી વર્ષે CSK ની કેપ્ટનશિપ કરતા જોવા મળી શકે છે. આઇપીએલમાં ગયા વર્ષથી ધોનીનું બેટ લગભગ શાંત છે. જે પછી આવતા વર્ષે પીળી જર્સીમાં તેના દેખાવ અંગે અટકળોનો રાઉન્ડ શરૂ થયો હતો. જોકે કેપ્ટન કૂલે આ વખતે પોતાનું ચોથું આઈપીએલ ટાઇટલ જીતવાની સાથે જ લગભગ તમામ અટકળો પર પડદો પાડી દીધો છે.

મેચ બાદ કોમેન્ટેટર હર્ષ ભોગલે ધોનીને આવતા વર્ષે CSK ના કેપ્ટન તરીકે પરત ફરવા પર એક પ્રશ્ન પૂછ્યો હતો. જવાબમાં ધોનીએ કહ્યું, "પ્રશ્ન એ નથી કે હું આવતા વર્ષે ચેન્નાઈ માટે રમીશ કે નહીં. પ્રશ્ન એ છે કે ટીમ માટે શું શ્રેષ્ઠ છે. આપણે એવી ટીમને જોવાની છે જે તેને આગામી દસ વર્ષ આગળ લઈ જઈ શકે. ટીમના હિતમાં શું છે તે આપણે જોવાનું છે."

આ પછી ભોગલે ધોનીને કહ્યું કે 'તમે ચેન્નઈની ટીમ માટે એક વિશાળ વારસો પાછળ છોડી રહ્યા છો.' તેના જવાબમાં ધોની તરત જ હસી પડ્યો અને કહ્યું, "મેં હજી છોડ્યું નથી." ધોનીને આઈસીસી ટી 20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના માર્ગદર્શક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એવી અપેક્ષા છે કે તેની આઈપીએલની સફળતા સાથે, તે ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપમાં પણ ખિતાબ મેળવવામાં મદદ કરી શકશે.

ધોનીની કારકિર્દીની આ 300મી ટી-20ની મેચ કેપ્ટન તરીકેની હતી. ધોની આઈપીએલની 228 મેચમાં કેપ્ટન રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી તેણે 214 મેચમાં કેપ્ટનશિપ કરી છે. 200થી વધુ મેચમાં તેની સિવાય વેસ્ટ ઈન્ડિઝના ડેરેન સેમીએ જ કેપ્ટનશિપ કરી છે.  300 ટી20 મેચમાં કેપ્ટનશિપ કરનારો તે એકમાત્ર ખેલાડી છે. 40 વર્ષીય ધોની 10 વખત આઈપીએલમાં કેપ્ટનશિપ કરી ચુક્યો છે. જેમાં નવ વખત સીએસકે અને એક વખત સુપર જાયન્ટ્સનો કેપ્ટન રહ્યો છે. ધોનીએ જાન્યુઆરી 2017માં ટી20ની કેપ્ટનશિપ છોડી દીધી હતી. ધોનીની આગેવાનીમાં ભારતે 2007માં સાઉથ આફ્રિકામાં રમાયેલ પ્રથમ ટી20 વિશ્વકપ કબજે કર્યો હતો. ધોનીએ ભારત માટે 72 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં આગેવાની કરી જેમાં 41માં જીત અને 28 મુકાબલામાં હાર મળી છે. એક મેચ ટાઈ રહી છે જ્યારે બે મેચનું પરિણામ આવ્યું નથી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
Advertisement

વિડિઓઝ

Khambhat News: ખંભાત શહેરના PSI પી.ડી.રાઠોડ પર લાંચ માગવાનો આરોપ
Amreli Murder case: અમરેલીના ઢુંઢીયા પીપળીયા ગામમાં વૃદ્ધ દંપતિની હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો
Ahmedabad News: AMCની મોટી કાર્યવાહી, અખાદ્ય ખોરાક અને સ્વચ્છતા મુદ્દે સાત એકમોને કરાયા સીલ
Hun To Bolish : હું તો બોલીશ : હનીટ્રેપનો ખતરનાક ખેલ!
Hun To Bolish : હું તો બોલીશ : ડૂબ્યા શહેર અને ગામ, મપાયું કોનું પાણી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ટ્રમ્પે 15 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
'ઓપરેશન સિંદૂર'પર આજે લોકસભામાં શરૂ થશે 16 કલાકની ચર્ચા, કોંગ્રેસે ત્રણ દિવસ માટે જાહેર કર્યો વ્હીપ
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
A2 Ghee: શું દેશી ઘીથી વધુ હેલ્ધી હોય છે A2 ઘી, તેને કેમ કહેવામાં આવે છે સુપરફૂડ?
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
IND vs ENG Test: ઈગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પંત બહાર, આ વિકેટકીપર બેટ્સમેનને મળ્યું ટીમમાં સ્થાન
આવતીકાલનું હવામાનઃ 24 જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે, ત્રણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 24 જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે, ત્રણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી
ભારત vs ઇંગ્લેન્ડ: હારેલી બાજી ડ્રોમાં ફેરવી, જાડેજા-સુંદરની સદીએ ભારતને બચાવ્યું, બેન સ્ટોક્સની બધી ચાલાકી પાણીમાં
ભારત vs ઇંગ્લેન્ડ: હારેલી બાજી ડ્રોમાં ફેરવી, જાડેજા-સુંદરની સદીએ ભારતને બચાવ્યું, બેન સ્ટોક્સની બધી ચાલાકી પાણીમાં
એશિયા કપ 2025: ‘ભારત-પાકિસ્તાન મેચ રદ થવી જોઈએ, ભારતથી મહત્ત્વનું કંઈ જ નથી...’
એશિયા કપ 2025: ‘ભારત-પાકિસ્તાન મેચ રદ થવી જોઈએ, ભારતથી મહત્ત્વનું કંઈ જ નથી...’ - જાણો કોણે કરી આ માંગ
TCS કર્મચારીઓ માટે આંચકાજનક સમાચાર: કંપની 12,000 થી વધુ કર્મચારીઓની છટણી કરશે
TCS કર્મચારીઓ માટે આંચકાજનક સમાચાર: કંપની 12,000 થી વધુ કર્મચારીઓની છટણી કરશે
Embed widget