શોધખોળ કરો

Kane Williamson Retirement: ન્યૂઝીલેન્ડ ક્રિકેટમાં એક યુગનો અંત, કેન વિલિયમ્સને લીધી નિવૃતિ

Kane Williamson Retirement: 16 વર્ષ સુધી ન્યૂઝીલેન્ડ ક્રિકેટમાં રમનારા આ દિગ્ગજ બેટ્સમેનએ તાત્કાલિક અસરથી નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતમાં ચકરાવો મચાવી દીધો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કેન વિલિયમ્સને 12 જૂને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.
  • તેમના નિર્ણયથી ન્યૂઝીલેન્ડના 16 વર્ષનો સુવર્ણ યુગ સમાપ્ત થયો.
  • તેણે 19,346 રન બનાવ્યા, 2021 ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતાડી.
  • વિલિયમ્સને કહ્યું, આ નિવૃત્તિ માટે યોગ્ય સમય હતો.

Kane Williamson Retirement: વિશ્વ ક્રિકેટના સૌથી સન્માનિત અને સફળ બેટ્સમેનોમાંના એક કેન વિલિયમ્સને શુક્રવાર, 12 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 16 વર્ષ સુધી ન્યૂઝીલેન્ડ ક્રિકેટમાં રમનારા આ દિગ્ગજ બેટ્સમેનએ તાત્કાલિક અસરથી નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતમાં ચકરાવો મચાવી દીધો. તેમના આ નિર્ણયથી ન્યૂઝીલેન્ડ ક્રિકેટ માટે એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. વિલિયમ્સન આ મહિનાની શરૂઆતમાં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ માટે રમ્યો હતો. વિલિયમ્સનનો ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે ખાસ સંબંધ છે. બંને તેમના અંડર-19 દિવસથી સાથે રમી રહ્યા છે.

ન્યૂઝીલેન્ડનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

35 વર્ષીય કેન વિલિયમ્સન ન્યૂઝીલેન્ડનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. વિલિયમ્સને  આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 19,346 રન બનાવ્યા હતા, જેમાં 48 સદી અને છ બેવડી સદીનો સમાવેશ થાય છે. એક શાનદાર બેટ્સમેન હોવા ઉપરાંત વિલિયમસને ન્યૂઝીલેન્ડ માટે એક ઉત્તમ કેપ્ટન પણ સાબિત કર્યો, ત્રણેય ફોર્મેટમાં કિવી ટીમનું નેતૃત્વ કર્યું.

વિલિયમ્સને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડનું નેતૃત્વ કર્યું. વિલિયમ્સનની કેપ્ટનશીપ હેઠળ ન્યૂઝીલેન્ડે 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતી. તેણે કિવી ટીમને બે વાર ICC ટુર્નામેન્ટની ફાઇનલ અને ત્રણ વખત સેમિફાઇનલમાં પણ પહોંચાડી. 2010માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર કેન વિલિયમ્સને નવેમ્બર 2025માં T20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી નિવૃત્તિ લીધી હતી. 

જાણો કેન વિલિયમ્સને પોતાની નિવૃત્તિ વિશે શું કહ્યું?

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા જાહેર કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કેન વિલિયમ્સને કહ્યું, "હું ઘણા સમયથી આ વિશે વિચારી રહ્યો હતો, પરંતુ હવે મને લાગે છે કે આ યોગ્ય સમય છે. મને હંમેશા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે જુસ્સો અને ભૂખ રહી છે, અને મને ગર્વ છે કે મેં ન્યુઝીલેન્ડ માટે રમેલી દરેક મેચમાં મારું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે."

આ કેન વિલિયમ્સનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી હતી

કેન વિલિયમ્સને ન્યૂઝીલેન્ડ માટે 110 ટેસ્ટ, 175 વનડે અને 93 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી. વિલિયમસને ટેસ્ટ ક્રિકેટમાં 9,515 રન, વનડેમાં 7,257 રન અને ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 2,575 રન બનાવ્યા હતા. 

ઐતિહાસિક WTC ટાઇટલ જીત

તેમની બેટિંગ ઉપરાંત કેન વિલિયમ્સનનું કેપ્ટન તરીકેનું યોગદાન પણ ઐતિહાસિક હતું. તેમના નેતૃત્વ હેઠળ ન્યૂઝીલેન્ડ 2019 વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું. જોકે, તેમની કારકિર્દીની સૌથી મોટી સિદ્ધિ 2021માં આવી જ્યારે ન્યૂઝીલેન્ડે ભારતને હરાવીને તેમનો પ્રથમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. આ જીત માત્ર ન્યૂઝીલેન્ડ ક્રિકેટની જ નહીં પરંતુ વિલિયમ્સનની કેપ્ટનશીપની પણ સૌથી મોટી સિદ્ધિ બની હતી. 

Frequently Asked Questions

કેન વિલિયમ્સને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ક્યારે નિવૃત્તિ જાહેર કરી?

વિશ્વ ક્રિકેટના સન્માનિત બેટ્સમેન કેન વિલિયમ્સને શુક્રવાર, 12 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેમના 16 વર્ષના ન્યૂઝીલેન્ડ ક્રિકેટના સુવર્ણ યુગનો આ સાથે અંત આવ્યો.

કેન વિલિયમ્સનના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મુખ્ય યોગદાન શું છે?

કેન વિલિયમ્સન ન્યૂઝીલેન્ડનો સૌથી વધુ 19,346 રન બનાવનાર ખેલાડી હતો, જેમાં 48 સદી અને 6 બેવડી સદી શામેલ છે. તેણે 110 ટેસ્ટ, 175 વનડે અને 93 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

કેન વિલિયમ્સનની કેપ્ટનશીપ હેઠળ ન્યૂઝીલેન્ડે કઈ મુખ્ય સિદ્ધિઓ મેળવી?

વિલિયમ્સનની કેપ્ટનશીપ હેઠળ ન્યૂઝીલેન્ડે 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતી હતી. તેણે કિવી ટીમને બે વાર ICC ટુર્નામેન્ટની ફાઇનલ અને ત્રણ વખત સેમિફાઇનલમાં પણ પહોંચાડી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
વૈભવ સૂર્યવંશીએ ત્રીજી T20 માં મચાવી ધમાલ, સદી ચૂક્યો પરંતુ રચી દીધો નવો ઈતિહાસ
વૈભવ સૂર્યવંશીએ ત્રીજી T20 માં મચાવી ધમાલ, સદી ચૂક્યો પરંતુ રચી દીધો નવો ઈતિહાસ
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી
Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી
આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ
આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
Today Weather: દિલ્હીથી ઓડિશા સુધી 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 65 કિમીની ઝડપે ફુંકાશે પવન
Today Weather: દિલ્હીથી ઓડિશા સુધી 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 65 કિમીની ઝડપે ફુંકાશે પવન
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
Embed widget