નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઇ રહેલી ત્રણ મેચોની ટી20 સીરીઝમાં ભારતે પ્રથમ બે મેચો જીતીને 2-0થી લીડ બનાવી લીધી છે. હવે ત્રીજી ટી20 ભારતીય ટીમ માટે માત્ર ઔપચારિકતા પુરી કરવા માટેની રહેશે. આ વાતને ધ્યાનમાં રાખીને ભારતી ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ બીસીસીઆઇએ વિરાટ કોહલીને બાયૉ બબલમાંથી બ્રેક આપ્યો છે. કોહલી ત્રીજી ટી20માં નહીં રમે. પરંતુ આ બધાની વચ્ચે ખબર છે કે વિરાટ કોહલી સાથે સાથે ઋષભ પંતને પણ બ્રેક આપવામાં આવ્યો છે. 


ઋષભ પંતને પણ અપાયો બ્રેક-
બીસીસીઆઇ દ્વારા વિરાટ કોહલીની સાથે સાથે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પણ બાયૉ બબલમાંથી બ્રેક આપ્યો છે. હવે ત્રીજી ટી20માં કેપ્ટન રોહિત શર્મા નવી પ્લેઇંગ ઇલેવન લઇને મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની સાથે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને પણ બાયો બબલથી આરામ માટે ત્રીજી ટી-20થી બ્રેક અપાયો છે. બંને બેટ્સમેને બીજી ટી-20માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિરાટે વેસ્ટ ઈન્ડિઝના વિરોધમાં બીજી ટી-20માં 52 રન બનાવ્યા હતા. આ પહેલા 3 વનડેમાં પહેલી ટી-20માં વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરની સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ઋષભ પંતે 52 રનની મેચ રમ્યા બાદ પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ 


ઋષભ પંતની જગ્યાએ ખેલાડીને મળશે મોકો- 
રિપોર્ટ છે કે, ત્રીજી ટી20માં ફરી એકવાર ઓપનિંગમા કેપ્ટન રોહિત સાથે વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનને મોકો આપવામાં આવશે. ખાસ વાત છે કે, ઋષભ પંતની ગેરહાજરીમાં ઇશાન કિશન વિકેટકીપિંગની પણ જવાબદારી સંભાળશે. 


આ પણ વાંચો- 


Facebook Market Cap: ઓછી થઇ રહી છે ફેસબુકની ચમક, ટોચની 10 કંપનીઓના લિસ્ટમાંથી બહાર થઇ ફેસબુક


Horoscope Today 19 February 2022: આ રાશિના જાતકોને થઈ શકે છે ધનહાનિ, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ


IND vs SL: શ્રીલંકા સામેની ટી-20 સીરિઝમાં નહી રમે વિરાટ કોહલી? રવિન્દ્ર જાડેજાની વાપસી નક્કી


ઓમિક્રોનના કેસ ઘટી રહ્યા છે, પરંતુ WHO એ સબ-વેરિઅન્ટ BA.2ને લઈ શું આપી ચેતવણી, જાણો


ગાંધીનગરઃ પ્રેમીએ નદી કિનારે સગીર પ્રેમિકાને બોલાવી કટરથી કાપ્યુ ગળુ, આરોપીની કરાઇ ધરપકડ


વર્ગ-3ની સરકારી નોકરીમાં અત્યાર સુધીનાં સૌથી વધુ ફોર્મ ભરાયાં, જાણો તલાટીની 3437 જગ્યા માટે કેટલા લાખ ફોર્મ કન્ફર્મ થયા?


Corona Death: જુલાઈ બાદ ફેબ્રુઆરીમાં કોરોનાથી સૌથી વધારે મોત, અચાનક કેવી રીતે વધ્યો મૃત્યુદર ? જાણો પૂરું ગણિત