શોધખોળ કરો

IND vs ENG Test: રોહિત શર્માએ ત્રીજી ટેસ્ટમાં ઐતિહાસિક જીતને લઈ કહી આ મોટી વાત, જાણો  

રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની ઐતિહાસિક જીત પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ મોટી પ્રતિક્રિયા આપી છે.

રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની ઐતિહાસિક જીત પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે જ્યારે રમતના બીજા દિવસે ઈંગ્લેન્ડની ટીમ ભારત પર પ્રભુત્વ જમાવી રહી હતી ત્યારે તેણે ખેલાડીઓને શું સંદેશ આપ્યો હતો. રોહિત શર્માના કહેવા પ્રમાણે, તેણે ટીમના તમામ ખેલાડીઓને શાંત રહેવા માટે કહ્યું હતું.

ટીમ ઈન્ડિયાએ રાજકોટમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ 434 રને જીતી લીધી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. ભારતના પ્રથમ દાવના 445 રનના જવાબમાં ઈંગ્લેન્ડે તેની પ્રથમ ઈનિંગમાં 319 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં, ભારતે 430/4નો સ્કોર કર્યો અને ઇંગ્લેન્ડને જીતવા માટે 557 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો, જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 122 રનમાં સમાઈ ગઈ અને તે મેચ મોટા માર્જિનથી હારી ગઈ.

મેચ બાદ વાતચીત દરમિયાન કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું કે કેવી રીતે મેચમાં પાછળ હોવા છતાં ટીમે શાનદાર વાપસી કરી. તેણે કહ્યું, જ્યારે તમે ટેસ્ટ ક્રિકેટ રમો છો, ત્યારે તે માત્ર 2-3 દિવસ માટે નથી રમાતી. અમે એ પણ સમજીએ છીએ કે પાંચ દિવસ રમવું કેટલું મહત્વનું છે. ઈંગ્લેન્ડ ખૂબ સારું રમ્યું અને અમને દબાણમાં રાખ્યું અમારી બોલિંગે શાનદાર પ્રદર્શન કર્યું. મેં ખેલાડીઓને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ શાંત રહેવાનો સંદેશ આપ્યો હતો. બીજા દિવસે અમે જે રીતે મેચમાં વાપસી કરી તેના પર મને ખૂબ ગર્વ છે. જ્યારે આવી વસ્તુઓ થાય છે ત્યારે ખૂબ આનંદ થાય છે. 

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું છે. આ ઐતિહાસિક જીત સાથે ટીમ ઈન્ડિયા આ સીરીઝમાં 2-1થી આગળ થઈ ગઈ છે. આ મેચમાં ભારતીય ટીમે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું અને ઈંગ્લેન્ડને એકતરફી રીતે હરાવ્યું હતું. એક ક્ષણ માટે એવું લાગી રહ્યું હતું કે આ મેચ પાંચમા દિવસે ખતમ થઈ જશે, પરંતુ ટીમ ઈન્ડિયાની શાનદાર બોલિંગ સામે કોઈ પણ ઈંગ્લિશ બેટ્સમેન ટકી શક્યો નહીં અને 557 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે તેઓ 122ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગયા. ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ

વિડિઓઝ

Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
Embed widget